Vartman Pravah
Breaking Newsઉમરગામડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસમાં જગદગુરુ શ્રીનરેન્‍દ્રાચાર્ય મહારાજના સાનિધ્‍યમાં ‘સમસ્‍યા માર્ગદર્શન’ સમારોહ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : ગુરૂવારે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ ખાતેના હવેલી ગ્રાઉન્‍ડમાં જગદગુરુ શ્રી નરેન્‍દ્રાચાર્ય મહારાજના સાનિધ્‍યમાં સમસ્‍યા પર સમાધાન માટે માર્ગદર્શન સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે શ્રી શ્રી નરેન્‍દ્રાચાર્ય મહારાજે તેમની વાણીમાં જણાવ્‍યું હતું કે, અંધવિશ્વાસ ઉન્‍મૂલન ગતિવિધિઓ પર વિશ્વાસ નહીં કરતા આધ્‍યાત્‍મ, વિજ્ઞાન અને અભ્‍યાસને મેળવી જીવન કેવી રીતે જીવાય એના પર માર્ગદર્શન વિશાળ શૈલીમાં માર્ગદર્શન આપ્‍યું હતું. તેમણે જણાવ્‍યું હતું કે, કોઈનુ ખોટું ન કરો અને એકાગ્ર મનથી દિવસમાં ફક્‍ત 10 મિનિટ ભક્‍તિ કરો, સાથે કર્મ કરતા રહો. એના અનુરૂપ જ તમને ફળ પ્રાપ્ત થશે. આ કાર્યક્રમમાં હજારોની સંખ્‍યામાં ભાવિક ભક્‍તોએ લાભ લીધો હતો.
કાર્યક્રમ પહેલાં જગદગુરુ શ્રી નરેન્‍દ્રાચાર્યએ સ્‍વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા બાદ સમસ્‍યા પર આધારિત માર્ગદર્શનની શરૂઆત કરી હતી. આ અવસરે જગદગુરુ શ્રી નરેન્‍દ્રાચાર્ય મહારાજના દર્શન કરવા માટે ઉમરગામના ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર અને દાનહ શિવસેનાના પ્રમુખ શ્રી અભિનવ ડેલકર સહિત મોટી સંખ્‍યામાં ભાવિક ભક્‍તો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના નૈત્ર ચિકિત્‍સા વિભાગે હાંસલ કરી એક વધુ ઉપલબ્‍ધિ

vartmanpravah

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં કોવિડ-19 વેક્‍સિનેશન થયું

vartmanpravah

સમસ્‍ત વલસાડ જિલ્લા બ્રાહ્મણના આગેવાનોની મીટિંગ યોજાઈ: ભગવાન શિવ વિશે અપમાનજનક શબ્‍દો ઉચ્‍ચારનાર સ્‍વામિનારાયણના સંત સામેશિવભક્‍તોમાં આક્રોશ

vartmanpravah

વણાંકબારા શ્રી વડી શેરી કોળી સમાજ નવા હોદ્દેદારોની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી

vartmanpravah

નરોલી એરોકેર કંપનીમાં કામ કરતા કર્મચારીએ ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના કવરત્તી ખાતે હેલિપેડ નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

Leave a Comment