(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) કવરત્તી, તા.05 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના કવરત્તી ખાતે નિર્માણાધિન રાજ નિવાસની મુલાકાત લઈ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને જરૂરી દિશા-નિર્દેશ આપ્યા હતા. તેમણે સમયમર્યાદામાં ગુણવત્તાની સાથે કામ કરવા પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને તાકિદ કરી હતી.