(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: અખિલ હિંદ મહિલા પરિષદની વલસાડ શાખા દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વિદ્યામૃત વર્ષિણી પાઠશાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પ્રોજેકટ ચેરમેન કિન્નરીબેન શ્રોફ ૫૦ વૃક્ષોના રોપા લાવ્યા હતા. મંડળની બહેનો દ્વારા ઉત્સાહભેર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સાથે પર્યાવરણની જાળવણી માટેના સંકલ્પ પણ લેવામાં આવ્યા હતા. મહિલા પરિષદના પ્રમુખ નીતાબેન શેઠે પાઠશાળાના ટ્રસ્ટી નિનાદભાઈ ભટ્ટ, મંત્રી કિર્તિબેન અને ડો.અલ્કાબેન જોષીનો સલાહકાર તરીકે તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે આભાર માન્યો હતો.