April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં કમોસમી વરસાદ શેરડી કાપતા મજૂરો માટે મુસીબતઃ નાના બાળકો સાથે કાદવ કીચડમાં રહેવા મજબૂર

કમોસમી વરસાદને પગલે શ્રમિકોના પડાવો પર કાદવ-કીચડનું સામ્રાજ્‍ય થઈ જતા પરિવારોની હાલત દયનીય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.26: ચીખલી તાલુકામાં વરસેલ કમોસમી વરસાદ ધરતીપુત્રો માટેઅભિશાપ સાબિત થઈ રહ્યો છે તો બીજીબાજુ શેરડી કાપવા આવેલ શ્રમિકોના પડાવો પર શ્રમિકોની હાલત કફોડી થઈ જવા પામી હતી.
અવારનાર વાતાવરણમાં બદલાવ બાદ ખેતીના પાકના નુકસાનથી ખેડૂતો આર્થિક ફટકાથી ખેડૂતો હજી બહાર આવી શકયા નથી તો અવારનવાર વાતવરણમાં થતા બદલાવથી ખેડૂતોની હાલત કફોડી થઈ જવા પામી છે. વાતાવરણમાં આવેલ બદલાવની સાથે તાલુકાના ગામેગામ કમોસમી માવઠાને લીધે શાકભાજી પકવતા ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્‍યું છે તો તુવેર સહિતના પાકોમાં ભારે નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. તો સારા પ્રમાણમાં વરસાદ વરસતા ફેક્‍ટરીઓમાં તેમજ રસના કોલાઓમાં જતી શેરડીની કાપણી અટકી જવા પામી હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે અન્‍ય રાજ્‍યોમાંથી શેરડી કાપણી માટે આવેલ શ્રમિકો પડાવ પર રહેતા હોય છે. ત્‍યારે આ કમોસમી વરસાદ થી આ શ્રમિકોની હાલત દયનીય થવા પામી છે. સવારથી જ મેઘરાજા વરસતા ઝૂંપડામાં પાણી ભરાય જતાં ખૂબ જ મુશ્‍કેલી ભોગવવાનો વારો આવ્‍યો હતો. મચ્‍છરનો ઉપદ્રવથી તો પીડાતા જ આ પરિવારોના પડાવો પર કાદવ-કિચડનું સામ્રાજ્‍ય સ્‍થપાઈ જતાં તેઓની આરોગ્‍ય પણ પર સીધી અસર થવાની શકયતા વધી જવા પામી છે.
હાલ તો આ બાબતે જન પ્રતિનિધિઓ આગળ આવે તેઆવશ્‍યકતા વર્તાય રહી છે. તો બીજીબાજુ ખેડૂતો અને આ શ્રમિકો હજી આવનારા દિવસોમાં વરસાદ નહિ વરસે એ આશા સાથે આસમાન તરફ મીંટ માંડી બેઠા છે.

Related posts

વાપી ફોર્ટીશેડ કંપની નજીક ખુલ્લા મેદાનમાંજુગાર રમતા પાંચ જુગારિયા ઝડપાયા

vartmanpravah

ચીખલી-વાંસદા ધોરીમાર્ગ પર જનતાના લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા (થર્મો પ્‍લાસ્‍ટ) સફેદ રંગના પટ્ટા ઉપર જામેલા ધૂળના ઢગલાં: નિંદ્રાધિન તંત્ર ક્‍યારે જાગશે?

vartmanpravah

દાનહના ખાનવેલમાં રાષ્‍ટ્રીય પુરષ્‍કાર વિજેતા નિવૃત્ત શિક્ષિકા સુશીલાબેન ભીમરાએ પોતાના વિશાળ ટેકેદારો સાથે ભાજપની બાંધેલી કંઠીઃ ખાનવેલ જિલ્લામાં ભાજપનું વધી રહેલું પ્રભુત્‍વ

vartmanpravah

નવરાત્રી મહોત્‍સવ સંદર્ભે દાનહ પોલીસ પ્રશાસનનું જાહેરનામું: નવરાત્રી પર્વમાં ફક્‍ત માઁ અંબાની જ આરાધના જ કરવામાં આવે, અશ્‍લીલ ગીતોનો ઉપયોગ નહીં કરવા સૂચન

vartmanpravah

મુક્‍તિના 60 વર્ષ દરમિયાન દમણ-દીવે સામાજિક સાંસ્‍કૃતિક શૈક્ષણિક ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે મેળવેલી અનેરી સિદ્ધિ

vartmanpravah

સ્‍વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના જન્‍મ દિન નિમિત્તે સેલવાસની લાયન્‍સ અંગ્રેજી શાળામાં ‘બાળ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment