March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના પીપલગભણ-એસ.પી નગર વિસ્‍તારમાંથી મળી આવેલ દીપડાના બચ્ચાંને વન વિભાગ દ્વારા સલામત સ્થળે છોડી દેવાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.03: ચીખલી તાલુકામાં છેલ્લા ઘણા સમયથી અનેક ગામોમાં દીપડાઓ બેફિકર ફરી રહ્યા છે. અને ખાસ કરીને રાત્રી દરમ્‍યાન લોકોને ગમે ત્‍યાં દીપડા, બચ્‍ચા સાથેનો દીપડાના પરિવારનો ભેટો થઈ જતો હોય છે. અને પશુઓ પર હુમલાના બનાવો પણ અવાર નવાર બનતા હોય છે.
આ દરમ્‍યાન ગતરાત્રે પીપલગભણ અને સોલધરા ગામની સીમમાં અંબામાતાના મંદિર નજીકના એસ.પી. નગર વિસ્‍તારમાં દીપડાનું બચ્‍ચું જોવા મળતા કોઈ પણ જાતની ગંભીરતા ન દાખવી કેટલાક સ્‍થાનિકો દ્વારા તેને ઊંચકી કબ્‍જો લઈ વન વિભાગને સોંપી દીધું હતું.
હકીકતમાં પોતાનું બચ્‍ચું વિખૂટું પડે અને ન મળે તેવા સંજોગોમાં તેની માતા દીપડી બેબાકળી બની એકદમ અગ્રેસીવ થઈ વિફરી પણ શકે અને તેવામાં જાનહાની પણ થઈ શકે. ઉપરોક્‍ત બાબતને વનવિભાગ દ્વારા ગંભીરતાથી લઈ અગમચેતીના ભાગરૂપે તાત્‍કાલિક અસરથી આરએફઓ આકાશભાઈપડશાલાની સૂચનાથી ફોરેસ્‍ટર હેતલબેન સહિતના સ્‍ટાફ દ્વારા સ્‍થાનિકો દ્વારા જ્‍યાંથી બચ્‍ચુંને ઊંચકવામાં અવાયું હતું. તે સ્‍થળે સલામત રીતે છોડી દેવામાં આવ્‍યું હતું.

આરએફઓ આકાશભાઈ પડશાલાના જણાવ્‍યાનુસાર પીપલગભણમાં રાત્રી દરમ્‍યાન જ દીપડાના બચ્‍ચાને જે તે સ્‍થળે છોડી દેવાયું હતું. પરંતુ કોઈપણ વ્‍યક્‍તિએ દીપડા કે તેના બચ્‍ચા સાથે છેડછાની કરવી જોઈએ નહીં અને આ રીતે બચ્‍ચા કે દીપડા જોવામાં આવે તો તરત જ વનવિભાગને જાણ કરવી.

Related posts

નશામુક્‍તિના ઉદ્દેશ્‍ય સાથે 6 હજાર કિમીની દોડ ઉપર નીકળેલા રૂપેશ મકવાણા વલસાડ પહોંચ્‍યા

vartmanpravah

દાનહ વન વિભાગે નરોલી રોડ પરથી પાસ પરમીટ વગર લાકડા લઈ જતો ટેમ્‍પો ઝડપી પાડયો

vartmanpravah

વાપી મોરાઈ ઈન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં આવેલ પેપર મિલ ભીષણ આગની લપેટમાં

vartmanpravah

ડીઆરઆઈએ ઉમરગામ જીઆઈડીસી ખાતે સિન્‍થેટિક સાયકોટ્રોપિક પદાર્થોના ઉત્‍પાદન સાથે સંકળાયેલા અન્‍યફેક્‍ટરી સેટઅપનો કરેલો પર્દાફાશ

vartmanpravah

દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના સ્‍મરણાર્થે દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલતી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહના અંતિમ દિવસે ‘‘કૃષ્‍ણ સુદામા ચરિત્ર”નું કરાયેલું વર્ણન

vartmanpravah

સેલવાસમાં જૈન સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી

vartmanpravah

Leave a Comment