April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ડીઆરઆઈએ ઉમરગામ જીઆઈડીસી ખાતે સિન્‍થેટિક સાયકોટ્રોપિક પદાર્થોના ઉત્‍પાદન સાથે સંકળાયેલા અન્‍યફેક્‍ટરી સેટઅપનો કરેલો પર્દાફાશ

ઉમરગામ જીઆઈડીસીની સૌરવ ક્રિએશન્‍સ નામની કંપનીમાંથી 17.3 કિલો મેફેડ્રોન મળી આવ્‍યોઃ ત્રણ વ્‍યક્‍તિઓની ધરપકડ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
અમદાવાદ, તા.૦૯:
ડીઆરઆઈ દ્વારા પ્રાપ્ત ચોક્કસ બાતમીના આધારે, ડીઆરઆઈ સુરત અને વાપીની ટીમોએ મંગળવારે 08.10.2024ના રોજ નાર્કોટિક્‍સ ડ્રગ્‍સ એન્‍ડ સાયકોટ્રોપિક સબસ્‍ટન્‍સ (એનડીપીએસ) એક્‍ટ, 1985 હેઠળ ગુજરાતના જીઆઈડીસી ઉંમરગામ અને દેહરી, વલસાડ જિલ્લાના વિવિધ સ્‍થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
મેફેડ્રોનના ગેરકાયદે ઉત્‍પાદન સાથે સંકળાયેલા મેસર્સ સૌરવ ક્રિએશન્‍સ નામની ઉંમરગામ જીઆઈડીસીમાં આવેલી ફેક્‍ટરી શોધી કાઢવામાં આવી હતી. વલસાડની ફોરેન્‍સિક સાયન્‍સ લેબની ટીમે ફેક્‍ટરીમાં મળી આવેલા શંકાસ્‍પદ સાયકોટ્રોપિક પદાર્થમાં મેફેડ્રોનની હાજરીની પુષ્ટિ કરી હતી. ફેક્‍ટરીમાંથી પ્રવાહી સ્‍વરૂપે કુલ 17.3 કિલો મેફેડ્રોન મળી આવ્‍યો હતો. આ ઓપરેશનમાં સીઆઈડી, ગુજરાતની નાર્કોટિક સેલની ટીમે મદદ કરી હતી.
યુનિટમાંથી જપ્ત કરાયેલા સાયકોટ્રોપિક પદાર્થની ગેરકાયદે બજાર કિંમત આશરે રૂા. 25 કરોડ હોવાનું જાણવા મળ્‍યું છે. એનડીપીએસ એક્‍ટ, 1985ની સંબંધિત જોગવાઈઓ હેઠળ તમામ જપ્ત કરાયેલા પદાર્થો જપ્ત કરવામાં આવ્‍યાછે.
એનડીપીએસ એક્‍ટ, 1985ની જોગવાઈઓ હેઠળ ત્રણ વ્‍યક્‍તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની વધુ તપાસ ચાલુ છે.
આ ઓપરેશન સિન્‍થેટીક દવાઓના વધતા ઉપયોગ અને આ દવાઓના ઉત્‍પાદનમાં ઔદ્યોગિક એકમોના દુરુપયોગ અને આવા રેકેટનો પર્દાફાશ કરવા માટે ડીઆરઆઈના સતત પ્રયાસો પર પ્રકાશ પાડે છે.

Related posts

વાપી બ્રહ્માકુમારી દ્વારા 8મી માર્ચથી ત્રી ત્રિદિવસ શિવ શક્‍તિ આધ્‍યાત્‍મિક મેળો યોજાશે

vartmanpravah

દમણ ખાતે લાઈવ કન્‍સર્ટમાં ભાગ લેવા આવેલ સુપ્રસિદ્ધ ગાયિકા શ્રેયા ઘોષાલે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ભારતના મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, નાણાંમંત્રી નિર્મલા સીતારમણ અને રક્ષામંત્રી રાજનાથ સિંઘની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

મહિલા પ્રસૂતી ગૃહના પાછળના ભાગે દર્દી સાથે ઘોર નિંદ્રામાં શ્વાન: ચીખલીની સબ જિલ્લા હોસ્પિટલની બેદરકારી ઉજાગર

vartmanpravah

બાળકોના કુપોષણને નાબૂદ કરવા સંઘપ્રદેશમાંથી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દમણવાડા ગ્રા.પં.ની તમામ આંગણવાડીમાં નોંધાયેલા કુપોષિત બાળકોની જવાબદારી લેતા નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવત

vartmanpravah

વાપી જી.આઈ.ડી.સી.માં પ્રથમવાર વિદેશની તર્જ પર કોબલ સ્‍ટોન રસ્‍તા બનશે

vartmanpravah

Leave a Comment