July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ડીઆરઆઈએ ઉમરગામ જીઆઈડીસી ખાતે સિન્‍થેટિક સાયકોટ્રોપિક પદાર્થોના ઉત્‍પાદન સાથે સંકળાયેલા અન્‍યફેક્‍ટરી સેટઅપનો કરેલો પર્દાફાશ

ઉમરગામ જીઆઈડીસીની સૌરવ ક્રિએશન્‍સ નામની કંપનીમાંથી 17.3 કિલો મેફેડ્રોન મળી આવ્‍યોઃ ત્રણ વ્‍યક્‍તિઓની ધરપકડ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
અમદાવાદ, તા.૦૯:
ડીઆરઆઈ દ્વારા પ્રાપ્ત ચોક્કસ બાતમીના આધારે, ડીઆરઆઈ સુરત અને વાપીની ટીમોએ મંગળવારે 08.10.2024ના રોજ નાર્કોટિક્‍સ ડ્રગ્‍સ એન્‍ડ સાયકોટ્રોપિક સબસ્‍ટન્‍સ (એનડીપીએસ) એક્‍ટ, 1985 હેઠળ ગુજરાતના જીઆઈડીસી ઉંમરગામ અને દેહરી, વલસાડ જિલ્લાના વિવિધ સ્‍થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
મેફેડ્રોનના ગેરકાયદે ઉત્‍પાદન સાથે સંકળાયેલા મેસર્સ સૌરવ ક્રિએશન્‍સ નામની ઉંમરગામ જીઆઈડીસીમાં આવેલી ફેક્‍ટરી શોધી કાઢવામાં આવી હતી. વલસાડની ફોરેન્‍સિક સાયન્‍સ લેબની ટીમે ફેક્‍ટરીમાં મળી આવેલા શંકાસ્‍પદ સાયકોટ્રોપિક પદાર્થમાં મેફેડ્રોનની હાજરીની પુષ્ટિ કરી હતી. ફેક્‍ટરીમાંથી પ્રવાહી સ્‍વરૂપે કુલ 17.3 કિલો મેફેડ્રોન મળી આવ્‍યો હતો. આ ઓપરેશનમાં સીઆઈડી, ગુજરાતની નાર્કોટિક સેલની ટીમે મદદ કરી હતી.
યુનિટમાંથી જપ્ત કરાયેલા સાયકોટ્રોપિક પદાર્થની ગેરકાયદે બજાર કિંમત આશરે રૂા. 25 કરોડ હોવાનું જાણવા મળ્‍યું છે. એનડીપીએસ એક્‍ટ, 1985ની સંબંધિત જોગવાઈઓ હેઠળ તમામ જપ્ત કરાયેલા પદાર્થો જપ્ત કરવામાં આવ્‍યાછે.
એનડીપીએસ એક્‍ટ, 1985ની જોગવાઈઓ હેઠળ ત્રણ વ્‍યક્‍તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની વધુ તપાસ ચાલુ છે.
આ ઓપરેશન સિન્‍થેટીક દવાઓના વધતા ઉપયોગ અને આ દવાઓના ઉત્‍પાદનમાં ઔદ્યોગિક એકમોના દુરુપયોગ અને આવા રેકેટનો પર્દાફાશ કરવા માટે ડીઆરઆઈના સતત પ્રયાસો પર પ્રકાશ પાડે છે.

Related posts

આજે વાપીમાં સામાજીક અને સરકારી સંસ્‍થાઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે

vartmanpravah

વાપી સેવાભાવી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્‍ટની આવકથી શૈક્ષણિક કીટ અપાશે

vartmanpravah

નરોલી બ્રાહ્મણ ફળીયામાં ‘‘ક્રાઇમ બ્રાન્‍ચમાંથી આવું છું” કહી બે વ્‍યક્‍તિ બંદુકની અણીએ ઘરમાંથી ચોરી કરી ફરાર થવાની બનેલી ઘટના

vartmanpravah

ભારત સરકારના કુદરતી ગેસ મંત્રાલય અને બાલ્‍મેર લોરીના સંયુક્‍ત પ્રયાસથી દાનહના સાયલી અને ખડોલી ગામોની 7પ વંચિત આદિવાસી મહિલાઓના સશક્‍તિકરણ માટે શરૂ થનારો આજીવિકા સંબંધિત પ્રોજેક્‍ટ

vartmanpravah

વંકાલ ગામે તળાવમાંથી કોઈ પણ મંજુરી વિના માટીનું મોટા પાયે ખોદકામ કરવા અંગે માજી સરપંચ દ્વારા જિલ્લા કલેકટર સહિત ઉચ્‍ચ અધિકારીઓને લેખિત રજૂઆત

vartmanpravah

કપરાડાના સુખાલા ગામે મધમાખીના ડંખ મારવાથી એક વ્‍યક્‍તિનું થયું મોત

vartmanpravah

Leave a Comment