Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જકાતનાકા-ફાટક રોડ ઉપર અતુલ સોસાયટી પાસે અંડરપાસ બનશે : કામગીરી માટે રોડ વન-વે થશે

આયુષ હોસ્‍પિટલથી નૂતનનગર થઈ ગુલઝાર ટ્રાવેલ્‍સ થઈ ફાટક સુધી જઈ શકાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી વિસ્‍તારમાં વિકાસ કાર્યો દિવાળી પછી ગતિમાં આવી ગયા છે. જેમાં જકાતનાકાથી ફાટક તરફ જતા રોડ ઉપર અતુલ સોસાયટી પાસે અંડરબ્રિજનો મહત્ત્વનો પ્રોજેક્‍ટ સાકાર થવા જઈ રહ્યો છે તેવો જ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્‍ટ વાપી ફલાય ઓવરબ્રિજ તથા જે ટાઈપ બ્રિજ વગેરે છે તેમાં અતુલ સોસાયટી અંડરપાસ જ્‍યુડીસી દ્વારા અમલીકરણ હેઠળ છે.
અતુલ સોસાયટી સામે બનવા જનારઅંડરપાસ માટે કામગીરી તા.04 ડિસેમ્‍બર 2023થી પ્રારંભ થનાર છે જે 31 જાન્‍યુઆરી 2024 સુધી ચાલશે. આ બે માસ દરમિયાન વન વેનો અમલ થનાર છે. વાપી ચોકી ફળીયાથી વલસાડ રોડ જોડતા રોડ ઉપર અતુલ સોસાયટી સામે અંડરપાસ બનાવા માટે ઉપરોક્‍ત સમયગાળા દરમિયાન વલસાડ રોડથી મધુવન એપાર્ટમેન્‍ટ, હિરલનયન એપાર્ટમેન્‍ટને લાગુ રસ્‍તાથી આયુષ હોસ્‍પિટલ રોડ પાસે ને.હા. નં.48 એક માર્ગીય વન-વે પર જઈ શકાશે. હાઈવેથી ફાટક આવવા માટે આયુષ હોસ્‍પિટલથી નૂતનનગરથી ગુલઝાર ટ્રાવેલ્‍સ થઈ રલવે ફાટક ઉપર આવી શકાશે. આ તમામ કામો અંગે થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ઉચ્‍ચ સ્‍તરીય મિટિંગ કરી હતી.

Related posts

વિશ્વ સાયકલ દિવસ” નિમિત્તે વલસાડમાં “ચલ સાયકલ ચલાવવા જઈએ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ફિરંગીઓની ગુલામીમાંથી દાદરા નગર હવેલીને મુક્‍ત કરનારા સ્‍વાતંત્ર્યવીરોની ત્‍યાગભાવનાને નજર સમક્ષ રાખીને આજની યુવાપેઢી આ આદર્શને ગ્રહણ કરે એ જ અભ્‍યર્થના

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રદેશ કમિટીની નવનિયુક્‍ત ટીમનું દમણ જિલ્લા ભાજપે કરેલું સ્‍વાગત

vartmanpravah

વલસાડની સેગવી હાઈસ્‍કૂલના મેદાન પર માનસિક દિવ્‍યાંગ બાળકોની રમત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દીવની મુલાકાતે

vartmanpravah

ચીખલીના સમરોલીમાં ફુલદેવી માતાના મંદિર સ્‍થિત નયનરમ્‍ય તળાવ

vartmanpravah

Leave a Comment