July 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જકાતનાકા-ફાટક રોડ ઉપર અતુલ સોસાયટી પાસે અંડરપાસ બનશે : કામગીરી માટે રોડ વન-વે થશે

આયુષ હોસ્‍પિટલથી નૂતનનગર થઈ ગુલઝાર ટ્રાવેલ્‍સ થઈ ફાટક સુધી જઈ શકાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી વિસ્‍તારમાં વિકાસ કાર્યો દિવાળી પછી ગતિમાં આવી ગયા છે. જેમાં જકાતનાકાથી ફાટક તરફ જતા રોડ ઉપર અતુલ સોસાયટી પાસે અંડરબ્રિજનો મહત્ત્વનો પ્રોજેક્‍ટ સાકાર થવા જઈ રહ્યો છે તેવો જ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્‍ટ વાપી ફલાય ઓવરબ્રિજ તથા જે ટાઈપ બ્રિજ વગેરે છે તેમાં અતુલ સોસાયટી અંડરપાસ જ્‍યુડીસી દ્વારા અમલીકરણ હેઠળ છે.
અતુલ સોસાયટી સામે બનવા જનારઅંડરપાસ માટે કામગીરી તા.04 ડિસેમ્‍બર 2023થી પ્રારંભ થનાર છે જે 31 જાન્‍યુઆરી 2024 સુધી ચાલશે. આ બે માસ દરમિયાન વન વેનો અમલ થનાર છે. વાપી ચોકી ફળીયાથી વલસાડ રોડ જોડતા રોડ ઉપર અતુલ સોસાયટી સામે અંડરપાસ બનાવા માટે ઉપરોક્‍ત સમયગાળા દરમિયાન વલસાડ રોડથી મધુવન એપાર્ટમેન્‍ટ, હિરલનયન એપાર્ટમેન્‍ટને લાગુ રસ્‍તાથી આયુષ હોસ્‍પિટલ રોડ પાસે ને.હા. નં.48 એક માર્ગીય વન-વે પર જઈ શકાશે. હાઈવેથી ફાટક આવવા માટે આયુષ હોસ્‍પિટલથી નૂતનનગરથી ગુલઝાર ટ્રાવેલ્‍સ થઈ રલવે ફાટક ઉપર આવી શકાશે. આ તમામ કામો અંગે થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ઉચ્‍ચ સ્‍તરીય મિટિંગ કરી હતી.

Related posts

બિનહરિફ ચૂંટાયેલી વી.આઈ.એ.ની ઈ.સી. કમિટી મે મહિનામાં ચાર્જ સંભાળશે : નવી ટીમની રચના કરાશે

vartmanpravah

સમગ્ર શિક્ષા વિભાગ દીવ દ્વારા ધો. 3 થીપના શિક્ષકો માટે ત્રિ-દિવસીય beyond basic તાલીમનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી ચલા દમણ રોડ ઉપર કાર્યરત લોકમેળાની વહિવટી તંત્રએ તપાસણી બાદ ચાલુ રાખવાની છૂટ આપી

vartmanpravah

વાપી નોટીફાઈડ બોર્ડની આગામી ટર્મની રચના જાહેર કરાઈ

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ અભિયાન અંતર્ગત ઉમંગભેર તિરંગા રેલી યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં વાહકજન્‍ય રોગ નિયંત્રણ માટે આરોગ્‍ય તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

Leave a Comment