Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જકાતનાકા-ફાટક રોડ ઉપર અતુલ સોસાયટી પાસે અંડરપાસ બનશે : કામગીરી માટે રોડ વન-વે થશે

આયુષ હોસ્‍પિટલથી નૂતનનગર થઈ ગુલઝાર ટ્રાવેલ્‍સ થઈ ફાટક સુધી જઈ શકાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી વિસ્‍તારમાં વિકાસ કાર્યો દિવાળી પછી ગતિમાં આવી ગયા છે. જેમાં જકાતનાકાથી ફાટક તરફ જતા રોડ ઉપર અતુલ સોસાયટી પાસે અંડરબ્રિજનો મહત્ત્વનો પ્રોજેક્‍ટ સાકાર થવા જઈ રહ્યો છે તેવો જ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્‍ટ વાપી ફલાય ઓવરબ્રિજ તથા જે ટાઈપ બ્રિજ વગેરે છે તેમાં અતુલ સોસાયટી અંડરપાસ જ્‍યુડીસી દ્વારા અમલીકરણ હેઠળ છે.
અતુલ સોસાયટી સામે બનવા જનારઅંડરપાસ માટે કામગીરી તા.04 ડિસેમ્‍બર 2023થી પ્રારંભ થનાર છે જે 31 જાન્‍યુઆરી 2024 સુધી ચાલશે. આ બે માસ દરમિયાન વન વેનો અમલ થનાર છે. વાપી ચોકી ફળીયાથી વલસાડ રોડ જોડતા રોડ ઉપર અતુલ સોસાયટી સામે અંડરપાસ બનાવા માટે ઉપરોક્‍ત સમયગાળા દરમિયાન વલસાડ રોડથી મધુવન એપાર્ટમેન્‍ટ, હિરલનયન એપાર્ટમેન્‍ટને લાગુ રસ્‍તાથી આયુષ હોસ્‍પિટલ રોડ પાસે ને.હા. નં.48 એક માર્ગીય વન-વે પર જઈ શકાશે. હાઈવેથી ફાટક આવવા માટે આયુષ હોસ્‍પિટલથી નૂતનનગરથી ગુલઝાર ટ્રાવેલ્‍સ થઈ રલવે ફાટક ઉપર આવી શકાશે. આ તમામ કામો અંગે થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ઉચ્‍ચ સ્‍તરીય મિટિંગ કરી હતી.

Related posts

દીવમાં કોરોનાના કેસ નોંધાતા કોરોના ગાઈડ લાઈનનું ચૂસ્‍તપણ પાલન કરવા આદેશ જારી

vartmanpravah

આજે નાણા-ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત સરકારનું બજેટ રજૂ કરશે

vartmanpravah

સંઘપ્રદેશમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ

vartmanpravah

વલસાડના પારનેરાની સાર્વજનિક માધ્‍યમિક શાળામાં કૌશલ્‍યોત્‍સવ સ્‍પર્ધા-2023 યોજાઈ

vartmanpravah

વાપી-વલસાડ રેલવે ટ્રેક ઉપર ગાય આવી જતા ‘વંદે ભારત’ ટ્રેનને વધુ એક અકસ્‍માત નડયો

vartmanpravah

વાપીના સૌથી જુના આર્કિટેક, એન્‍જિનિયર કન્‍સલટન્‍ટ નગીનભાઈ પટેલના અવસાનને લઈ શોકનો માહોલ

vartmanpravah

Leave a Comment