December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

દમણના ભામટી ગામ ખાતે સંત નિરંકારી મંડળનો વિશાળ સત્‍સંગ સમારંભ યોજાયો: વ્‍યાસપીઠ ઉપરથી સુરત ઝોનના ક્ષેત્રિય સંચાલક શૈલેષભાઈ સોલંકીએ આપેલા આશીર્વચન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : આજે મોટી દમણના ભામટી ખાતે શ્રી નારણભાઈ મિષાીના પટાંગણમાં સુરત ઝોનના ક્ષેત્રિય સંચાલક શ્રી શૈલેષભાઈ સોલંકીની અધ્‍યક્ષતામાં સંત નિરંકારી મંડળના વિશાળ સત્‍સંગ સમારંભનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મોટી સંખ્‍યામાં નિરંકારી ભાવિક ભક્‍તો જોડાયા હતા.
વ્‍યાસપીઠ ઉપરથી આશીર્વચન આપતાં સુરત ઝોનના ક્ષેત્રિય સંચાલક શ્રી શૈલેષભાઈ સોલંકીએ જણાવ્‍યું હતું કે, મનુષ્‍ય યોનીની સાર્થકતા પરબ્રહ્મ પરમાત્‍માને જાણવાની છે. તેમણે પોતાની ભાવવાહી વાણીમાં વિશ્વવિજેતા સમ્રાટ સિકંદરની જીંદગીના આખરી સમયનું દૃષ્‍ટાંત આપતાં જણાવ્‍યું હતું કે, છેલ્લે તેમને પણ ખાલી હાથે જવા પડયું હતું. તેથી પરમાત્‍માને સમજવાની ચાવી સત્‍સંગથી મળતી હોવાનું જણાવ્‍યું હતું.
ભામટી માહ્યાવંશી ફળિયા ખાતે આયોજીત સંત નિરંકારી મંડળના સત્‍સંગ સમારંભમાં અનુશાસન, ધીરજ, સમર્પણ વગેરે ભાવોથી પરબ્રહ્મ પરમાત્‍માના દર્શન પણ થતા દેખાયા હતા. ભક્‍તો અને પ્રભુ પ્રેમીઓ માટે પ્રીતિ ભોજનની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંત નિરંકારી મિશન સાથે સંકળાયેલા અનેક પ્રસિદ્ધ મહાત્‍માઓની ઉપસ્‍થિતિ રહી હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં નિરંકારી સેવા દળે અથાક પ્રયાસો કર્યા હતા. સંત નિરંકારી મંડળના દમણ બ્રાન્‍ચના મુખી શ્રી યોગેશ દમણિયાએ આભાર વિધિ આટોપી હતી.

Related posts

દમણના સચિવાલય સભાખંડમાં નગર રાજભાષા અને રાજભાષા કાર્યાન્‍વયન સમિતિની મળેલી સંયુક્‍ત બેઠક

vartmanpravah

દમણવાડા ગૃપ ગ્રામ પંચાયતમાં આયોજીત ગણેશ મહોત્‍સવ

vartmanpravah

દાનહઃ ખાનવેલના મામલતદારે ગેરકાયદેસર રીતે ઘઉંનો જથ્‍થો ભરેલ બે ટેમ્‍પોને ઝડપી પાડયા

vartmanpravah

વલસાડ પારડી ખાતે ‘‘પા પા પગલી” પ્રોજેક્‍ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ‘‘વાલીઓ સાથેનો સંવાદોત્‍સવ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં નવા શૈક્ષણિક સત્રથી પાંચ સરકારી શાળામાં શરૂ થશે સી.બી.એસ.ઈ.નું નવમું ધોરણ

vartmanpravah

વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં ‘‘એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે મહા શ્રમદાન પ્રવૃત્તિઓ હાથ ધરાઈ

vartmanpravah

Leave a Comment