October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

દમણના ભામટી ગામ ખાતે સંત નિરંકારી મંડળનો વિશાળ સત્‍સંગ સમારંભ યોજાયો: વ્‍યાસપીઠ ઉપરથી સુરત ઝોનના ક્ષેત્રિય સંચાલક શૈલેષભાઈ સોલંકીએ આપેલા આશીર્વચન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : આજે મોટી દમણના ભામટી ખાતે શ્રી નારણભાઈ મિષાીના પટાંગણમાં સુરત ઝોનના ક્ષેત્રિય સંચાલક શ્રી શૈલેષભાઈ સોલંકીની અધ્‍યક્ષતામાં સંત નિરંકારી મંડળના વિશાળ સત્‍સંગ સમારંભનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મોટી સંખ્‍યામાં નિરંકારી ભાવિક ભક્‍તો જોડાયા હતા.
વ્‍યાસપીઠ ઉપરથી આશીર્વચન આપતાં સુરત ઝોનના ક્ષેત્રિય સંચાલક શ્રી શૈલેષભાઈ સોલંકીએ જણાવ્‍યું હતું કે, મનુષ્‍ય યોનીની સાર્થકતા પરબ્રહ્મ પરમાત્‍માને જાણવાની છે. તેમણે પોતાની ભાવવાહી વાણીમાં વિશ્વવિજેતા સમ્રાટ સિકંદરની જીંદગીના આખરી સમયનું દૃષ્‍ટાંત આપતાં જણાવ્‍યું હતું કે, છેલ્લે તેમને પણ ખાલી હાથે જવા પડયું હતું. તેથી પરમાત્‍માને સમજવાની ચાવી સત્‍સંગથી મળતી હોવાનું જણાવ્‍યું હતું.
ભામટી માહ્યાવંશી ફળિયા ખાતે આયોજીત સંત નિરંકારી મંડળના સત્‍સંગ સમારંભમાં અનુશાસન, ધીરજ, સમર્પણ વગેરે ભાવોથી પરબ્રહ્મ પરમાત્‍માના દર્શન પણ થતા દેખાયા હતા. ભક્‍તો અને પ્રભુ પ્રેમીઓ માટે પ્રીતિ ભોજનની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંત નિરંકારી મિશન સાથે સંકળાયેલા અનેક પ્રસિદ્ધ મહાત્‍માઓની ઉપસ્‍થિતિ રહી હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં નિરંકારી સેવા દળે અથાક પ્રયાસો કર્યા હતા. સંત નિરંકારી મંડળના દમણ બ્રાન્‍ચના મુખી શ્રી યોગેશ દમણિયાએ આભાર વિધિ આટોપી હતી.

Related posts

આઝાદીના વર્ષો વીત્‍યાં પરંતુ નવ નિર્માણ માટે વલખાં: ચીખલી તાલુકાના દોણજા ગામે હાથીનગર સ્‍થિત કાવેરી નદી પરના લો-લેવલ ડુબાઉ કોઝ-વેના સ્‍થાને નવા પુલના નિર્માણની સ્‍થાનિકોમાં ઉઠેલી પ્રબળ માંગ

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને સીડીએસ સ્‍વ. બિપિન રાવતને અર્પેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

…અને સિનિયર સાંસદ હોવા છતાં મોહનભાઈ ડેલકરપોતાના જીવનપર્યંત કેન્‍દ્રિય મંત્રી નહીં બની શક્‍યા

vartmanpravah

પારડી બાલદા જીઆઇડીસીની એપોલો કંપનીમાં વાડ જ ચીભડા ગળે તેવી સ્‍થિતિ: કંપનીના બંને સુપર વાઈઝરો જ કંપનીનો તૈયાર માલ બારોબાર વેચતા ઝડપાયા

vartmanpravah

કરચોંડ જિલ્લા પંચાયતના સભ્‍ય ભગવાન બાતરીએ 120 કાર્યકર્તાઓ સાથે વિધાનસભા જોવા ગાંધીનગરની મુલાકાતે

vartmanpravah

ગુંદલાવ મેળામાં આવેલ વલસાડ પરિવારની કાર ઉપર અસામાજીકોએ પથ્‍થરમારો કર્યો

vartmanpravah

Leave a Comment