Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સોળસુંબા કદાવાડીમાં એક મકાનમાં લાગેલી આગ 

ઘરવખરી સહિત મકાન આગની લપેટમાં બળી જતા દીકરી અને પિતા નિસહાય બન્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.07: ઉમરગામ તાલુકાના સોળસુંબા ખાતે કદાવાડીમાં રહેતા એક ગરીબ પરિવારનું મકાનમાં આજરોજ આગ લાગતા બળીને ખાક થઈ જવા પામ્‍યો છે. આગ લાગવાની ઘટના સવારના સમયે બનવા પામી હતી. ઘરમાં રહેતા વૃદ્ધ પિતા અને દીકરી અનિતાબેન મોહનભાઈ દુબળા માટે ઉપર આભ અને નીચે ધરતી જેવી અતિ વિકટ પરિસ્‍થિતિનું નિર્માણ થવા પામ્‍યું છે. આ ઘટનાની જાણ થતાં સોળસુંબા પંચાયતનાં ઈન્‍ચાર્જ સરપંચ શ્રી કરસનભાઈ ભરવાડ તાત્‍કાલિક ઘટના સ્‍થળે આવી પહોંચ્‍યા હતા અને પરિવારને સાંત્‍વતા આપી પંચાયત તરફથી શકય તેટલી મદદ કરવાની ખાતરી આપી હતી. મકાનમાં રાખેલાકપડા અને અનાજ સહિત તમામ ઘરવખરી ખાક થઈ જવા પામી હતી. જેથી સરપંચ શ્રી કરસનભાઈ ભરવાડે તાત્‍કાલિક રૂપિયા 5000 ની એમના તરફથી સહાય પેટે આપ્‍યા હતા. આગ લાગવાનું લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ સવારના સમયે ઘરમાં રાખેલા મંદિર પાસે દીવો સળગાવી અનિતાબેન મોહનભાઈ દુબળા કંપનીમાં નોકરીમાં ગયા હતા. અને થોડા સમય પછી આગ લાગવાની ઘટના બનવા પામી હતી.

Related posts

‘‘નશામુક્‍ત ભારત અભિયાન” અંતર્ગત દમણ-દાનહ પોલીસે ચલાવેલી ‘‘નો ટોબેકો” ઝુંબેશ

vartmanpravah

દમણમાં ડેંગ્‍યુ અને વાયરલ ફિવરનો વધેલો પ્રકોપ : વાપી-વલસાડની હોસ્‍પિટલોમાં પણ સારવાર લઈ રહેલા ડેંગ્‍યુના દર્દીઓ

vartmanpravah

કોરોનાની પૂર્વ તૈયારીઃ વલસાડ જિલ્લાની સરકારી હોસ્‍પિટલોમાં આરોગ્‍ય સુવિધાની ચકાસણી માટે મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

વાપી ચાણોદ કોલોની મહાકાળી મંદિરે વસંત પંચમીએ સરસ્‍વતી પૂજાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ કચીગામના જર્જરિત ગાર્ડનમાં અઢી વર્ષિય બાળકીની શંકાસ્‍પદ હાલતમાં લાશ મળી આવી

vartmanpravah

દપાડાના એક મહિના પહેલા ગુમ થયેલ યુવાનની લાશ ખડોલીથી મળી

vartmanpravah

Leave a Comment