Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગોધરા એસીબીએ ધોડીપાડા ઉમરગામના નિવૃત્ત ફુડ સેફટી અધિકારી વિરૂધ્‍ધ અપ્રમાણસર મિલકત બદલ કેસ દાખલ કર્યો

આરોપી અશોકભાઈ લક્ષ્મણભાઈ પટેલ સામે રૂા.20.73 લાખની વધુ મિલકત અંગે ગુનો દાખલ કરાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: એસીબી સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ ઉમરગામ ધોડીપાડાના નિવૃત્ત સિનિયર ફુડ સેફટી ખોરાક ઓષધ નિયમન તંત્ર અધિકારી પાસે અપ્રમાણસરની રૂા.20,73,900 લાખની મિલકત ધરાવવા અંગે એસીબી ગોધરાએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ ઉમરગામ ધોડીપાડાના વતની અશોકભાઈ લક્ષ્મણભાઈ પટેલ (ઉ.વ.60) ફુડ એન્‍ડ ડ્રગ વિભાગ ગોધરા વર્ગ-2માં ફરજ બજાવી તા.31-5-2022ના રોજ નિવૃત્ત થયા હતા. હાલ રહે.શારદાધામ સોસાયટી મોગરાવાડી વલસાડએ તા.01-01-2002થી તા.31-12-2019 દરમિયાન કાયદેસરના આવકનાસાધનોમાંથી મેળવેલ આવક કરતા રૂપિયા રૂા.20,73,900 ની મિલકતો જાહેર સેવક તરીકે હોદ્દાનો દુરઉપયોગ કરી ધનવાન થવા માટે ગેરકાયદેસર રીત રસમો અપનાવી ભ્રષ્‍ટાચાર આચરી નાણા મેળવી સ્‍થાવર જંગમ મિલકતમાં રોકાણ કરેલ હોઈ અપ્રમાણસરનું રોકાણ જણાઈ આવતા નિયામક લાંચરૂશ્વત વિરોધી બ્‍યુરોના આદેશ અન્‍વયે પંચમહાલ ગોધરા દ્વારા એ.સી.બી. પો.સ્‍ટે. ગોધરાના પી.આઈ. જે.આર. ગામીતે ગુનો દાખલ કરેલ છે. હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. તપાસમાં હજુ વધુ અપ્રમાણસરની મિલકતો વધે તેવી શક્‍યતા છે.

Related posts

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મ જયંતીએ રન ફોર યુનિટી યોજાઈ

vartmanpravah

મંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ વાપી વીઆઈએ પ્રમુખ, મંત્રી અને બોર્ડ સભ્‍યો દ્વારા ગૃહ અને ખાણ વિભાગના મુખ્‍ય સચિવ સાથે વાપીમાં સીઈઆઈએફ પ્રોજેક્‍ટ હેઠળ પાણી વિતરણની યોજનાના આગામી પ્રોજેક્‍ટ વિષે ચર્ચા કરી

vartmanpravah

કપરાડા અંભેટી ગામે કંપનીમાં ફરજ બજાવતો સિક્‍યોરિટી ગાર્ડ ગન-જીવતા કારતૂસ સાથે ઝડપાયો

vartmanpravah

દાનહના વાસોણામાં ડી.જે.ના સામાન ચોરીના ગુનામાં બે આરોપીની દાનહ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

વલસાડ સહિત રાજ્યના જિ.પં.ના પ્રમુખોની નવી દિલ્હીમાં ગૃહમંત્રી અને સાંસદ સાથે મુલાકાત યોજાઈ

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા-સ્‍મૃતિ દિવસ’ નિમિતે મૌન રેલી યોજાઈ

vartmanpravah

Leave a Comment