October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગોધરા એસીબીએ ધોડીપાડા ઉમરગામના નિવૃત્ત ફુડ સેફટી અધિકારી વિરૂધ્‍ધ અપ્રમાણસર મિલકત બદલ કેસ દાખલ કર્યો

આરોપી અશોકભાઈ લક્ષ્મણભાઈ પટેલ સામે રૂા.20.73 લાખની વધુ મિલકત અંગે ગુનો દાખલ કરાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: એસીબી સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ ઉમરગામ ધોડીપાડાના નિવૃત્ત સિનિયર ફુડ સેફટી ખોરાક ઓષધ નિયમન તંત્ર અધિકારી પાસે અપ્રમાણસરની રૂા.20,73,900 લાખની મિલકત ધરાવવા અંગે એસીબી ગોધરાએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ ઉમરગામ ધોડીપાડાના વતની અશોકભાઈ લક્ષ્મણભાઈ પટેલ (ઉ.વ.60) ફુડ એન્‍ડ ડ્રગ વિભાગ ગોધરા વર્ગ-2માં ફરજ બજાવી તા.31-5-2022ના રોજ નિવૃત્ત થયા હતા. હાલ રહે.શારદાધામ સોસાયટી મોગરાવાડી વલસાડએ તા.01-01-2002થી તા.31-12-2019 દરમિયાન કાયદેસરના આવકનાસાધનોમાંથી મેળવેલ આવક કરતા રૂપિયા રૂા.20,73,900 ની મિલકતો જાહેર સેવક તરીકે હોદ્દાનો દુરઉપયોગ કરી ધનવાન થવા માટે ગેરકાયદેસર રીત રસમો અપનાવી ભ્રષ્‍ટાચાર આચરી નાણા મેળવી સ્‍થાવર જંગમ મિલકતમાં રોકાણ કરેલ હોઈ અપ્રમાણસરનું રોકાણ જણાઈ આવતા નિયામક લાંચરૂશ્વત વિરોધી બ્‍યુરોના આદેશ અન્‍વયે પંચમહાલ ગોધરા દ્વારા એ.સી.બી. પો.સ્‍ટે. ગોધરાના પી.આઈ. જે.આર. ગામીતે ગુનો દાખલ કરેલ છે. હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. તપાસમાં હજુ વધુ અપ્રમાણસરની મિલકતો વધે તેવી શક્‍યતા છે.

Related posts

અયોધ્‍યામાં શ્રી રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ સાથે સંઘપ્રદેશમાં સર્વત્ર શ્રી રામ નામનો શંખનાદ

vartmanpravah

દમણના મશાલ ચોક ખાતે ચાલી રહેલી રામલીલાને અપાયેલો વિરામ

vartmanpravah

ચીખલી-વાંઝણા ગામે મિલાપ કરતા સાપના જોડાને વાઈલ્‍ડ લાઈફના સભ્‍યો દ્વારા ઉગારી લેવાયા

vartmanpravah

‘એક ભારત, શ્રેષ્‍ઠ ભારત’ અભિયાન અંતર્ગત દમણમાં વિવિધ રાજ્‍યો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશોના સ્‍થાપના દિવસનું કરાયેલું આયોજન

vartmanpravah

ગૃહ રાજ્‍યમંત્રી હર્ષ સંઘવીએ ધરમપુર અને વલસાડ ખાતે ગણેશોત્‍સવના ગણેશ પંડાલોમાં ભગવાન શ્રી ગણેશના પૂજન-અર્ચન કરી ધન્‍યતા અનુભવી

vartmanpravah

વલસાડ મોગરાવાડીમાં ઝેરી દવા પી ને એક જ પરિવારના ચાર સભ્‍યોએ સામુહિક આપઘાતની કોશિષ કરી

vartmanpravah

Leave a Comment