December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સોળસુંબા કદાવાડીમાં એક મકાનમાં લાગેલી આગ 

ઘરવખરી સહિત મકાન આગની લપેટમાં બળી જતા દીકરી અને પિતા નિસહાય બન્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.07: ઉમરગામ તાલુકાના સોળસુંબા ખાતે કદાવાડીમાં રહેતા એક ગરીબ પરિવારનું મકાનમાં આજરોજ આગ લાગતા બળીને ખાક થઈ જવા પામ્‍યો છે. આગ લાગવાની ઘટના સવારના સમયે બનવા પામી હતી. ઘરમાં રહેતા વૃદ્ધ પિતા અને દીકરી અનિતાબેન મોહનભાઈ દુબળા માટે ઉપર આભ અને નીચે ધરતી જેવી અતિ વિકટ પરિસ્‍થિતિનું નિર્માણ થવા પામ્‍યું છે. આ ઘટનાની જાણ થતાં સોળસુંબા પંચાયતનાં ઈન્‍ચાર્જ સરપંચ શ્રી કરસનભાઈ ભરવાડ તાત્‍કાલિક ઘટના સ્‍થળે આવી પહોંચ્‍યા હતા અને પરિવારને સાંત્‍વતા આપી પંચાયત તરફથી શકય તેટલી મદદ કરવાની ખાતરી આપી હતી. મકાનમાં રાખેલાકપડા અને અનાજ સહિત તમામ ઘરવખરી ખાક થઈ જવા પામી હતી. જેથી સરપંચ શ્રી કરસનભાઈ ભરવાડે તાત્‍કાલિક રૂપિયા 5000 ની એમના તરફથી સહાય પેટે આપ્‍યા હતા. આગ લાગવાનું લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ સવારના સમયે ઘરમાં રાખેલા મંદિર પાસે દીવો સળગાવી અનિતાબેન મોહનભાઈ દુબળા કંપનીમાં નોકરીમાં ગયા હતા. અને થોડા સમય પછી આગ લાગવાની ઘટના બનવા પામી હતી.

Related posts

દીવ ખાતે લાખો રૂપિયાનો દારૂ પોલીસએ પકડી પાડયો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

vartmanpravah

મોટી દમણના ઝરી ખાતે રોંગ સાઈડથી પુરપાટ ઝડપે આવતી મિનિબસની અડફેટે આશાસ્‍પદ નવયુવાનનું મોત

vartmanpravah

પારડીની સંસ્‍કૃત મહાવિદ્યાલયમાં ગુજરાતી ભાષા ગૌરવ સંવર્ધનની એક દિવસીય કાર્યશાળા સંપન્ન

vartmanpravah

“આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસ”ની સિદ્ધિ દાનહ અને દમણ-દીવના 30 કરતા વધુ આદિવાસી વિદ્યાર્થીઓ આ વર્ષે M.B.B.S. ડૉક્‍ટર બની ચુક્‍યા છે

vartmanpravah

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને બાઇસેગના માધ્યમથી ‘પ્રાકૃતિક કૃષિ’ વિષય પર પરિસંવાદ યોજાયો

vartmanpravah

તાજેતરમાં વલસાડમાં આવેલ પૂર અસરગ્રસ્‍ત વિસ્‍તારમાં રિલાયન્‍સ ફાઉન્‍ડેશન, જિલ્લા આરોગ્‍ય વિભાગ વલસાડ અને રોટરી ક્‍લબ ઓફ વલસાડ, દ્વારા મેડીકલ કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment