Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સોળસુંબા કદાવાડીમાં એક મકાનમાં લાગેલી આગ 

ઘરવખરી સહિત મકાન આગની લપેટમાં બળી જતા દીકરી અને પિતા નિસહાય બન્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.07: ઉમરગામ તાલુકાના સોળસુંબા ખાતે કદાવાડીમાં રહેતા એક ગરીબ પરિવારનું મકાનમાં આજરોજ આગ લાગતા બળીને ખાક થઈ જવા પામ્‍યો છે. આગ લાગવાની ઘટના સવારના સમયે બનવા પામી હતી. ઘરમાં રહેતા વૃદ્ધ પિતા અને દીકરી અનિતાબેન મોહનભાઈ દુબળા માટે ઉપર આભ અને નીચે ધરતી જેવી અતિ વિકટ પરિસ્‍થિતિનું નિર્માણ થવા પામ્‍યું છે. આ ઘટનાની જાણ થતાં સોળસુંબા પંચાયતનાં ઈન્‍ચાર્જ સરપંચ શ્રી કરસનભાઈ ભરવાડ તાત્‍કાલિક ઘટના સ્‍થળે આવી પહોંચ્‍યા હતા અને પરિવારને સાંત્‍વતા આપી પંચાયત તરફથી શકય તેટલી મદદ કરવાની ખાતરી આપી હતી. મકાનમાં રાખેલાકપડા અને અનાજ સહિત તમામ ઘરવખરી ખાક થઈ જવા પામી હતી. જેથી સરપંચ શ્રી કરસનભાઈ ભરવાડે તાત્‍કાલિક રૂપિયા 5000 ની એમના તરફથી સહાય પેટે આપ્‍યા હતા. આગ લાગવાનું લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ સવારના સમયે ઘરમાં રાખેલા મંદિર પાસે દીવો સળગાવી અનિતાબેન મોહનભાઈ દુબળા કંપનીમાં નોકરીમાં ગયા હતા. અને થોડા સમય પછી આગ લાગવાની ઘટના બનવા પામી હતી.

Related posts

સંઘપ્રદેશમાં સામેલ કરવાના સૈધ્‍ધાંતિક નિર્ણય સાથે કપરાડા તાલુકાના મેઘવાળ ગામનું ઉઘડેલું ભાગ્‍ય

vartmanpravah

વલવાડા ખાતે મંત્રી કનુભાઈ દેસાઈએ શાળાની બિલ્‍ડીંગ અને હોલનું કરેલું લોકાર્પણ

vartmanpravah

વલસાડ ઘડોઈ ગામ આસપાસ વિસ્‍તારમાં દહેશત ફેલાવી રહેલો દિપડો અંતે પાંજરે પુરાયો

vartmanpravah

દીવ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે ક્‍વીઝ કોમ્‍પિટિશનનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લામાં CET અને જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

vartmanpravah

વલસાડમાં આંગણવાડી બહેનોએ પડતર માંગણીઓ માટે રેલી યોજી આઈ.સી.ડી.એસ.ને આવેદન પાઠવ્‍યુ

vartmanpravah

Leave a Comment