Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં કુલ 11201 કેસોનો નિકાલ, કુલ રૂ.13,74,88,539નું સમાધાન કરાયું

લગ્ન વિષયક તકરાર, જમીન સંપાદન વળતર, વીજબીલ અને ટ્રાફિક નિયમ ભંગના કેસો મહત્‍વના રહ્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: વલસાડ જિલ્લા અદાલત તેમજ તાબા હેઠળની તાલુકા અદાલતોમાં નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં અદાલતોમાં પેન્‍ડિંગ રહેલા સમાધાનપાત્ર કેસો જેવા કે, ક્રિમીનલ કંપાઉન્‍ડેબલ કેસો, ધી નેગોશીએબલ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ એક્‍ટ અન્‍વયેનાં (ચેક રિટર્નનાં) કેસો, લગ્ન વિષયક તકરારનાં કેસો, મોટર અકસ્‍માત વળતરને લગતાં કેસો, જમીન સંપાદન વળતરનાં કેસો, દિવાની દાવા જેવા કે ભાડા/ ભાડુઆતને લગતા કેસો, મનાઈ હુકમ-જાહેરાત-કરાર પાલન વિગેરે સંબધિતદાવા વિગેરે મળી કુલ-2132 કેસો લોક અદાલતનાં મુકવામાં આવ્‍યા હતા. સ્‍પેશ્‍યલ સીટીંગ ઓફ મેજીસ્‍ટ્રેટમાં ફક્‍ત દંડ ભરી નિકાલ થઈ શકે તેવા ફોજદારી કેસો કુલ 8287 કેસો મુકવામાં આવ્‍યા હતા. બેન્‍ક-ફાયનાન્‍સ કંપનીનાં વસુલાતનાં કેસો, વિજ બીલનાં વસુલાતનાં કેસો, ટેલિફોન-મોબાઈલ કંપનીઓનાં બિલનાં વસુલાતનાં કેસો તથા ટ્રાફિક નિયમ ભંગના ઈ-ચલણ વસુલાતનાં કેસો વિગેરે મળી કુલ-17,295 પ્રિ-લીટીગેશન કેસો લોક અદાલતમાં મુકવામાં આવ્‍યા હતા. જે પૈકી લોક અદાલતમાં સમાધાન પાત્ર પેન્‍ડિંગ કેસો કુલ-584 કેસો, સ્‍પેશ્‍યલ સીટીંગ કેસો કુલ-5943 અને પ્રિ-લીટીગેશનનાં કુલ-4674 મળી કુલ-11,201 કેસોનો નિકાલ કરવામાં આવ્‍યો હતો, આ કેસોમાં કુલ- રૂ.13,74,88,539/- નું સમાધાન કરવામાં આવ્‍યું હતું. આ લોક અદાલતમાં વલસાડ જિલ્લાનાં પક્ષકારો, તેમજ વકીલોએ ખુબ જ ઉત્‍સાહ પુર્વક ભાગ લઈ લોક અદાલતને સફળ બનાવી હતી.

Related posts

આજથી ધોરણ 10 અને 12ના ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ: દાનહમાં પરીક્ષા કેન્‍દ્રો નજીકની ઝેરોક્ષની દુકાનો/સેન્‍ટરો બંધ રાખવા જિલ્લા મેજીસ્‍ટ્રેટ ભાનુ પ્રભાનો આદેશ

vartmanpravah

પારડીના પરિયા ખાતે આવેલ એમએમટીઈ કંપનીમાં લાગી આગ

vartmanpravah

વલસાડ સિવિલમાંથી નવજાત શિશુની ચોરી : માત્ર બે કલાકમાં શિશુ ચોરનાર મહિલા પકડાઈ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા નિઃશુલ્‍ક 23મો મોતિયા ઓપરેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

રવિવારે જીએનએલયુ કેમ્‍પસ સેલવાસમાં નિઃશુલ્‍ક કોમન લૉ એડમિશન ટેસ્‍ટ ‘સીએલએટી’ માર્ગદર્શન શિબિર યોજાશે

vartmanpravah

આ તે કેવી ભક્‍તિ ? ઉત્‍સવ પૂર્ણ થાય બાદ શ્રીજીની દુર્દશા : ચીખલીમાં ગણેશજીની દસ દિવસ પૂજા-અર્ચના તો કરી પરંતુ વિસર્જન યોગ્‍ય ન કર્યું

vartmanpravah

Leave a Comment