April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં કુલ 11201 કેસોનો નિકાલ, કુલ રૂ.13,74,88,539નું સમાધાન કરાયું

લગ્ન વિષયક તકરાર, જમીન સંપાદન વળતર, વીજબીલ અને ટ્રાફિક નિયમ ભંગના કેસો મહત્‍વના રહ્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: વલસાડ જિલ્લા અદાલત તેમજ તાબા હેઠળની તાલુકા અદાલતોમાં નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં અદાલતોમાં પેન્‍ડિંગ રહેલા સમાધાનપાત્ર કેસો જેવા કે, ક્રિમીનલ કંપાઉન્‍ડેબલ કેસો, ધી નેગોશીએબલ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ એક્‍ટ અન્‍વયેનાં (ચેક રિટર્નનાં) કેસો, લગ્ન વિષયક તકરારનાં કેસો, મોટર અકસ્‍માત વળતરને લગતાં કેસો, જમીન સંપાદન વળતરનાં કેસો, દિવાની દાવા જેવા કે ભાડા/ ભાડુઆતને લગતા કેસો, મનાઈ હુકમ-જાહેરાત-કરાર પાલન વિગેરે સંબધિતદાવા વિગેરે મળી કુલ-2132 કેસો લોક અદાલતનાં મુકવામાં આવ્‍યા હતા. સ્‍પેશ્‍યલ સીટીંગ ઓફ મેજીસ્‍ટ્રેટમાં ફક્‍ત દંડ ભરી નિકાલ થઈ શકે તેવા ફોજદારી કેસો કુલ 8287 કેસો મુકવામાં આવ્‍યા હતા. બેન્‍ક-ફાયનાન્‍સ કંપનીનાં વસુલાતનાં કેસો, વિજ બીલનાં વસુલાતનાં કેસો, ટેલિફોન-મોબાઈલ કંપનીઓનાં બિલનાં વસુલાતનાં કેસો તથા ટ્રાફિક નિયમ ભંગના ઈ-ચલણ વસુલાતનાં કેસો વિગેરે મળી કુલ-17,295 પ્રિ-લીટીગેશન કેસો લોક અદાલતમાં મુકવામાં આવ્‍યા હતા. જે પૈકી લોક અદાલતમાં સમાધાન પાત્ર પેન્‍ડિંગ કેસો કુલ-584 કેસો, સ્‍પેશ્‍યલ સીટીંગ કેસો કુલ-5943 અને પ્રિ-લીટીગેશનનાં કુલ-4674 મળી કુલ-11,201 કેસોનો નિકાલ કરવામાં આવ્‍યો હતો, આ કેસોમાં કુલ- રૂ.13,74,88,539/- નું સમાધાન કરવામાં આવ્‍યું હતું. આ લોક અદાલતમાં વલસાડ જિલ્લાનાં પક્ષકારો, તેમજ વકીલોએ ખુબ જ ઉત્‍સાહ પુર્વક ભાગ લઈ લોક અદાલતને સફળ બનાવી હતી.

Related posts

બજરંગ દાસ બાપાના કળપા સેવક મનજી દાદાની ડાંગમાં પ્રાર્થના સભા યોજાઈ

vartmanpravah

સેલવાસમાં બે સ્‍થળોએ બનેલી આગની ઘટના સેલવાસની એકદંત સોસાયટીની દુકાનમાં ભડકી ઉઠેલી આગ જ્‍યારે અથોલા ગામમાં એક ભંગારના ગોડાઉનમાં જમીન માલિકે લગાવેલી આગ

vartmanpravah

મોટી દમણના જંપોર ખાતે જ્ઞાનધારા શિક્ષા પ્રચારક પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું

vartmanpravah

દાનહ અને દમણ-દીવનું ગૌરવ જૈનિકસોલંકીનું સૌરાષ્‍ટ્રની અંડર-25ની જુનિયર રણજી ટીમમાં (ફર્સ્‍ટ ક્‍લાસ ક્રિકેટ) માં પસંદગી

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’નું સંઘપ્રદેશમાં લગભગ દરેક બુથમાં નિહાળાયું જીવંત પ્રસારણ

vartmanpravah

વલસાડના પારનેરામાં રામ નવમી નિમિત્તે નિકળેલી ભવ્‍ય શોભાયાત્રા

vartmanpravah

Leave a Comment