April 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રાષ્ટ્રીય ભાજપ મહિલા મોરચાના પ્રમુખ વનાથી શ્રીનિવાસના માર્ગદર્શનમાં નોર્થ ગોવામાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની ઝોનલ મિટિંગ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પણજી, તા.13 : રાષ્ટ્રીયભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી વનાથી શ્રીનિવાસના માર્ગદર્શનમાં નોર્થ ગોવામાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની ઝોનલ બેઠક યોજાઈ હતી. જેમાં આઉટરિચ પ્રોગ્રામ અંતર્ગત રાષ્‍ટ્રીય મહિલા મોરચા ટીમમાં વિવિધ વિભાગો જેવા કે વિમેન્‍સ લીડર, વિમેન્‍સ રાઇટર એન્‍ડ જર્નાલિસ્‍ટ, વિમેન્‍સ સપોર્ટ પર્સન, યુવતી સંમેલન વગેરે જેવી સ્‍પેશિયલ સમિતિની રચના કરવામાં આવી હતી અને એમના પ્રભારીઓની નિયુક્‍તિ કરવામાં આવી હતી. સમિતિના પ્રભારી અને સહ પ્રભારીઓને તેમની કામગીરી અંગે વિસ્‍તૃત માહિતી પુરી પાડવા માટે ઝોનલ મુજબ વિવિધ ક્ષેત્રોમાં બેઠકોનું આયોજન કરવા રાષ્ટ્રીય મહિલા મોરચા દ્વારા જણાવાયું હતું.
વેસ્‍ટ ઝોનલમાં સામેલ પાંચ પ્રદેશ જેમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ, મુંબઈ, મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવાના દરેક મહિલા મોરચા પ્રદેશ અધ્‍યક્ષા, મહામંત્રી અને દરેક સમિતિના પ્રભારીઓની સ્‍પેશિયલ આઉટરીચ ઝોનલ પ્રોગ્રામ મિટિંગનું આયોજન નોર્થ ગોવામાં કરવામાં આવ્‍યું હતું. આ બેઠકમાં ગોવાના મુખ્‍યમંત્રી ડો. પ્રમોદ સાવંત ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. તેમણે ઉપસ્‍થિત તમામ મહિલાઓને પ્રધાનમંત્રીશ્રીની દરેક યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ ઝોનલ મિટિંગમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી સિંપલ કાટેલા,મહામંત્રી શ્રીમતી દિપાલી શાહ, સ્‍પેશિયલ પ્રોગ્રામ પ્રભારી તરીકે ડો. પ્રેમિલા ઉપાધ્‍યાય, શ્રીમતી નિશા ભવર, શ્રીમતી અમિતા દેસાઈ અને શ્રીમતી જ્‍યોતિ જોશી સહીત મહિલા મોરચાના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સાવધાન…: દમણમાં લાંબા અરસાના વિરામ બાદ ફરી કોરોનાની એન્‍ટ્રીઃ 4 પોઝિટિવ

vartmanpravah

એક મહિના પહેલાં વલસાડ માલવણમાં ડિકમ્‍પોઝ હાલતમાં મળેલી મહિલાની લાશનો હત્‍યાનો ભેદ ખુલ્‍યો

vartmanpravah

વાપી વી.આઈ.એ.ના બંધારણમાં અચાનક સુધારો કરવા તા.30 માર્ચના રોજ ખાસ એ.જી.એમ. યોજાશે

vartmanpravah

દાનહમાં 08 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

દાનહઃ એક ખાનગી શાળાની સગીર વિદ્યાર્થીની સાથે થયેલ દુષ્‍કર્મ મામલે સાંસદ કલાબેન ડેલકરના પ્રતિનિધિ મંડળે એસ.પી.ને પાઠવેલું આવેદનપત્ર

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસ તથા કાર્યકાળના સાત વર્ષ પૂર્ણ થતાં સેલવાસ ન.પા.ના પૂર્વ અધ્‍યક્ષ અને પ્રદેશ ભાજપના કદાવર નેતા રાકેશસિંહ ચૌહાણે ન.પા.માં કાર્યરત કર્મચારીઓને ધાબળા અને શ્રમપ્રસાદનું કરેલું વિતરણ

vartmanpravah

Leave a Comment