December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રાષ્ટ્રીય ભાજપ મહિલા મોરચાના પ્રમુખ વનાથી શ્રીનિવાસના માર્ગદર્શનમાં નોર્થ ગોવામાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની ઝોનલ મિટિંગ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પણજી, તા.13 : રાષ્ટ્રીયભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી વનાથી શ્રીનિવાસના માર્ગદર્શનમાં નોર્થ ગોવામાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની ઝોનલ બેઠક યોજાઈ હતી. જેમાં આઉટરિચ પ્રોગ્રામ અંતર્ગત રાષ્‍ટ્રીય મહિલા મોરચા ટીમમાં વિવિધ વિભાગો જેવા કે વિમેન્‍સ લીડર, વિમેન્‍સ રાઇટર એન્‍ડ જર્નાલિસ્‍ટ, વિમેન્‍સ સપોર્ટ પર્સન, યુવતી સંમેલન વગેરે જેવી સ્‍પેશિયલ સમિતિની રચના કરવામાં આવી હતી અને એમના પ્રભારીઓની નિયુક્‍તિ કરવામાં આવી હતી. સમિતિના પ્રભારી અને સહ પ્રભારીઓને તેમની કામગીરી અંગે વિસ્‍તૃત માહિતી પુરી પાડવા માટે ઝોનલ મુજબ વિવિધ ક્ષેત્રોમાં બેઠકોનું આયોજન કરવા રાષ્ટ્રીય મહિલા મોરચા દ્વારા જણાવાયું હતું.
વેસ્‍ટ ઝોનલમાં સામેલ પાંચ પ્રદેશ જેમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ, મુંબઈ, મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવાના દરેક મહિલા મોરચા પ્રદેશ અધ્‍યક્ષા, મહામંત્રી અને દરેક સમિતિના પ્રભારીઓની સ્‍પેશિયલ આઉટરીચ ઝોનલ પ્રોગ્રામ મિટિંગનું આયોજન નોર્થ ગોવામાં કરવામાં આવ્‍યું હતું. આ બેઠકમાં ગોવાના મુખ્‍યમંત્રી ડો. પ્રમોદ સાવંત ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. તેમણે ઉપસ્‍થિત તમામ મહિલાઓને પ્રધાનમંત્રીશ્રીની દરેક યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ ઝોનલ મિટિંગમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી સિંપલ કાટેલા,મહામંત્રી શ્રીમતી દિપાલી શાહ, સ્‍પેશિયલ પ્રોગ્રામ પ્રભારી તરીકે ડો. પ્રેમિલા ઉપાધ્‍યાય, શ્રીમતી નિશા ભવર, શ્રીમતી અમિતા દેસાઈ અને શ્રીમતી જ્‍યોતિ જોશી સહીત મહિલા મોરચાના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડમાં રાજ્‍યકક્ષાની સાગરખેડૂ સાયકલ રેલી આગામી સપ્‍ટેમ્‍બર માસમાં યોજાશે

vartmanpravah

મોદી સરકારના 10 વર્ષના એક દાયકામાં દાનહ અને દમણ-દીવે સલામત બનાવેલું પોતાનું 30 વર્ષનું ભવિષ્‍ય

vartmanpravah

દમણ દાભેલના આંટિયાવાડ તળાવની પાળ ઉપર ન્‍યૂટ્રલમાં ઉભેલી રીક્ષા પાણીમાં ડૂબતાં બહાર કાઢવા ફાયર વિભાગે કરેલી અથાક મહેનત

vartmanpravah

મોકલસર ના કચ્‍છવાહ પરિવાર અને શક્‍તિ ગ્રૂપ દ્વારા વાપીમાં ચણોદ સ્‍થિત રાજસ્‍થાન ભવનમાં વિશાળ રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

વાપીમાં પંડિત શ્‍યામજી કૃષ્‍ણા વર્માની પ્રતિમાનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે અનાવરણ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલા સ્‍વાગત કાર્યક્રમમાં 33 પૈકી 30 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

Leave a Comment