October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં નશાકારક દવાના દુરુપયોગ અટકાવવા માટેનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: નશાકારક દવાઓના દુર-ઉપયોગને અટકાવવા માટેનો જન-જાગૃતિ કાર્યક્રમ ગઈ તા.23-12-2023ના રોજ હોટલ રોયલસેલ્‍ટર ખાતે આયોજીત થયો હતો. આ જાગૃતિ કાર્યક્રમનું આયોજન વાપી કેમિસ્‍ટ અને ડ્રગીસ્‍ટ એસોસિએશન તરફથી કરવામાં આવ્‍યું હતું. જેમાં વાપી શહેર, વાપી ગ્રામ્‍ય, ઉમરગામ, સરીગામ, ભીલાડ અને ઉદવાડાના કેમિસ્‍ટ એન્‍ડ ડ્રગીસ્‍ટ વેપારીગણ હાજર રહ્યા હતા. આ જાગૃતિ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્રનાં મદદનીશ કમિશ્‍નર ડો.એ.એચ. ઝાલા, નશાબંધી વિભાગનાં પોલીસ સબ ઈન્‍સ્‍પેક્‍ટરશ્રી ડોડીયા, એસ.ઓ.જી. પોલીસ સબ ઈન્‍સ્‍પેક્‍ટર શ્રી રાઠોડ તથા અન્‍ય અધિકારી હાજર રહ્યા હતા. તેઓએ નશા-મુક્‍ત-ભારત અભિયાન હેઠળ, દવાઓનો દુરઉપયોગ ન થાય તે હેતુથી ઉંડાણપૂર્વક સમજ-સલાહ આપી નશા-મુક્‍ત-ભારત અભિયાન હેઠળ વાપી કેમિસ્‍ટ અને ડ્રગીસ્‍ટ એસોસિએશનનાં હોદ્દેદારો અને સભ્‍યોએ સાથ-સહકારથી નશાનું દુષણ ડામી દેવા તત્‍પર રહેશે તેવી બાહેંધરી વ્‍યક્‍ત કરી હતી.

Related posts

દેગામમાં પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીના હસ્‍તે સ્‍મશાનગૃહનું ખાતમુહૂર્ત સંપન્ન

vartmanpravah

ઉમરકૂઈ ગામે કંપનીમાંથી ચોરી કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ

vartmanpravah

વલસાડ જિ.પં. શિક્ષણ સમિતિ ચેરમેન ભાજપના સભ્‍ય નિર્મળાબેન જાદવનો રાજીનામા બાદ રદીયો : કોંગ્રેસમાં જોડાઈ નથી

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 દમણમાં 2004ના 3જી ઓગસ્‍ટે આવેલા ભયાનક પૂરથી સત્તાના કાંગરા ખરવાની શરૂઆત થઈ હતી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી 22મી ફેબ્રુઆરીએ નવસારી જિલ્લાની મુલાકાતે

vartmanpravah

વાપી વસાહતના વિવિધ પડતર પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ સાથે કેબીનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ કરેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment