(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.24: નશાકારક દવાઓના દુર-ઉપયોગને અટકાવવા માટેનો જન-જાગૃતિ કાર્યક્રમ ગઈ તા.23-12-2023ના રોજ હોટલ રોયલસેલ્ટર ખાતે આયોજીત થયો હતો. આ જાગૃતિ કાર્યક્રમનું આયોજન વાપી કેમિસ્ટ અને ડ્રગીસ્ટ એસોસિએશન તરફથી કરવામાં આવ્યું હતું. જેમાં વાપી શહેર, વાપી ગ્રામ્ય, ઉમરગામ, સરીગામ, ભીલાડ અને ઉદવાડાના કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ વેપારીગણ હાજર રહ્યા હતા. આ જાગૃતિ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્રનાં મદદનીશ કમિશ્નર ડો.એ.એચ. ઝાલા, નશાબંધી વિભાગનાં પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી ડોડીયા, એસ.ઓ.જી. પોલીસ સબ ઈન્સ્પેક્ટર શ્રી રાઠોડ તથા અન્ય અધિકારી હાજર રહ્યા હતા. તેઓએ નશા-મુક્ત-ભારત અભિયાન હેઠળ, દવાઓનો દુરઉપયોગ ન થાય તે હેતુથી ઉંડાણપૂર્વક સમજ-સલાહ આપી નશા-મુક્ત-ભારત અભિયાન હેઠળ વાપી કેમિસ્ટ અને ડ્રગીસ્ટ એસોસિએશનનાં હોદ્દેદારો અને સભ્યોએ સાથ-સહકારથી નશાનું દુષણ ડામી દેવા તત્પર રહેશે તેવી બાહેંધરી વ્યક્ત કરી હતી.