December 2, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારીની નિરાલી કેન્‍સર હોસ્‍પિટલમાં ગાયનેકોલોજી અને ઓબ્‍સ્‍ટેટ્રિક્‍સ વિભાગનો શુભારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.02: નવસારી સ્‍થિત ગ્રીડ ખાતે નેશનલ નંબર 8 પર આવેલ નિરાલી હોસ્‍પિટલ કેન્‍સરની સારવાર માટે જાણીતી છે. 18/12/2023ને સોમવારના રોજ ગાયનેકોલોજી અને ઓબ્‍સ્‍ટેટ્રિક્‍સનો વિભાગ નિરાલી કેન્‍સર હોસ્‍પિટલ ખાતે શરૂ થયો છે. ગાયનેકોલોજી અને ઓબ્‍સ્‍ટેટ્રિક્‍સનો વિભાગ પરિપૂર્ણ રીતે મોડર્ન અને એડવાન્‍સ ટેકનોલોજીથી ભરપૂર છે અને સંપૂર્ણ વર્ગને ઉપચાર કરવા માટે સક્ષમ છે. નિરાલી હોસ્‍પિટલે અપાર સમયમાં વિશ્વ સર્વોત્તમ ચિકિત્‍સા અને ઉપચારનું નામ કર્યું છે. ગાયનેકોલોજી એન્‍ડ ઓબ્‍સ્‍ટેટ્રિક્‍સનો વિભાગ 24×7 ઉપલબ્‍ધ ગાયનેકોલોજિસ્‍ટ અને ઓબ્‍સ્‍ટેટ્રીશિયન્‍સ ટીમ છે. નિરાલી હોસ્‍પિટલની ટીમમાં ડૉ. નીલમ સોલંકી અને ડૉ. જૂહી દેસાઇ અનુભવી ગાયનેકોલોજિસ્‍ટ અને ઓબ્‍સ્‍ટેટ્રિક્‍સ છે. બન્ને અભ્‍યાસુ ડોકટર દ્વારા ઉદ્ધાટન નિમિતે સરસ માહિતીસભર માહિતી આપવામાં આવી હતી. ગાયનેકોલોજી અને ઓબ્‍સ્‍ટેટ્રિક્‍સ વિભાગમાં,સ્ત્રીઓના સંબંધિત બધા ઉપચારો, ડિલિવરી, લેપ્રોસ્‍કોપિક ગાયનેકોલોજી પ્રક્રિયાઓ, ટિકાકરણ સુવિધાઓ, ફત્‍ઘ્‍શ્‍ત અને ભ્‍ત્‍ઘ્‍શ્‍ત, અને બધા વિશેષજ્ઞતાઓ એક છત હેઠળ નિરાલી હોસ્‍પિટલના ઘ્‍ચ્‍બ્‍,કમાંડર જેલ્‍સન કાવલક્કટ, કહ્યું છે કે અમે શ્રેષ્ઠ ગુણવત્તામાં ઉચ્‍ચ માનમાં વધુ સારવાર પ્રદાન કરવામાં પ્રતિબદ્ધ છીએ. નવસારીની નિરાલી હોસ્‍પિટલમાં આયુષ્‍માન ભારત અને મા કાર્ડ યોજના સુવિધાઓ ટૂંકા સમયમાં ઉપલબ્‍ધ છે. નવા વિભાગના ઉદ્‌ઘાટન સમારોહમાં નવસારીની વિવિધ સંસ્‍થાની મહિલાઓ, પ્રતિષ્ઠિત ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો અથાક પરિશ્રમ : નવા લક્ષદ્વીપના નિર્માણનો જયઘોષ: કડમત ટાપુ ખાતે સી.યુ.સી., નિઓટ, વેસ્‍ટર્ન જેટી, નર્સરી સ્‍કૂલ અને એસ.બી.એસ. સેન્‍ટર જેવા વિસ્‍તારોની મુલાકાત અને ગુણવત્તા સાથે નિર્ધારીત સમયમર્યાદામાં કાર્યપૂર્ણ કરવા અધિકારીઓને દિશા-નિર્દેશ

vartmanpravah

વાપી નગરપાલિકા ચૂંટણીમાં 15602 નવા નોંધાયેલા યુવા મતદારો નિર્ણાયક સાબિત થશે

vartmanpravah

NCTEએ શૈક્ષણિક સત્ર 2021-22 અને 2022-23 માટે શિક્ષક શિક્ષણ સંસ્થાઓના પ્રદર્શન મૂલ્યાંકન અહેવાલ સબમિટ કરવા માટે નોટિસ બહાર પાડી

vartmanpravah

ચીખલીમાં ટ્રક ચાલકે માનવતા મહેકાવી રસ્‍તામાંથી મળેલ પર્સ વિઝીટિંગ કાર્ડના આધારે સંપર્ક કરી માલિકને પરત કર્યું

vartmanpravah

આજે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે પી.એમ. સૂરજ પોર્ટલ સહિત અનેકવિધ યોજનાઓનું ઈ-લોન્‍ચિંગ કરાશે

vartmanpravah

કેન્‍દ્રિય રાજ્‍ય મંત્રી(આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય) કૌશલ કિશોરની ઉપસ્‍થિતિમાં દાનહ જિ.પં. અને સેલવાસ ન.પા. દ્વારા આયોજીત લાભાર્થી સંમેલન સંપન્નઃ લાભાર્થીઓને ચેક અને કિટનું કરાયેલું વિતરણ

vartmanpravah

Leave a Comment