September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારીની નિરાલી કેન્‍સર હોસ્‍પિટલમાં ગાયનેકોલોજી અને ઓબ્‍સ્‍ટેટ્રિક્‍સ વિભાગનો શુભારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.02: નવસારી સ્‍થિત ગ્રીડ ખાતે નેશનલ નંબર 8 પર આવેલ નિરાલી હોસ્‍પિટલ કેન્‍સરની સારવાર માટે જાણીતી છે. 18/12/2023ને સોમવારના રોજ ગાયનેકોલોજી અને ઓબ્‍સ્‍ટેટ્રિક્‍સનો વિભાગ નિરાલી કેન્‍સર હોસ્‍પિટલ ખાતે શરૂ થયો છે. ગાયનેકોલોજી અને ઓબ્‍સ્‍ટેટ્રિક્‍સનો વિભાગ પરિપૂર્ણ રીતે મોડર્ન અને એડવાન્‍સ ટેકનોલોજીથી ભરપૂર છે અને સંપૂર્ણ વર્ગને ઉપચાર કરવા માટે સક્ષમ છે. નિરાલી હોસ્‍પિટલે અપાર સમયમાં વિશ્વ સર્વોત્તમ ચિકિત્‍સા અને ઉપચારનું નામ કર્યું છે. ગાયનેકોલોજી એન્‍ડ ઓબ્‍સ્‍ટેટ્રિક્‍સનો વિભાગ 24×7 ઉપલબ્‍ધ ગાયનેકોલોજિસ્‍ટ અને ઓબ્‍સ્‍ટેટ્રીશિયન્‍સ ટીમ છે. નિરાલી હોસ્‍પિટલની ટીમમાં ડૉ. નીલમ સોલંકી અને ડૉ. જૂહી દેસાઇ અનુભવી ગાયનેકોલોજિસ્‍ટ અને ઓબ્‍સ્‍ટેટ્રિક્‍સ છે. બન્ને અભ્‍યાસુ ડોકટર દ્વારા ઉદ્ધાટન નિમિતે સરસ માહિતીસભર માહિતી આપવામાં આવી હતી. ગાયનેકોલોજી અને ઓબ્‍સ્‍ટેટ્રિક્‍સ વિભાગમાં,સ્ત્રીઓના સંબંધિત બધા ઉપચારો, ડિલિવરી, લેપ્રોસ્‍કોપિક ગાયનેકોલોજી પ્રક્રિયાઓ, ટિકાકરણ સુવિધાઓ, ફત્‍ઘ્‍શ્‍ત અને ભ્‍ત્‍ઘ્‍શ્‍ત, અને બધા વિશેષજ્ઞતાઓ એક છત હેઠળ નિરાલી હોસ્‍પિટલના ઘ્‍ચ્‍બ્‍,કમાંડર જેલ્‍સન કાવલક્કટ, કહ્યું છે કે અમે શ્રેષ્ઠ ગુણવત્તામાં ઉચ્‍ચ માનમાં વધુ સારવાર પ્રદાન કરવામાં પ્રતિબદ્ધ છીએ. નવસારીની નિરાલી હોસ્‍પિટલમાં આયુષ્‍માન ભારત અને મા કાર્ડ યોજના સુવિધાઓ ટૂંકા સમયમાં ઉપલબ્‍ધ છે. નવા વિભાગના ઉદ્‌ઘાટન સમારોહમાં નવસારીની વિવિધ સંસ્‍થાની મહિલાઓ, પ્રતિષ્ઠિત ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

મેન્‍ટલ ફ્રી સોસાયટી બનાવવી હોય તો રિયાલિસ્‍ટિક રહેવું જરૂરીઃ દમણ જિલ્લા અને સત્ર ન્‍યાયાધીશ શ્રીધર એમ. ભોસલે

vartmanpravah

સેલવાસ ઝંડાચોક શાળા નજીક સ્‍કૂલવાન અને ઇલેક્‍ટ્રીક બસના સ્‍ટોપેજના કારણે વારંવાર સર્જાતી ટ્રાફિકજામની સમસ્‍યા

vartmanpravah

વાપી જીપીસીબીએ આગના બનાવો રોકવા કરવડ, ડુંગરા પંચાયત અને પાલિકા પાસે ગોડાઉનો પરવાનગી અંગેની નકલો મંગાવી

vartmanpravah

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલના નેતૃત્‍વમાં રીંગણવાડા સ્‍કૂલ ખાતે કરાયેલું વૃક્ષારોપણ

vartmanpravah

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વીરભદ્રસિંહજીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

vartmanpravah

નવસારીના વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકાઓમાં સ્‍વાગત કાર્યક્રમો યોજાયા

vartmanpravah

Leave a Comment