Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં સ્‍વચ્‍છતા અને પાણી બાબતે નિયમોનું પાલન નહીં કરનારાઓને ચેતવણી આપવા લાઉડ સ્‍પીકરવાળી રીક્ષા ફેરવાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ),તા.20: ચીખલી ગ્રામ પંચાયત દ્વારા જાહેર નોટિસ અને સ્‍પીકરવાળી રિક્ષા ગામમાં ફેરવી સ્‍વચ્‍છતા તથા પાણી બાબતે નિયમોનું પાલન ન કરનારા સામે શિક્ષાત્‍મક પગલા લેવાની ચેતવણી આપવામાં આવી છે.
હાલે નવસારીના સાંસદ સી.આર.પાટીલ દ્વારા સ્‍વચ્‍છતા નવસારી જવાબદારી અમારી અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ચીખલી ગ્રામ પંચાયત દ્વારા ઘરનો કે દુકાનનો કચરો કચરા પેટીમાં રાખે અને ગ્રામ પંચાયતનું વાહન આવે ત્‍યારે તેમાં કચરો આપી તેનો નિકાલ કરે અને જાહેર જગ્‍યા પર કચરો નાંખતા કોઈ ગ્રામવાસી માલુમ પડશે તો તેના પર શિક્ષાત્‍મક કાર્યવાહી કરી પંચાયત દ્વારા દંડ વસુલવામાં આવશે.
આ ઉપરાંત નલ સે જલ યોજનાથી તમામને પાણી મળી રહે તે માટે ગ્રામ પંચાયત દ્વારા ચકાસણી કરતા ઘણા બધાના ઘરોમાં ગ્રામ પંચાયતના નળ કનેક્‍શનમાં મોટરો જોડેલ છે. આવા સંજોગોમાં અમુક વિસ્‍તારમાં પાણી પહોંચતું નથી. આ ઉપરાંત રસ્‍તા પર પાણી છાંટી વાહનો ધોવામાં ઉપયોગ કરી પાણીનો દૂર ઉપયોગ કરવામાં આવી રહેલ હોવાનું પણ ધ્‍યાનમાં આવેલ છે. આ સમગ્ર બાબતે ગ્રામ પંચાયત દ્વારા અભિયાન ચલાવી ગ્રામ પંચાયતના નળ કનેક્‍શન સાથે મોટર જોડેલી હોવાનું માલુમ પડશે તો તે વ્‍યક્‍તિની મોટર જપ્ત કરી તેનાઘરનું નળ જોડાણ અને ભૂગર્ભ ગટરનું જોડાણ કાપી નાંખવામાં આવશે.
ચીખલી ગ્રામ પંચાયત દ્વારા જાહેર નોટીસ પાઠવવા ઉપરાંત ગામમાં લાઉડ સ્‍પીકર વાળી રીક્ષા ફેરવી સ્‍વચ્‍છતા અને પાણી બાબતે નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.

નિયમોનું પાલન નહીં કરનારા સામે કાર્યવાહી કરાશેઃ સરપંચ
સરપંચ વિરલભાઈના જણાવ્‍યાનુસાર ગામમાં સ્‍વચ્‍છતા અને પાણીના દૂર ઉપયોગ, વેડફાટ બાબતે ગ્રામ પંચાયત દ્વારા કડક વલણ અપનાવી નિયમોનું પાલન ન કરનાર સામે શિક્ષાત્‍મક અને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

કચીગામના સરપંચ ભરતભાઈ પટેલે ગૌશાળામાં ગાયોને ઘાસચારો ખવડાવી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિરોગી જીવન અને દીર્ઘાયુની કરેલી કામના

vartmanpravah

દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ખેલ મહોત્‍સવનો થનગનાટ : એપ્રિલના ત્રીજા-ચોથા સપ્તાહથી થનારો આરંભ

vartmanpravah

દમણ જિ.પં.ના પૂર્વ પ્રમુખ તરૂણાબેન પટેલે દમણવાડા ગ્રામ પંચાયતની લાયબ્રેરીની લીધેલી મુલાકાત

vartmanpravah

દાનહ ભાજપ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પણ કરાઈ

vartmanpravah

મોબાઈલની મોકાણ : હર્યો ભર્યો સંસાર ઉજળતા રહી ગયો

vartmanpravah

સંઘપ્રદેશના લોકો સાથે પ્રશાસક તરીકે શરૂ કરેલી સહયાત્રાના 28મી ઓગસ્‍ટે પુરા થનારા 6 વર્ષ

vartmanpravah

Leave a Comment