Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ખુડવેલની જમીન પર ગેરકાયદે કબ્‍જો કરતા 13 જેટલા ઈસમો સામે લેન્‍ડગ્રેબિંગનો ગુનો દાખલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.07: ચીખલી તાલુકાના ખુડવેલ નવા નગર ખાતે રહેલા લીલાબેન બુધાભાઈ હળપતિ (ઉ.વ-47)ની માલિકીવાળી વડીલો પાર્જીત ગામના સર્વે નંબર 252 જૂની શરતની 73-એએ વાળી 01-28-07 (હે.આર.ચોમી) ક્ષેત્રફળ વાળી જમીન તેઓ સત્તાવીસ વર્ષ અગાઉથી આરોપીઓ પાસેથી કબ્‍જો માંગતા હતા. ત્‍યારે હાલમાં જે પાક તૈયાર કરેલ છે. તે ઉતારીને આપી દઈશું તેમ આજદિન સુધી જમીનનો કબજો ના આપી ખેતી પણ ન કરવા દેતા અને ખેતી કરવા જાય તો ઝઘડો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી કોઈપણ સંજોગોમાં જમીનનો હક કબજો આપીશું નહીં અને ખેતી કરવા દઈશું નહીં તેમ જણાવતા લીલાબેન હળપતિએ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ હેઠળ જિલ્લા કલેકટરને સંબોધિ ફેબ્રુઆરી 2022માં મહેસૂલ વિભાગમાં ઓનલાઈન પોર્ટલ પર અરજી કરતાં જુલાઈ-2022માંજિલ્લા કલેકટરના અધ્‍યક્ષપણા હેઠળ રચાયેલ સમિતિની બેઠકમાં આરોપીઓ વિરુદ્ધ પ્રાથમિક દ્રષ્ટિએ ગુનો સ્‍થાપિત થતો હોવાથી અરજી ગ્રાહ્ય રાખવામાં આવી હતી.
ત્‍યારબાદ પોલીસે સાદડવેલ ગામના તાટી ખાડી ફળિયામાં રહેતા સુમન બાપુડિયાભાઈ પટેલ, રાજુ સુમન પટેલ, દશરથ સુમન પટેલ, સાયલાભાઈ બાપુડિયાભાઈ પટેલ, દિલીપ સાયલભાઈ પટેલ, રવિન્‍દ્ર સાયલાભાઈ પટેલ, સંગીતા રવિન્‍દ્ર પટેલ, નયના રાજુભાઈ પટેલ, રીટાબેન નરેશભાઈ પટેલ, નગીનભાઈ બાપુડિયાભાઈ પટેલ, સુરેશ નગીન પટેલ, વિજય નગીન પટેલ, મધુબેન દશરથભાઈ પટેલ સહિત 13 જેટલા સામે પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ (લેન્‍ડ ગ્રેબિંગ) અધિનિયમની જોગવાઈ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

વાપી એસટી ડેપોમાં કર્મચારીનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

વાપી જીઆઈડીસી પોસ્‍ટ ઓફીસ રોડ ઉપર ડ્રેનેજનું ગંદુ પાણી રોડ ઉપર ફેલાતા વાહન ચાલકો-રાહદારીઓ મુશ્‍કેલીમાં

vartmanpravah

વાપીના કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજના ટી.વાય. બી.એસ.સી.ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ

vartmanpravah

પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા 500 વિદ્યાર્થીનીઓને સેલ્‍ફ ડિફેન્‍સ તાલીમ અપાઈ

vartmanpravah

વિશ્વ હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ધરમપુરમાં તા.29 સપ્‍ટેમ્‍બરે યોગ શિબિર યોજાશે

vartmanpravah

શ્રી તીર્થ પંઢરપુર ખાતે પ્રગટેશ્વર ધામ આછવણી દ્વારા 108 કુંડી મહાવિષ્‍ણુ યજ્ઞ યોજાયો

vartmanpravah

Leave a Comment