April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રમઝાનવાડી બિલખાડીમાં પડી ગયેલ ગૌમાતાને રેસ્‍ક્‍યુ કરી બહાર કઢાઈ

ફાયર બ્રિગેડ અને એનિમલ રેસ્‍ક્‍યુ ટીમ અને ટીન્‍કુ મેમોરીયલની ટીમે બે કલાક રેસ્‍ક્‍યુ અભિયાન ચલાવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વાપી ગુંજન સિવિલ લાઈન રમઝાનવાડીથી પસાર થતી બિલખાડીમાં શનિવારે એક ગૌમાતા ભૂલથી ખાડીમાં પડી ગઈ હતી. બહાર નિકળવા તરફડીયા મારી રહીહતી. લોકોને જાણ થતા એનિમલ જીવદયા પ્રેમીઓની ટીમે ઘટના સ્‍થળે દોડી આવીને ખાડીમાં પડી ગયેલ ગૌમાતાનું રેસ્‍ક્‍યુ કરીને જહેમત બાદ ઉગારી લેવાઈ હતી.
વાપી રમઝાનવાડી છરવાડામાંથી પસાર થતી બિલખાડીમાં શનિવારે એક ગૌમાતા 10 થી 15 ફૂટ ઊંડી ખાડીમાં પડી ગઈ હતી. સ્‍થાનિકોએ એકઠા થઈ જીઆઈડીસી ફાયર બ્રિગેડ, એનિમલ રેસ્‍ક્‍યુ ટીમ વાપી તથા ટીન્‍કુ મેમોરિયલ ટ્રસ્‍ટને જાણ કરી હતી. તુરંત જીવદયા પ્રેમિઓ ઘટના સ્‍થળે ધસી આવી ઘટના સ્‍થળે રેસ્‍ક્‍યુ ઓપરેશન ચાલું કર્યું હતું. પાસે કાર્યરત જે.સી.બી.ની મદદથી અંતે બે કલાકની જહેમત બાદ ગૌમાતાને ખાડીમાંથી હેમખેમ ઉગારી લેવાઈ હતી. રહેઠાણ વચ્‍ચે પસાર થતી બિલખાડીને પ્રોટેકશન વોલ કે જાળી લગાવી જરૂરી છે તેવી સ્‍થાનિકોએ માંગ કરી હતી નહીતર અવાર નવાર અકસ્‍માત બની શકે એમ છે.

Related posts

દમણના પાર્થ જોશીએ ગોવાની સ્‍ટેટ રેન્‍કિંગ બેડમિન્‍ટન ટુર્નામેન્‍ટમાં રજત ચંદ્રક જીત્‍યો

vartmanpravah

પારડીમાં ક્રિકેટ સ્‍ટેડિયમનું લોકાર્પણ કરતાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ચાર ગામોને પડોશના કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં સમાવવા થઈ રહેલી હિલચાલ

vartmanpravah

તીઘરામાં લગ્ન મંડપમાં ડી.જે પર ગીત બદલવાના મુદ્દે મારામારી

vartmanpravah

ટ્‍વિન હોસ્‍પિટલ વાપી ખાતે ‘‘પ્રધાનમંત્રી ટીબી મુક્‍ત ભારત અભિયાન 2025” અંતર્ગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment