October 13, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

સંઘપ્રદેશ થ્રીડી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગોવાના મુખ્‍યમંત્રી ડો. પ્રમોદ સાવંત સાથે કરેલી મહત્‍વની બેઠક: ગોવા જીઆઈડીસી અને ગોવા રાજ્‍ય સહકારી બેંકને લગતા મુદ્દા ઉકેલવા માટે સહમતિ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને ગોવાના મુખ્‍યમંત્રી ડો. પ્રમોદ સાવંત વચ્‍ચે ગોવા-દમણ-દીવ રાજ્‍ય સમયના દમણમાં ગોવા ઔદ્યોગિક વિકાસ નિગમ (જીઆઈડીસી) દ્વારા જમીન સંપાદનની બાકી રકમ અંગે થયેલી ફળદાયી ચર્ચા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પણજી, તા.10 : સંઘપ્રદેશ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે પણજીમાં ગોવા રાજ્‍યના મુખ્‍યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત સાથે દમણ-દીવને લગતા બે મહત્‍વના પ્રશ્નોના નિરાકરણ અંગે ચર્ચા કરવા બેઠક યોજી હતી. જેમાં ગોવા રાજ્‍યના અધિકારીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ આજે સંઘપ્રદેશ થ્રીડીના સફળ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ગોવા રાજ્‍યના મુખ્‍યમંત્રી ડો. પ્રમોદ સાવંત સાથે બંને પ્રદેશ માટે મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને લઈને એક બેઠક યોજી હતી. આ બેઠકમાં ગોવા રાજ્‍યના અધિકારીઓન ઉપસ્‍થિત રહ્યા હતા. આ અવસરે શ્રી પ્રફુલ પટેલે દાયકાઓ જૂના ગોવા-દમણ-દીવ સંયુક્‍ત રાજ્‍યના સમયના સોમનાથ ઈન્‍ડસ્‍ટ્રીયલએસ્‍ટેટ જે તત્‍કાલિન ગોવા ઈન્‍ડસ્‍ટ્રીયલ ડેવલપમેન્‍ટ કોર્પોરેશન (જીઆઈડીસી) દ્વારા ભૂમિ સંપાદન કરીને સ્‍થાપવામાં આવેલ હતી, તે જમીન સંપાદનની બાકી રકમ અંગેના પ્રશ્નના ઉકેલ અંગે વિસ્‍તૃત ચર્ચા-વિચારણાં કરી હતી. આ સાથે ગોવા સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ પાસેથી દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડની બાકી રકમ અંગે પણ વાતચીત કરવામાં આવી હતી. ગોવાના મુખ્‍યમંત્રી ડો. પ્રમોદ સાવંતે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને આ બંને મુદ્દાઓમાં સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી. ગોવાના મુખ્‍યમંત્રી ડૉ. પ્રમોદ સાવંતે તેમના તાબાના અધિકારીઓને આ બંને મુદ્દાઓને વહેલી તકે ઉકેલવા નિર્દેશ આપ્‍યો હતો.
આ પહેલાં ગોવાના મુખ્‍યમંત્રી ડો. પ્રમોદ સાવંતે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનું ઉષ્‍માભેર સ્‍વાગત કર્યું હતું અને સ્‍મૃતિ ચિહ્ન પણ અર્પણ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ કેન્‍દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓ સાથે ખુબ જ સારા સંબંધો ધરાવે છે. જેના કારણે હંમેશા સંઘપ્રદેશ થ્રીડી અને લક્ષદ્વીપને ફાયદો થયો છે અને આજે ફરી એકવાર પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સારા સંબંધોના કારણે દમણની દાયકાઓ જૂની જમીન સંપાદનની બાકી રકમ અને દમણ-દીવસ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિ. કે ગોવા બેંકમાંથી બાકી નીકળતી રકમ ઉકેલાય તેમ જણાય છે.

Related posts

સમગ્ર ભારતમાં માહ્યાવંશી સમાજનું પ્રતિનિધિત્‍વ કરતી એકમાત્ર સંસ્‍થા માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા સમાજના સર્વાંગી વિકાસ માટે વિચાર-મંથન બેઠક યોજાઈ

vartmanpravah

વાપી બલીઠા હાઈવે ઉપર રેલવે પાટામાં કાર ફસાઈ જતા રેલ વહેવાર પ્રભાવિત થયો

vartmanpravah

પારનેરા હાઈવે ઉપર લડતા ઢોર બાઈકને ભટકાતા નીચે પટકાયેલ યુવાન ઉપર ટ્રક ફરી વળતા દર્દનાક મોત

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

અન્‍ય ઔદ્યોગિક વસાહતો કરતા વાપી વસાહતનો સૌથી ઊંચો પાણી દર હોવાથી ઉદ્યોગકારોમાં કચવાટ

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગના સહયોગથી સેલવાસમાં ‘ભારતીય જન ઔષધિ સપ્તાહ’ અંતર્ગત નિકળેલી વિશાળ બાઈક રેલી

vartmanpravah

Leave a Comment