July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના બાલચોંડી ગામે ‘‘શ્રીમદ્‌ શિવ ભાગવત કથા”નું આયોજન માટે ધ્‍વજારોહણના કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બાલચોંડી શ્રી ભૂવનેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે ‘‘શ્રીમદ્‌ શિવ ભાગવત કથા”નુ છોટે મોરારી બાપુ વ્‍યાસ પીઠ પર બિરાજી કથાનું રસપાન કરાવશે.
મહારાજ ઉમંગભાઈ પંડયા દ્વારા રામુભાઈ પટેલ, ભારતીબેન રામભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, શકુંતલાબેન રમેશભાઈ પટેલ અને ગામના અગ્રણી ભાવિક ભક્‍તો દ્વારા ધ્‍વજારોહણ કરવામાં આવ્‍યું છે.
પૂર્વજોના પુણ્‍ય પ્રતાપે બાલચોંડી તથા આજુ-બાજુના ગામના સહયોગથી પાવનકારી ગંગાજીની ધારા અને બ્રહ્મલીન અખંડાનંદ મહારાજની પ્રેરણાથી શ્રી ભૂવનેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પોથી યાત્રા મંગળવાર તા.09-01-2024 ના દિને સવારે 9.00 કલાકે શ્રી ભવાની માતા મંદિર બાલચોંડીથી નીકળી કથા સ્‍થળે પહોંચશે.
તા.9 મી જાન્‍યુઆરી 2024 થી સોમવાર તા.15 મી જાન્‍યુઆરી 2024 કથા સમય સવારે 9.45 થી બપોરે 1.00 પાવન પ્રસંગે ‘‘શ્રીમદ્‌ શિવ ભાગવત કથા” છોટે મોરારી બાપુ વ્‍યાસ પીઠ પર બિરાજી કથાનું રસપાન કરાવશે.ગુલાબભાઈ પટેલ હરેશભાઈ પટેલ રાજેશભાઈ પટેલ સૌ ધર્મ પ્રેમી ભાવિક ભક્‍તજનોને કથાનું અમૃત રસ પાન કરાવવા હાર્દિક સ્‍નેહભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર અને વહીવટી તંત્રના સંયુક્‍ત ઉપક્રમે વિલ્‍સન હિલ પર ખગોળ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પારડીમાં 14 વર્ષના લગ્નજીવન બાદ એક પુત્રની માતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વાપીની સેન્‍ટ ફ્રાન્‍સીસ સ્‍કૂલની વિદ્યાર્થીની ટીમે ગુજરાત સ્‍ટેટ જુનીયર વોલીબોલ સ્‍પર્ધામાં પ્રથમ-દ્વિતીય સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન ત્રણ ઇંચથી વધુ નોંધાયેલો વરસાદ

vartmanpravah

વલસાડમાં રાત્રે મેઘરાજાની ધુંઆધાર બેટીંગઃ શહેરના મોટાભાગના વિસ્‍તારો પાણીમાં ગરકાવ

vartmanpravah

Leave a Comment