October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવ

દમણ-દીવની સેવા સંસ્‍થા ‘આશા મહિલા ફાઉન્‍ડેશન’ના પ્રમુખ તરુણાબેન પટેલની આગેવાની હેઠળ દીવના વણાંકબારા અને સાઉદવાડી ગ્રા.પં.ની સ્‍વસહાય જૂથની મહિલાઓને સિલાઈ મશીનોનું કરાયેલું વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.28 : આજે દમણ-દીવની સેવા સંસ્‍થા ‘આશા મહિલા ફાઉન્‍ડેશન’ના પ્રમુખ શ્રીમતી તરુણાબેન લાલુભાઈ પટેલની આગેવાની હેઠળ દીવ જિલ્લાની વણાંકબારા અને સાઉદવાડી ગ્રામ પંચાયતોમાં સ્‍વસહાય જૂથની મહિલાઓને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આજે આ બંને પંચાયત વિસ્‍તારમાં8 જેટલી મહિલાઓને સિલાઈ મશીનોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું, અને અન્‍ય સ્‍થળોએ પણ આ કામગીરી ચાલુ રહેશે.
પ્રાપ્ત માહિતી મુજબ દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલના ધર્મપત્‍ની અને દમણ જિ.પં.ના પૂર્વ પ્રમુખ તથા સેવાભાવી સંસ્‍થા ‘આશા મહિલા ફાઉન્‍ડેશન’ના પ્રમુખ શ્રીમતી તરૂણાબેન પટેલના હસ્‍તે આજે દીવના વણાંકબારા અને સાઉદવાડી ગ્રામ પંચાયતોની સ્‍વસહાય જૂથની 8 જેટલી મહિલાઓને ‘આત્‍મનિર્ભરતા’ માટે સિલાઈ મશીનોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ મશીનોના સહારે મહિલાઓ તેમની રોજી-રોટી રળી શકશે.
દીવ જિલ્લામાં આજે આયોજિત આ મશીન વિતરણ કાર્યક્રમમાં દીવ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હેમલતાબેન સોલંકી, કાઉન્‍સિલર શ્રીમતી નીતાબેન સંદીપભાઈ, શ્રીમતી હર્ષિદાબેન, આગેવાન શ્રી સંદીપ જાદવ, શ્રી છગન બામણીયા અને સ્‍વસહાય જૂથની બહેનો તથા ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી જીઆઈડીસી ફોર્થ ફેઝથી ડુંગરી ફળીયા જતો રોડ બિલખાડીનો પુલ રિડેવલોપમેન્‍ટ કરવાનો હોવાથી ત્રણ મહિના બંધ

vartmanpravah

ચીખલી પોલીસે હોન્‍ડ હાઈવેથી પુઠાની આડમાં લઈ જવાતા વિદેશી દારૂ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દમણ જિલ્લાનું 71.18 ટકા અને દીવનું 65.48 ટકા પરિણામ

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા મિલકતધારકોને જરૂરી ઓક્‍યુપેન્‍સી સર્ટીફિકેટ આપવા ખાસ શિબિરનું કરેલું આયોજન

vartmanpravah

વાપી વિસ્‍તારની સ્‍કૂલમાં ધો.1 થી 5 ના વર્ગ ચાલુ થતા ભૂલકાઓ ઉમંગ સાથે સ્‍કૂલમાં આવી રહ્યા છે. લાંબા સમયથી ઘરે ઓન લાઈન શિક્ષણથી બાળકો નાખુશ હતા હવે સ્‍કૂલમાં ભણવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે.

vartmanpravah

વાપીના ઉદ્યોગપતિની પ્રથમ પર્યાવરણ લક્ષી પહેલ: આર્યન પેકેજીંગ ઈન્‍ડસ્‍ટ્રીઝના માલિક સુનિલભાઈ શાહે કંપનીની આસપાસ 20000 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું

vartmanpravah

Leave a Comment