Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સોશિયલ ગ્રુપના પ્રમુખ અને સભ્‍યો દ્વારા આ વર્ષે 1600 ગરમ ધાબડાનું જરૂરિયાત મંદોને વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: ઠંડીની સીઝનની શરૂઆત થઈ ગઈ છે. એવામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપી સોશ્‍યલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ કિરણ રાવલ, દર્શિલ નાયક તેમજ મોહિત પ્રજાપતિ તેમજ ટ્રસ્‍ટ ગ્રુપના અન્‍ય સભ્‍યો છેલ્લા 19 દિવસથી રોજ રાત્રે 11 વાગ્‍યા પછી વાપી તેમજ આજુબાજુના વિસ્‍તાર જેવા કે વાપી રેલવેસ્‍ટેશન, બસ સ્‍ટેશન, હાઈવેની આજુબાજુ તેમજ હાઈવે ઓવરબ્રિજની નીચે પોતાના પરિવાર સાથે ઝૂંપડાઓ બાંધી પોતાના પરિવારો સાથે રહેતા જરૂરિયાતમંદો તેમજ વાપી હાઈવે, બગવાડા ટોલનાકા વિસ્‍તાર તેમજ ભીલાડ ચેકપોસ્‍ટ સુધીમાં કોઈ પણ ખુલ્લામાં સુઈ રહેલા વ્‍યક્‍તિઓને દર વર્ષની જેમ આ વર્ષે પણ આ ટ્રસ્‍ટ ગ્રુપ દ્વારા ગરમ ધાબડાઓ વિનામૂલ્‍યે જરૂરિયાતમંદોને આપવામાં આવે છે. આમ આ ટ્રસ્‍ટ ગ્રુપ તરફથી આ વર્ષે લગભગ 1600 જેટલા ગરમ ધાબડાનું વિતરમ કરવામાં આવી ચૂક્‍યું છે. આમ આ ટ્રસ્‍ટ ગ્રુપ દ્વારા છેલ્લા 8 વર્ષથી વલસાડ જિલ્લામાં સમાજ સેવાના કાર્ય કરતું આવ્‍યું છે. આ વિતરણ કરેલા ગરમ ધાબડાનું વજન, લગભગ અંદાજિત 1 કિલ્લો ઉપરનું વજન ધરાવતા દરેક જરૂરિયાતમંદો પોતાના નાના બાળકો સાથે હાઈવે પર ઝુપડામાં રહેતા પરિવારો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યા છે. આમ વાપી સોશ્‍યલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્‍ટ તરફથી આ ઠંડીને સામે રક્ષણ મેળવવા ગરમ ધાબડા જરૂરિયાતમંદોને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. નિઃસ્‍વાર્થ ભાવે સમાજ સેવા કરનારો વલસાડ જિલ્લાનો સમાજ સેવક કિરણ રાવલ જેને જરૂરિયાતમંદ લોકો કલયુગ કા કર્ણ તરીકે ઓળખે છે.

Related posts

દમણ જિલ્લાના શિક્ષકો માટે ક્રિયાત્‍મક સંશોધન અંતર્ગત ડાયટ ભવન, દમણના શિક્ષણ સદનના સભાખંડમાં બે દિવસીય પ્રશિક્ષણ કાર્યક્રમ સહ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

દીવ બુચરવાડા પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયેલું શાનદાર સ્‍વાગત

vartmanpravah

સમગ્ર પારડી વિસ્‍તારમાં કમોસમી વરસાદ : કેટલાય દિવસની અસહ્ય ગરમીમાં રાહત, જ્‍યારે ખેડૂત બન્‍યો બેહાલ

vartmanpravah

દમણમાં શહેર ભ્રમણ માટે નિકળેલી ભગવાન શ્રી જગન્નાથની ભવ્‍ય શોભાયાત્રા

vartmanpravah

જેઈઆરસી દ્વારા સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં સરેરાશ 15 થી 40 પૈસા જેટલો વીજદરમાં કરાયેલો વધારો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ત્રિ-દિવસીય દાનહ મુલાકાતના સમાપન બાદ દાનહના કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોને ગતિઅને નવી યોજનાને મળનારો ઓપ

vartmanpravah

Leave a Comment