Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ એસટી વિભાગીય કચેરી ખાતે રક્‍તદાન, વૃક્ષારોપણ અને વોલ પેઈન્‍ટીંગના ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: ગુજરાત રાજ્‍ય એસટી નિગમના વલસાડ વિભાગ દ્વારા ‘‘સ્‍વચ્‍છ યાત્રા, શુભ યાત્રા” અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે પૈકી તા.10 જાન્‍યુઆરીના રોજ એસ.ટી. વિભાગીય કચેરી, ધરમપુર રોડ, અબ્રામા ખાતે રક્‍તદાન શિબિરનું આયોજન સિવિલ હોસ્‍પિટલ વલસાડના સહયોગથી અને ડો.અમિતભાઈ શાહના નેતૃત્‍વ હેઠળ તેમની ટીમ દ્વારા કરવામાં આવ્‍યું હતું. રક્‍તદાતાઓને એસટી વિભાગના અધિકારીઓ દ્વારા પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે વલસાડ એસટી વિભાગના વિભાગીય નિયામક એન. એસ. પટેલ, એ. કે. પરમાર, બી. ટી. પટેલ સહિત અધિકારીઓની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી. રક્‍તદાન શિબિરમાં 59 બોટલ રક્‍ત રક્‍તદાતાઓ તરફથી દાનકરવામાં આવ્‍યું હતું.
‘‘સ્‍વચ્‍છ યાત્રા, શુભ યાત્રા” ઝુંબેશ અંતર્ગત એસટીની વિભાગીય કચેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં વિભાગીય કચેરી તથા વિભાગીય યાંત્રાલયના કર્મચારીઓ તથા અધિકારીઓ દ્વારા વિભાગીય કચેરી પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. આ સાથે એસટી વિભાગીય કચેરીને સુશોભન કરવા માટે વોલ પેઇન્‍ટિંગ પણ કરવામાં આવ્‍યું હતું.

Related posts

સલવાવ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની વાપીની એક્‍સેમ્‍ડ ફાર્માસ્‍યુટિકલ કંપનીમાં બે દિવસીય ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ યોજાઈ

vartmanpravah

આજે વાપી ગ્રીન એન્‍વાયરોની 26મી વાર્ષિક સાધારણ સભા વી.આઈ.એ.માં યોજાશે

vartmanpravah

દાદરા નગર હવેલીમાં સ્‍વાર્થી અને પરિવારવાદી રાજનીતિએ બહુમતિ આદિવાસીઓની ખોદેલી ઘોર

vartmanpravah

ડીઆઈએ પ્રમુખ પવન અગ્રવાલની અધ્‍યક્ષતામાં દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની મળેલી બેઠકમાં 50-50ના સિદ્ધાંત સાથે ઔદ્યોગિક વિસ્‍તારના રસ્‍તાઓનું નવીનિકરણ કરવા હાકલ

vartmanpravah

વાપી નેશનલ હાઈવે જલારામ મંદિર સામે મળસ્‍કે ઉભેલી ટેન્‍કરને ટેમ્‍પો ભટકાતા અકસ્‍માતમાં ભીષણ આગ લાગતા ટેમ્‍પો ચાલક ભડથું

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ગણપતિ મહોત્‍સવની તૈયારી પૂરજોશમાં

vartmanpravah

Leave a Comment