Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના સેવાભાવી અગ્રણી બિલ્‍ડર પિન્‍ટુભાઈ વશીનું હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: વલસાડના મળતાવડા સ્‍વભાવનાં અગ્રણી બિલ્‍ડર પીન્‍ટુભાઇ ઉર્ફે પુરંજયભાઈ વશીને આજે સવારે હાર્ટએટેક આવતા થયેલાં અવસાનથી તેમના મિત્રવર્તુળ સહિતના લોકો ઘેરા આઘાતમાં સરી પડ્‍યા છે. તેમની અંતિમયાત્રા શુક્રવારે સવારે લઈ જવામાં આવશે.
વલસાડમાં ખૂબ મોટું નામ ધરાવતા શિવમ ડેવલોપર્સના બિલ્‍ડર એવા 47 વર્ષીય પુરંજયભાઈ ઉર્ફે પિન્‍ટુભાઈને આજે સવારે 9 વાગ્‍યાની આસપાસ તેમના વલસાડનાં હાલર સ્‍થિત ઘરે હૃદયરોગનો હુમલો આવ્‍યો હતો. જેની સ્‍વજનોને જાણ થતા તેમને વલસાડના ડોક્‍ટર હાઉસમાં લઈ જવામાં આવ્‍યા હતા. જ્‍યાં તબીબોએ પ્રયત્‍ન કર્યા હતાં પરંતુપિન્‍ટુભાઈનું અવસાન થયું હતું.
ખૂબ જ મળતાવડા સ્‍વભાવના અને દરેક સારા કાર્યોમાં દાન-હાજરી આપી સતકાર્યોની સુવાસ ફેલાવનારા પિન્‍ટુભાઈના અચાનક અવસાનથી વલસાડના બિલ્‍ડરો, સેવાભાવી સંસ્‍થાનાં સંચાલકો, અગ્રણીઓ સૌ કોઈ આઘાતમાં સરી પડ્‍યા હતા. તેમના અવસાનના સમાચાર મળતા જ નિવાસસ્‍થાને ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી. જોકે પીન્‍ટુભાઇના ભાઈ સ્‍વ. સેજુભાઈ વશીના પુત્રી હરિની યુએસએ હોય તેઓ આવતીકાલે સાંજે યુએસએથી ભારત આવી જાય ત્‍યારબાદ પિન્‍ટુભાઈની શુક્રવારે સવારે અંતિમયાત્રા લઈ જવામાં આવશે. પિન્‍ટુભાઈ હાલ તેમના બે પુત્રો નંદીશ અને હવિસને એકલાં છોડી ગયા છે.

Related posts

શ્રી દમણ જૈન સોશિયલ ગ્રુપ દ્વારા ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ પ્રભાબેન શાહના નામની જાહેરાત થતા સન્‍માન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણમાં કોરોનાના બે પોઝિટિવ કેસ મળતાં તહેવારની મોસમમાં ચિંતાનું કિરણઃ દાનહમાં શૂન્‍ય

vartmanpravah

મધ્‍યપ્રદેશથી દીવ આવેલા વૃદ્ધ પર્યટકનું હૃદયરોગના હૂમલામાં મોત

vartmanpravah

વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે આવેલ પર્યટકોને આકર્ષતું સ્‍થળ ‘અજમલગઢ’

vartmanpravah

દીવ પોલીસ વિભાગ દ્વારા રાષ્‍ટ્રીય એકતા નિમિત્તે પરેડનું થયું આયોજન

vartmanpravah

વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને પગલે વલસાડ જિલ્લામાં તા. 18 થી 20 નવેમ્બર સુધી ડ્રોન, ફુગ્ગા, પતંગ અને તુક્કલ ઉડાડવા પર પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment