December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના સેવાભાવી અગ્રણી બિલ્‍ડર પિન્‍ટુભાઈ વશીનું હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: વલસાડના મળતાવડા સ્‍વભાવનાં અગ્રણી બિલ્‍ડર પીન્‍ટુભાઇ ઉર્ફે પુરંજયભાઈ વશીને આજે સવારે હાર્ટએટેક આવતા થયેલાં અવસાનથી તેમના મિત્રવર્તુળ સહિતના લોકો ઘેરા આઘાતમાં સરી પડ્‍યા છે. તેમની અંતિમયાત્રા શુક્રવારે સવારે લઈ જવામાં આવશે.
વલસાડમાં ખૂબ મોટું નામ ધરાવતા શિવમ ડેવલોપર્સના બિલ્‍ડર એવા 47 વર્ષીય પુરંજયભાઈ ઉર્ફે પિન્‍ટુભાઈને આજે સવારે 9 વાગ્‍યાની આસપાસ તેમના વલસાડનાં હાલર સ્‍થિત ઘરે હૃદયરોગનો હુમલો આવ્‍યો હતો. જેની સ્‍વજનોને જાણ થતા તેમને વલસાડના ડોક્‍ટર હાઉસમાં લઈ જવામાં આવ્‍યા હતા. જ્‍યાં તબીબોએ પ્રયત્‍ન કર્યા હતાં પરંતુપિન્‍ટુભાઈનું અવસાન થયું હતું.
ખૂબ જ મળતાવડા સ્‍વભાવના અને દરેક સારા કાર્યોમાં દાન-હાજરી આપી સતકાર્યોની સુવાસ ફેલાવનારા પિન્‍ટુભાઈના અચાનક અવસાનથી વલસાડના બિલ્‍ડરો, સેવાભાવી સંસ્‍થાનાં સંચાલકો, અગ્રણીઓ સૌ કોઈ આઘાતમાં સરી પડ્‍યા હતા. તેમના અવસાનના સમાચાર મળતા જ નિવાસસ્‍થાને ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી. જોકે પીન્‍ટુભાઇના ભાઈ સ્‍વ. સેજુભાઈ વશીના પુત્રી હરિની યુએસએ હોય તેઓ આવતીકાલે સાંજે યુએસએથી ભારત આવી જાય ત્‍યારબાદ પિન્‍ટુભાઈની શુક્રવારે સવારે અંતિમયાત્રા લઈ જવામાં આવશે. પિન્‍ટુભાઈ હાલ તેમના બે પુત્રો નંદીશ અને હવિસને એકલાં છોડી ગયા છે.

Related posts

પારડી શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભર અર્થવ્‍યવસ્‍થા અંગેનું સંબોધન માણવાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી હવે 2પમી એપ્રિલે સેલવાસ-દમણની મુલાકાતે આવશે

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા સ્‍વચ્‍છતા દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી વી.આઈ.એ. હોલમાં જે.સી.આઈ. દ્વારા પ્રથમવાર નવતર બિઝનેસ મીટિંગ યોજાઈ

vartmanpravah

ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ધરણાં, ઘેરાવો અને ઉપવાસ જેવા કાર્યક્રમો ઉપર પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment