February 5, 2025
Vartman Pravah
Breaking Newsદીવ

દીવની વાત્‍સલ્‍ય સંસ્‍થામાં ‘‘રાષ્‍ટ્રીય મનોદિવ્‍યાંગ દિન”ની સાદગી પૂર્વક ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.08
તા.8મી ડીસેમ્‍બરને ‘‘રાષ્‍ટ્રીય મનોદિવ્‍યાંગ દિન”ની ઉજવણી મનોદિવ્‍યાંગ બાળકો પ્રત્‍યે લોકજાગૃતિ લાવવાનાં ભાગરૂપે સમગ્ર ભારત દેશમાં ઉજવવામાં આવે છે. આજે સવારે 10:30 કલાકે સંસ્‍થાના હોલમાં કોરોના ગાઈડ-લાઈનના પાલન સાથે આજનો કાર્યક્રમ સાદગી પૂર્વક ઉજવવામાં આવ્‍યો હતો. જેમાં સંસ્‍થાના મનોદિવ્‍યાંગ બાળકોને અને સ્‍ટાફને ઠંડીનાં સ્‍વેટરનું વિતરણ કેવડી નિવાસી પ્રેમી ભુવન પરીવારના શ્રી નીલેશભાઈ વસરામભાઈ તરફથી કરવામાં આવ્‍યું હતુ. આ કાર્યક્રમમાં સંસ્‍થાના મનોદિવ્‍યાંગ બાળકો?, તેમના વાલીઓ, સ્‍ટાફગણ અને કારોબારી કમિટીનાં સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન સેક્રેટરી શ્રી ઉસ્‍માનભાઈ વોરા તરફથી, આભારવિધિ શ્રી કિશોરભાઈ કાપડિયા તરફથી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મનહરભાઈ સોલંકી તરફથી કરવામાં આવ્‍યુંહતું. વાત્‍સલ્‍ય સંસ્‍થાની કારોબારી કમિટી, મનોદિવ્‍યાંગ બાળકોને ઠંડીનાં સ્‍વેટરનું વિતરણ કરવા બદલ કેવડી નિવાસી પ્રેમી ભુવન પરિવારના શ્રી નિલેશભાઈ વસરામભાઈનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

‘પુરુષાર્થમાં જ વ્‍યક્‍તિનું સાચું ભાગ્‍ય છૂપાયેલું છે, નહીં કે હસ્‍તરેખામાં’

vartmanpravah

વલસાડ જિલ્લામાં રૂ. 3.33 કરોડના ખર્ચે 18 એમ્બ્યુલન્સનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતમાં લોકાર્પણ

vartmanpravah

દમણની મગરવાડા ગ્રુપ ગ્રામ પંચાયત રાત્રિ ચૌપાલનું આયોજન કરાયું

vartmanpravah

દમણ-દીવ લોકસભાના ઉમેદવાર લાલુભાઈ પટેલે દીવ જિલ્લાના વિવિધ મંદિરોમાં કરેલી પૂજા-અર્ચના

vartmanpravah

સેલવાસની શિવપ્રકાશ મેમોરિયલ સ્‍કુલમાં સાંસદ કલાબેન ડેલકર દ્વારા કરાયેલું નારી શક્‍તિઓનું સન્‍માન

vartmanpravah

આંતલિયા – ઉંડાચ વચ્‍ચે કાવેરી નદી પર આવેલ પુલ બે દિવસથી પાણીમાં ગરકાવ

vartmanpravah

Leave a Comment