July 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્રના ગૃહ મંત્રાલયનો આદેશ  સંઘપ્રદેશના ડીઆઈજી મિલિંદ મહાદેવ દુમ્‍બરેની આઈ.જી. તરીકે બઢતીઃ એસ.પી. અમિત શર્મા અને આર.પી.મીણાને ડીઆઈજીપી પદ ઉપર પ્રમોશન

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ત્રણેય વરિષ્ઠ પોલીસ અધિકારીઓને બેચ લગાવી તેમના ઉજ્જવળ અને યશસ્‍વી ભવિષ્‍યની કરેલી કામના

 

 

 

 

 

 

 

 

 

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : કેન્‍દ્રીયગૃહ મંત્રાલયના આદેશ મુજબ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પોલીસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. જેમાં આઈ.પી.એસ. શ્રી મિલિંદ મહાદેવ દુમ્‍બેરેને નાયબ પોલીસ મહાનિરીક્ષક(ડી.આઈ.જી.પી.) પદેથી બઢતી આપતાં પોલીસ મહાનિરીક્ષક(આઈ.જી.)પદે નિયુક્‍ત કરાયા છે. જ્‍યારે વરિષ્‍ઠ આઈ.પી.એસ. અધિકારી દાનહના એસ.પી. શ્રી અમિત શર્મા અને દમણના એસ.પી. શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણાને બઢતી આપી સંઘપ્રદેશના નાયબ પોલીસ મહાનિરીક્ષક(ડી.આઈ.જી.પી.)બનાવાયા છે.
ગૃહ મંત્રાલય દ્વારા પદોન્નત કરાયેલા પોલીસ અધિકારીઓને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે રેંક પ્રદાન કરી તેમને પોતાના હોદ્દાના બેચ લગાવ્‍યા હતા અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ત્રણેય પોલીસ અધિકારીઓના ઉજ્જવળ અને યશસ્‍વી ભવિષ્‍યની કામના પણ કરી હતી.

Related posts

દમણઃ કચીગામ શાળાના વિદ્યાર્થીઓએ કતારબંધ રીતે ગોઠવાઈને બનાવેલા આઝાદીના 75 વર્ષ

vartmanpravah

ઉમરગામ પાલિકાએ પાંચ બિલ્‍ડીંગોને આપેલ બીયુપી અને એનએ અભિપ્રાય સામે તપાસની આવશ્‍યકતા

vartmanpravah

કપરાડાનું નાનાપોંઢા એકમાત્ર વિકાસના પંથે જોડાયેલું ગામ, પણ શિક્ષણનું માધ્‍યમ પ્રાથમિક શાળા જ ખંડેર હાલતમાં

vartmanpravah

27મી જુલાઈએ યોજાનાર મોકડ્રીલના ઉપલક્ષમાં આજે દમણ કલેક્‍ટરાલયમાં વીસીના માધ્‍યમથી વાવાઝોડાં અને પૂરની સ્‍થિતિમાં રાહત-બચાવ કામગીરીની ટેબલટોપ એક્‍સરસાઈઝ કરાશે

vartmanpravah

વાપી સરવૈયા નગરના રહિશો ખુલ્લા ટ્રાન્‍સફોર્મર અને ગંદકીના સામ્રાજ્‍યમાં જીંદગી જીવવા લાચાર

vartmanpravah

અત્‍યંત કઠિન ગણાતી બાબા અમરનાથની યાત્રાએ વલસાડથી 42 ભક્‍તો રવાના

vartmanpravah

Leave a Comment