Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્રના ગૃહ મંત્રાલયનો આદેશ  સંઘપ્રદેશના ડીઆઈજી મિલિંદ મહાદેવ દુમ્‍બરેની આઈ.જી. તરીકે બઢતીઃ એસ.પી. અમિત શર્મા અને આર.પી.મીણાને ડીઆઈજીપી પદ ઉપર પ્રમોશન

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ત્રણેય વરિષ્ઠ પોલીસ અધિકારીઓને બેચ લગાવી તેમના ઉજ્જવળ અને યશસ્‍વી ભવિષ્‍યની કરેલી કામના

 

 

 

 

 

 

 

 

 

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : કેન્‍દ્રીયગૃહ મંત્રાલયના આદેશ મુજબ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પોલીસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. જેમાં આઈ.પી.એસ. શ્રી મિલિંદ મહાદેવ દુમ્‍બેરેને નાયબ પોલીસ મહાનિરીક્ષક(ડી.આઈ.જી.પી.) પદેથી બઢતી આપતાં પોલીસ મહાનિરીક્ષક(આઈ.જી.)પદે નિયુક્‍ત કરાયા છે. જ્‍યારે વરિષ્‍ઠ આઈ.પી.એસ. અધિકારી દાનહના એસ.પી. શ્રી અમિત શર્મા અને દમણના એસ.પી. શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણાને બઢતી આપી સંઘપ્રદેશના નાયબ પોલીસ મહાનિરીક્ષક(ડી.આઈ.જી.પી.)બનાવાયા છે.
ગૃહ મંત્રાલય દ્વારા પદોન્નત કરાયેલા પોલીસ અધિકારીઓને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે રેંક પ્રદાન કરી તેમને પોતાના હોદ્દાના બેચ લગાવ્‍યા હતા અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ત્રણેય પોલીસ અધિકારીઓના ઉજ્જવળ અને યશસ્‍વી ભવિષ્‍યની કામના પણ કરી હતી.

Related posts

વલસાડથી સાળંગપુર સુધીની એસટી બસ સેવાનો કરાયો પ્રારંભ

vartmanpravah

આજે વિશ્વ આદિવાસી દિવસઃ વલસાડ જિલ્લાના આદિવાસી બાળકો માટે સંજીવની બનતી દૂધ સંજીવની યોજના

vartmanpravah

વલસાડ જિલ્લાના વહીવટી કેન્‍દ્રના સહયોગથી જે.પી.પારડીવાલા આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજમાં 36 માં નેશનલ ગેમ્‍સના ઓવેરનેસ પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

બગવાડાની ક્રીપા કંપનીમાં બ્‍લાસ્‍ટ: વેલ્‍ડીંગ કરી રહેલ મજુરનું સારવાર દરમિયાન મોત

vartmanpravah

દમણમાં 15, દાનહમાં 12 અને દીવમાં 03 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

દમણઃ મરવડ ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયું શાનદાર સ્‍વાગત

vartmanpravah

Leave a Comment