October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્રના ગૃહ મંત્રાલયનો આદેશ  સંઘપ્રદેશના ડીઆઈજી મિલિંદ મહાદેવ દુમ્‍બરેની આઈ.જી. તરીકે બઢતીઃ એસ.પી. અમિત શર્મા અને આર.પી.મીણાને ડીઆઈજીપી પદ ઉપર પ્રમોશન

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ત્રણેય વરિષ્ઠ પોલીસ અધિકારીઓને બેચ લગાવી તેમના ઉજ્જવળ અને યશસ્‍વી ભવિષ્‍યની કરેલી કામના

 

 

 

 

 

 

 

 

 

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : કેન્‍દ્રીયગૃહ મંત્રાલયના આદેશ મુજબ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પોલીસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. જેમાં આઈ.પી.એસ. શ્રી મિલિંદ મહાદેવ દુમ્‍બેરેને નાયબ પોલીસ મહાનિરીક્ષક(ડી.આઈ.જી.પી.) પદેથી બઢતી આપતાં પોલીસ મહાનિરીક્ષક(આઈ.જી.)પદે નિયુક્‍ત કરાયા છે. જ્‍યારે વરિષ્‍ઠ આઈ.પી.એસ. અધિકારી દાનહના એસ.પી. શ્રી અમિત શર્મા અને દમણના એસ.પી. શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણાને બઢતી આપી સંઘપ્રદેશના નાયબ પોલીસ મહાનિરીક્ષક(ડી.આઈ.જી.પી.)બનાવાયા છે.
ગૃહ મંત્રાલય દ્વારા પદોન્નત કરાયેલા પોલીસ અધિકારીઓને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે રેંક પ્રદાન કરી તેમને પોતાના હોદ્દાના બેચ લગાવ્‍યા હતા અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ત્રણેય પોલીસ અધિકારીઓના ઉજ્જવળ અને યશસ્‍વી ભવિષ્‍યની કામના પણ કરી હતી.

Related posts

નરોલીના કનાડી ફાટક નજીક આવેલ પૉલી પ્રોડક્‍ટ્‍સ કંપનીમાં શનિવારે લાગેલી ભીષણ આગથી કરોડોનું થયેલું નુકસાન

vartmanpravah

ફડવેલ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં ગર્ભાત્‍સવ સંસ્‍કાર યજ્ઞ યોજાયો

vartmanpravah

વલસાડની ચણવઈ પીએચસીમાં સિકલસેલ ડીસીઝના દર્દીઓની તબીબી તપાસ કેમ્પ યોજાયો

vartmanpravah

વલવાડા કરમબેલા હાઈવે ઉપરથી ખાનગી મોબાઈલ ટાવરોની ચોરેલી બેટરી સાથે એક ઝડપાયો: પોલીસે રવિકુમાર સીંગ નામના આરોપી પાસેથી ર.ર0 લાખની બેટરીઓ જપ્ત કરી

vartmanpravah

ભારત સરકારના સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણે સેલવાસમાં જન ઔષધિ કેન્‍દ્રની લીધેલી મુલાકાત

vartmanpravah

સેલવાસ ન.પા.ના ચીફ ઓફિસર ડો. સુનભ સિંહે નવનિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

Leave a Comment