August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા મત વિસ્તારના ૪૯૩૨ આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે

વડાપ્રધાન વાપીમાં આવાસ યોજનાના લાભાર્થી સાથે વર્ચ્‍યુઅલ સંવાદ પણ કરશે

જિલ્લાના 99 ગામોના લાભાર્થીઓને મળશે પોતાનું ઘર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: રાજ્‍ય સરકારના નેતૃત્‍વ હેઠળ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિ તેમજ મુખ્‍યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્‍થિતિમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેઆજે 10 ફેબ્રુઆરી, 2024ના રોજ કેન્‍દ્ર તથા રાજ્‍ય સરકારની અમલીકળત પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રા), પ્રધાનમંત્રી આવાસ યોજના, ડો.આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ ઉપાધ્‍યાય આવાસ યોજનાઓના સમગ્ર રાજ્‍યના 33 જિલ્લાઓમાં અંદાજિત 1,27,000 આવાસોના ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે. જે અંતર્ગત આજરોજ વલસાડ જિલ્લામાં પાંચેય વિધાનસભા મત વિસ્‍તારોના કુલ 327 ગામોમાં 4932 જેટલા આવાસોનું પ્રધાનમંત્રીશ્રી દ્વારા વર્ચ્‍યુઅલ લોકાર્પણ કરવામાં આવશે. વાપીના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી આવાસ યોજનાના લાભાર્થી સાથે વન ટુ વન સંવાદ કરશે.
જિલ્લાના વિધાનસભા મત વિસ્‍તારો મુજબ 180 પારડી વિધાનસભા મતવિસ્‍તારમાં નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી અને ધારાસભ્‍યશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં પારડી તાલુકાની કુમાર પ્રાથમિક શાળા ખાતે 29 ગામોના 336, 178 ધરમપુર વિધાનસભા મત વિસ્‍તારમાં ધારાસભ્‍યશ્રી અરવિંદભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં ધરમપુર તાલુકામાં વનરાજ કોલેજની પાછળના મેદાન, બામટી ખાતે 99 ગામોના 2038, 179 વલસાડ વિધાનસભા મત વિસ્‍તારમાં ધારાસભ્‍યશ્રી ભરતભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં વલસાડની એપીએમસી માર્કેટ ધમડાચી ખાતે 40 ગામોના 309, 181 કપરાડા વિધાનસભા મત વિસ્‍તારમાંધારાસભ્‍યશ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્‍થિતિમાં કપરાડાના કોમ્‍યુનિટી હોલના મેદાન ખાતે 115 ગામોના 1634 તેમજ 182 ઉમરગામ વિધાનસભા મત વિસ્‍તારમાં ધારાસભ્‍યશ્રી રમણલાલ પાટકરની ઉપસ્‍થિતિમાં ઉમરગામના ધોડીપાડા સાંસ્‍કળતિક હોલ ખાતે 44 ગામોના 615 મળી વિવિધ આવાસ યોજનાના કુલ 4932 આવાસોનું પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી વર્ચ્‍યુઅલ લોકાર્પણ કરશે.

Related posts

વલસાડની સિંગર વૈશાલી બલસારાની હત્‍યાનું રહસ્‍ય વણઉકેલ્‍યું :પોલીસની બે ટીમ બીજા રાજ્‍યમાં ઉપડી

vartmanpravah

આર.ટી.ઇ. એક્‍ટ અંતર્ગત ધોરણ 1માં બાળકોને વિનામૂલ્‍યે પ્રવેશ માટે તા.30મીથી ઓનલાઈન ફોર્મ ભરાશે

vartmanpravah

ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલ સમક્ષ આગેવાનો દ્વારા વંકાલ ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં ખેડૂતોને થયેલ નુકસાન અને વિવિધ મુદ્દે રજૂઆત કરાઈ

vartmanpravah

તલાટીની પરીક્ષા આપવા આવેલ 15 વિદ્યાર્થી અટવાયા: વલસાડ સેન્‍ટ જોસેફ સ્‍કૂલમાં 5 મિનિટ મોડા પડતા રઝળી પડયા

vartmanpravah

વલસાડ જિલ્લા કાનૂની સેવા સમિતિ દ્વારા બાળકોના જાતિય સતામણી અંગે કાયદાકીય તાલીમ યોજાયો

vartmanpravah

દાનહમાં અલુણા વ્રત અને જયાપાર્વતી વ્રતનો પ્રારંભ કરાયો

vartmanpravah

Leave a Comment