Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ફાયર-ડે ની ઉજવણી : શહિદોને શ્રધ્‍ધાંજલી સાથે વીર યોધ્‍ધાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું


પ્રતિ વર્ષે 14 એપ્રિલના રોજ દેશભરમાં ફાયર-ડે ની ઉજવણી કરવામાં આવે છે : વાપીમાં ત્રણ સ્‍થળોએ ફાયર-ડે ની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: આજે 14 એપ્રિલ એટલે ફાયર-ડે ની ઉજવણીનો દિવસ ભારતભરમાં ફાયર-ડે ની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત આજે વાપી ટાઉન ઈચ્‍છામૂર્તિ હનુમાન મંદિરમાં ફાયર-ડેની ઉજવણીનો વિશિષ્‍ટ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહિદોને શ્રધ્‍ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. તેમજ ફાયર વિભાગમાં ફરજ બજાવતા વીર યોધ્‍ધાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
રાઉન્‍ડ ધી ક્‍લોક કોઈપણ ઈમરજન્‍સીમાં ફાયર બ્રિગેડ ટીમ લોકોની સેવા કરવા તત્‍પર રહે છે. સર્વ ટુ સેવ સાથે ફાયર બ્રિગેડ એલર્ટ પોઝિશનમાં તહેનાત રહે છે. આજે ભારતવર્ષમાં ભારત સરકારે 14 એપ્રિલનો દિવસ ફાયર-ડે તરીકે ઉજવવાની જાહેરાત કરેલી છે. 14 એપ્રિલના દિવસે ફાયરની મોટામાં મોટીદુર્ઘટના ઘટી હતી. કાર્યક્રમમાં ઉપસ્‍થિત ચીફ ફાયર ઓફિસર મુકેશભાઈએ આ બાબતે માહિતી આપતા જણાવ્‍યું હતું કે, સન 1944 થી 14 એપ્રિલના રોજ મુંબઈ ડોક યાર્ડમાં એક બ્રિટીશ માલવાહક જહાજમાં ભીષણ આગ લાગી હતી. જહાજમાં સ્‍ફોટકો-કેમિકલ હોવાથી ભિષણ આગે વરવુ સ્‍વરૂપ લીધુ હતું. પુરુ જહાજ આગની લપેટમાં આવી ગયું હતું. આગ બુઝાવવા સમગ્ર બોમ્‍બેની ફાયર ફોર્સ ડયુટીમાં હતી. આ દુર્ઘટનામાં 66 જેટલા ફાયરમેન શહિદ થયા હતા. જ્‍યારે 300 ઉપરાંત સિવિલીયનના મોત થયા હતા. તે દિવસની યાદગીરી અને મૃતકોને શ્રધ્‍ધાંજલી માટે 14 એપ્રિલનો દિવસ દેશભરમાં ફાયર-ડે તરીકે ઉજવાય છે. આજે વાપીમાં ફાયરની ગાડીઓને શણગારી, અવરનેશના સ્‍લોગનો સાથે શહેરમાં ફરીને ફાયર-ડેની ઉજવણી કરી હતી. ફાયર-ડે ઉજવણી અન્‍ય ત્રણ સ્‍થળોએ પણ કરાઈ હતી. જેમાં પીડીલાઈટ ઈન્‍ડસ્‍ટ્રીઝ, સેલ્‍બી હોસ્‍પિટલ અને એક ગારમેન્‍ટ યુનિટનો સમાવેશ થાય છે.

Related posts

17મી સપ્‍ટેમ્‍બરે ‘આંતરાષ્‍ટ્રીય સમુદ્ર તટ સફાઈ દિવસ’ના ઉપક્રમે યોજાનારા જમ્‍પોર અને દેવકા બીચની સ્‍વચ્‍છતા માટે  દમણમાં 20 હજારથી વધુ લોકો બીચની સફાઈ માટે જોડાશેઃ સંઘપ્રદેશ પ્રશાસન અને કોસ્‍ટગાર્ડ દ્વારા અપાયેલો આખરી ઓપ

vartmanpravah

સેલવાસ કલા કેન્‍દ્રમાં જેઈઆરસી દ્વારા થયેલી લોક સુનાવણી

vartmanpravah

વલસાડ જિલ્લાના પાંચ ધારાસભ્‍યોએ જગત જનની માઁ અંબેની પૂજા-અર્ચના કરી

vartmanpravah

વલસાડમાં પત્રકાર વેલફેર એસોસિએશન દ્વારા ચોથો મીડિયા એવોર્ડ 2024 યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના નવનિયુક્‍ત પ્રભારી અને સહ પ્રભારીએ સેલવાસ ન.પા. પાલિકા પ્રમુખ અને કાઉન્‍સિલરો માટે યોજેલી કાર્યશાળા

vartmanpravah

સેલવાસથી મિત્રોસાથે ફરવા નીકળેલ તરૂણ ગુમ

vartmanpravah

Leave a Comment