October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ફાયર-ડે ની ઉજવણી : શહિદોને શ્રધ્‍ધાંજલી સાથે વીર યોધ્‍ધાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું


પ્રતિ વર્ષે 14 એપ્રિલના રોજ દેશભરમાં ફાયર-ડે ની ઉજવણી કરવામાં આવે છે : વાપીમાં ત્રણ સ્‍થળોએ ફાયર-ડે ની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: આજે 14 એપ્રિલ એટલે ફાયર-ડે ની ઉજવણીનો દિવસ ભારતભરમાં ફાયર-ડે ની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત આજે વાપી ટાઉન ઈચ્‍છામૂર્તિ હનુમાન મંદિરમાં ફાયર-ડેની ઉજવણીનો વિશિષ્‍ટ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહિદોને શ્રધ્‍ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. તેમજ ફાયર વિભાગમાં ફરજ બજાવતા વીર યોધ્‍ધાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
રાઉન્‍ડ ધી ક્‍લોક કોઈપણ ઈમરજન્‍સીમાં ફાયર બ્રિગેડ ટીમ લોકોની સેવા કરવા તત્‍પર રહે છે. સર્વ ટુ સેવ સાથે ફાયર બ્રિગેડ એલર્ટ પોઝિશનમાં તહેનાત રહે છે. આજે ભારતવર્ષમાં ભારત સરકારે 14 એપ્રિલનો દિવસ ફાયર-ડે તરીકે ઉજવવાની જાહેરાત કરેલી છે. 14 એપ્રિલના દિવસે ફાયરની મોટામાં મોટીદુર્ઘટના ઘટી હતી. કાર્યક્રમમાં ઉપસ્‍થિત ચીફ ફાયર ઓફિસર મુકેશભાઈએ આ બાબતે માહિતી આપતા જણાવ્‍યું હતું કે, સન 1944 થી 14 એપ્રિલના રોજ મુંબઈ ડોક યાર્ડમાં એક બ્રિટીશ માલવાહક જહાજમાં ભીષણ આગ લાગી હતી. જહાજમાં સ્‍ફોટકો-કેમિકલ હોવાથી ભિષણ આગે વરવુ સ્‍વરૂપ લીધુ હતું. પુરુ જહાજ આગની લપેટમાં આવી ગયું હતું. આગ બુઝાવવા સમગ્ર બોમ્‍બેની ફાયર ફોર્સ ડયુટીમાં હતી. આ દુર્ઘટનામાં 66 જેટલા ફાયરમેન શહિદ થયા હતા. જ્‍યારે 300 ઉપરાંત સિવિલીયનના મોત થયા હતા. તે દિવસની યાદગીરી અને મૃતકોને શ્રધ્‍ધાંજલી માટે 14 એપ્રિલનો દિવસ દેશભરમાં ફાયર-ડે તરીકે ઉજવાય છે. આજે વાપીમાં ફાયરની ગાડીઓને શણગારી, અવરનેશના સ્‍લોગનો સાથે શહેરમાં ફરીને ફાયર-ડેની ઉજવણી કરી હતી. ફાયર-ડે ઉજવણી અન્‍ય ત્રણ સ્‍થળોએ પણ કરાઈ હતી. જેમાં પીડીલાઈટ ઈન્‍ડસ્‍ટ્રીઝ, સેલ્‍બી હોસ્‍પિટલ અને એક ગારમેન્‍ટ યુનિટનો સમાવેશ થાય છે.

Related posts

વલસાડ ખાતે યોજાયેલા મુખ્યમંત્રીશ્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂ થયેલા ૧૩ પૈકી ૧૧ પ્રશ્નોનો નિકાલ કરાયો

vartmanpravah

પ્રદેશની સળગતી સમસ્‍યા, દાનહ સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં દાનહ અને દમણ-દીવ ખાતે ભારત સરકારની ‘‘આયુષ્‍માન ભારત” યોજના બંધ હોવાની કરેલી રજૂઆત

vartmanpravah

લક્ષદ્વીપ દુનિયા માટે ઈકો ટુરિઝમનું મોડેલ બનશેઃ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

vartmanpravah

સ્‍માર્ટ સિટી સેલવાસના નવતર ‘‘Cycle2Work” અભિયાનને રાષ્‍ટ્રીય શહેરી કોન્‍કલેવમાં મળ્‍યો પ્રતિષ્‍ઠિત એવોર્ડ

vartmanpravah

ચીખલી તાલુકામાં રવિવારના રોજ 62 જેટલી ગ્રામ પંચાયતના, 61 સરપંચ અને 1039 વોર્ડ સભ્‍યોનું 1.84 લાખ મતદારો ભાવિ નક્કી કરશે

vartmanpravah

વાપીમાં ઈલેક્‍ટ્રીક કારોના ચાર્જીંગ સ્‍ટેશનમાં ચાર્જીંગ માટે કારોની વધેલી અવર જવર

vartmanpravah

Leave a Comment