July 28, 2026
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદેશ

ગુજરાત ઓબીસી મોરચા પ્રદેશ પ્રભારી વિશાલભાઈ ટંડેલની અધ્‍યક્ષતામાં ગીર-સોમનાથ જિલ્લા મથક વેરાવળ ટાવર ચોક ખાતે પ્રધાનમંત્રીશ્રી વિરૂદ્ધ કરેલી ટિપ્‍પણી મુદ્દે ‘રાહુલ ગાંધી માફી માંગો’ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વેરાવળ,તા.09 : કૉંગેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની ‘ઓબીસી’ અંગે અશોભનીય નિવેદન આપ્‍યું છે, તેના વિરોધ માટે આજે બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી મયંકભાઇ નાયકની સૂચના અનુસાર કોંગ્રેસના વરિષ્‍ઠ નેતા શ્રી રાહુલ ગાંધીના પૂતળાં દહન તેમજ ‘રાહુલ ગાંધી માફી માંગે’ એવો કાર્યક્રમ ગીર-સોમનાથ જિલ્લાના મુખ્‍ય મથક એવા વેરાવળ શહેરના ટાવર ચોક ખાતે રાખવામાં આવેલ હતો. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ ઓબીસી પ્રભારી શ્રી વિશાલભાઈ ટંડેલ, ગીર-સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મહેન્‍દ્રભાઈ પીઠિયા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ પ્રો.(ડૉ.)જીવાભાઈ વાળા, મહામંત્રી શ્રી ડી. ક.ે નિમાવત, પ્રદેશ કારોબારી સભ્‍ય શ્રી ભીમભાઈ વાયલુ, શ્રી અરવિંદ ધરેચા, જિલ્લા ભાજપ મંત્રી શ્રી હરિભાઈ વાળા, મહિલા મોરચાના પ્રમુખ ડૉ. નિશાબેનગોહિલ, શહેર ભાજપ ઉપાધ્‍યક્ષ શ્રી જયેશ પંડ્‍યા, અનુસુચિત જાતિ મોરચાના મહામંત્રી શ્રી કાંતિભાઈ ચૂડાસમા, શહેર બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી ગજેન્‍દ્ર ગોસ્‍વામી, બક્ષીપંચ મોરચાના હોદેદારો, સંગઠનના હોદેદારો, યુવા મોરચાના કાર્યકર્તાઓ અને બક્ષીપંચ સમાજના કાર્યકર્તાઓ જોડાયા હતા. આ અવસરે શ્રી મહેન્‍દ્રભાઈ પીઠીયા અને શ્રી વિશાલભાઈ ટંડેલે કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. ગીર-સોમનાથ જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ પ્રો.(ડૉ.)જીવાભાઈ વાળાએ ‘શરમ કરો શરમ કરો, રાહુલ ગાંધી શરમ કરો’ વડાપ્રધાન મોદીનું અપમાન ઓબીસી સમાજનું અપમાન છે, જેવા સૂત્રોચાર કર્યા હતા. આ કાર્યક્રમમાં દાદરા નગર હવેલી દમણ-દીવ પ્રદેશ ભાજપ કારોબારી કમિટી સભ્‍ય શ્રી કિર્તીભાઈ ગોહિલ અને દીવના શ્રી મનોજ બારીયા પણ જોડાયા હતા.

Related posts

વાપીમાં કન્‍ટેનરમાં પાછળથી ટેમ્‍પો ઘૂસી જતા અકસ્‍માત સર્જાયો : ટેમ્‍પો ચાલકનું મોત

vartmanpravah

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના અધ્‍યક્ષતામાં વાપી ખાતે ગુરૂક્રાંતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ ઉમિયા સોશિયલ ટ્રસ્‍ટનું અનોખું પ્‍લાસ્‍ટીક મુક્‍ત શહેરનું અભિયાન

vartmanpravah

દમણ જિલ્લાના સરપંચોના પ્રતિનિધિ મંડળે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દાનહ નમો મેડિકલ કોલેજમાં શૈક્ષણિક વર્ષ-2021-22 માટે પ્રવેશનો પ્રારંભ

vartmanpravah

વાપી રાતા ભરતનગરમાં રહેઠાણ એરિયામાં આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

vartmanpravah

Leave a Comment