(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.13: દમણ કોસ્ટગાર્ડના ડી.આઈ.જી. શ્રી એસ.એસ.એન. વાજપેયીને દિલીપનગર ડેવલપમેન્ટ એસોસિએશનના ચેરમેન શ્રી લખમભાઈ ટંડેલે આજે અયોધ્યા ખાતે નવનિર્મિત શ્રી રામ મંદિરના મોડેલની પ્રતિકૃતિ ભેટ આપી હતી. ડીડીએની ટીમ ચેરમેન શ્રી લખમભાઈ ટંડેલના નેતૃત્વમાં કોસ્ટગાર્ડ કાર્યાલય ખાતે પહોંચી ડી.આઈ.જી.ને શ્રી રામ મંદિરના મોડેલની પ્રતિકૃતિ ભેટ આપી હતી. આ પ્રસંગે વાઈસ ચેરમેન શ્રી હરિશભાઈ ટંડેલ, જનરલ સેક્રેટરી શ્રી કૈલાશ શર્મા અને શ્રી ઉમેશ મિત્તલ ઉપસ્થિત રહ્યા હતા.