June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી તા.પં. ખાતે વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ પટેલનું હૃદયરોગના હુમલાથી થયેલ નિધન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.01: વાપી તાલુકા પંચાયત કચેરી ખાતે વિસ્‍તરણ અધિકારી, પંચાયત તરીકે ફરજ બજાવતા શ્રી મહેન્‍દ્રભાઈ પટેલ રહે.કચવાલ તા.પારડીનું આજે બપોરેઅચાનક હદય રોગનો હુમલો આવતા દુઃખદ અવસાન થયું છે. તેઓ આજે સવારે તેમના ઘરેથી તાલુકા પંચાયત કચેરી વાપી ખાતે જવા માટે બાઈક પર જવા નીકળ્‍યા હતા. પરંતુ રસ્‍તામાં જ તેમને હાર્ટ એટેક આવ્‍યો હતો અને તેઓ બાઈક પરથી પડી ગયા હતા. અને ત્‍યાં જ તેમનું દુઃખદ અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી માંદગીથી પીડાતા હતા. અને તેઓ સારવાર પણ લઈ રહ્યા હતા.
ખુબ જ સાલસ સ્‍વભાવના મહેન્‍દ્રભાઈએ લાંબા સમય સુધી વલસાડ જિલ્લા વિવિધ તાલુકાઓમાં તલાટી કમ મંત્રી તરીકે નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી હતી હતી. છેલ્લા બે વર્ષથી તેમને વાપી તાલુકા પંચાયત કચેરી ખાતે વિસ્‍તરણ અધિકારી પંચાયત તરીકેનું પ્રમોશન મળતા તેઓ ફરજ બજાવતા હતા. ગત વર્ષે તેઓ તાલુકા વિકાસ અધિકારીની ખાતાકીય પરીક્ષામાં પણ પાસ થયા હતા. એકાદ વર્ષમાં તેમને પ્રમોશન પણ મળવાનું હતું. પણ આજે અચાનક હદય રોગનો હુમલો આવતા તેઓ આપણી વચ્‍ચે રહ્યાં નથી.
તેમની અંતિમ યાત્રા આજે બપોરે 2.30 કલાકે તેમનાં ઘરેથી નિકળશે. પ્રભુ સદગતના આત્‍માને પરમ શાંતિ આપે અને તેમના પરિવારને તેમની ચિર વિદાય સહન કરવાની શક્‍તિ આપે એવી પ્રાર્થના.

Related posts

પિપરિયા પર હુમલો …તો દાદરા નગર હવેલીની રાજકીય દશા પણ કાશ્‍મીર જેવી જ થઈ હોત

vartmanpravah

દાદરાની અમૂલ્‍યા એન્‍જિનિયર્સ કંપનીમાં કામ કરતા ઈસમને કંપનીના કામ અર્થે ભરૂચ કેમિકલ કંપનીમાં કા કરી પરત ફરતા થયું સ્‍કીન ઈન્‍ફેકશન

vartmanpravah

સરીગામ યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સ્‍વ. કમલાશંકર રાયની 19 મી પુણ્‍યતિથિ નિમિત્તે રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

દાનહમાં આદિવાસી સમાજ દ્વારા નાંદરવો દેવની પૂજા કરાઈ

vartmanpravah

દાનહમાં ચોમાસા દરમિયાન ખખડધજ બનેલા રસ્‍તાઓનું સમારકામ શરૂ કરાયું

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દાનહના સેલ્‍ટી સહિત દેશની પ0 એકલવ્‍ય મોડલ આવાસીય શાળાનું   કરેલું શિલાન્‍યાસ

vartmanpravah

Leave a Comment