March 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી તા.પં. ખાતે વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ પટેલનું હૃદયરોગના હુમલાથી થયેલ નિધન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.01: વાપી તાલુકા પંચાયત કચેરી ખાતે વિસ્‍તરણ અધિકારી, પંચાયત તરીકે ફરજ બજાવતા શ્રી મહેન્‍દ્રભાઈ પટેલ રહે.કચવાલ તા.પારડીનું આજે બપોરેઅચાનક હદય રોગનો હુમલો આવતા દુઃખદ અવસાન થયું છે. તેઓ આજે સવારે તેમના ઘરેથી તાલુકા પંચાયત કચેરી વાપી ખાતે જવા માટે બાઈક પર જવા નીકળ્‍યા હતા. પરંતુ રસ્‍તામાં જ તેમને હાર્ટ એટેક આવ્‍યો હતો અને તેઓ બાઈક પરથી પડી ગયા હતા. અને ત્‍યાં જ તેમનું દુઃખદ અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી માંદગીથી પીડાતા હતા. અને તેઓ સારવાર પણ લઈ રહ્યા હતા.
ખુબ જ સાલસ સ્‍વભાવના મહેન્‍દ્રભાઈએ લાંબા સમય સુધી વલસાડ જિલ્લા વિવિધ તાલુકાઓમાં તલાટી કમ મંત્રી તરીકે નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી હતી હતી. છેલ્લા બે વર્ષથી તેમને વાપી તાલુકા પંચાયત કચેરી ખાતે વિસ્‍તરણ અધિકારી પંચાયત તરીકેનું પ્રમોશન મળતા તેઓ ફરજ બજાવતા હતા. ગત વર્ષે તેઓ તાલુકા વિકાસ અધિકારીની ખાતાકીય પરીક્ષામાં પણ પાસ થયા હતા. એકાદ વર્ષમાં તેમને પ્રમોશન પણ મળવાનું હતું. પણ આજે અચાનક હદય રોગનો હુમલો આવતા તેઓ આપણી વચ્‍ચે રહ્યાં નથી.
તેમની અંતિમ યાત્રા આજે બપોરે 2.30 કલાકે તેમનાં ઘરેથી નિકળશે. પ્રભુ સદગતના આત્‍માને પરમ શાંતિ આપે અને તેમના પરિવારને તેમની ચિર વિદાય સહન કરવાની શક્‍તિ આપે એવી પ્રાર્થના.

Related posts

વલસાડના જલારામ મનોવિકાસ કેન્‍દ્રમાં વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

જિલ્લા પ્રશાસનની અનુમતિ સાથે સંઘપ્રદેશમાં મહત્તમ 200 વ્‍યક્‍તિઓની મર્યાદા સાથે હાઉસિંગ સોસાયટીઓ તથા રહેણાંક વિસ્‍તારોમાં નવરાત્રિ મહોત્‍સવ યોજી શકાશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોનાની રફતાર ધીમી પડી પરંતુ સાવચેતી જરૂરી છે

vartmanpravah

દીવમાં ત્રણ દિવસ સુધી દારૂની દુકાનો બંધ રહેશેઃ મંગળવારે સાંજે 6 વાગ્‍યાથી ડ્રાય ડે શરૂ થશે

vartmanpravah

વલસાડ સિવિલ હોસ્‍પિટલના રેસિડેન્‍ટ ડોક્‍ટરો પડતર માંગણીઓ માટે હડતાલ ઉપર ઉતર્યા

vartmanpravah

એન.ડી.આર.એફ. દ્વારા દીવની શાળાના વિદ્યાર્થીઓને કુદરતી આફત સમયે રાહતબચાવ કામગીરી અંગેની આપવામાં આવેલી તાલીમ

vartmanpravah

Leave a Comment