March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કોટલાવ પિયુ પાર્ક પાસે પિયાગો રીક્ષાએ પલટી મારી

શાકભાજી લેવા ગયેલ કોટલાવ પ્રાથમિક શાળાના રીપેરીંગનું કામ કરતા વૃદ્ધને ઈજા થતાં સારવાર હેઠળ

રીક્ષા ચાલકે સારવારનો ખર્ચ આપવાનું કહી ફરી જતા પાંચ દિવસ બાદ નોંધાવી ફરિયાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.15: પારડીના કોટલાવ ખાતે આવેલ પ્રાથમિક શાળા બનાવવાનો કોન્‍ટ્રાક્‍ટ દાહોદખાતે રહેતા રમેશભાઈ વેરિયાભાઈ ભાંભરએ રાખ્‍યો હોય હાલમાં તેઓ અહી પ્રાથમિક શાળા કોટલાવ ખાતે જ રોકાઈને શાળાનું કામકાજ કરી રહ્યા છે.
તારીખ 10.2.2024 ના રોજ શાળા બનાવવાના કામકાજમાં મજુર તરીકે કામ કરતા અને કોન્‍ટ્રાકટરના કાકા કેશાભાઈ છનુંભાઈ ભાંભર કોટલાવથી શાકભાજી લેવા પારડી જઈ શાકભાજી લઈ પારડી ચાર રસ્‍તાથી નરેશભાઈ બાબુભાઈ કો.પટેલની પિયાગો રીક્ષા નંબર જીજે 15 વાયવાય 7417 માં બેસી પરત કોટલાવ આવી રહ્યો હતો. આ દરમ્‍યાન પિયાગો રીક્ષા ચાલક નરેશભાઈ બાબુભાઈ કો.પટેલનાઓએ પોતાની રીક્ષા પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી કોટલાવ પિયુ પાર્ક પાસે સ્‍ટેશન જતા રસ્‍તા પર પલટી મરાવતા અંદર બેઠેલા પેસેન્‍જર પૈકી કોટલાવ પ્રાથમિક શાળા બનાવવાના કામકાજમાં મજુર તરીકે કામ કરતા અને કોન્‍ટ્રાકટરના કાકા કેશાભાઈ છનું ભાઈ ભાંભર ઉ.વ.60 નાઓને માથાના ભાગે, મોઢાના ભાગે અને જમણા પગના ઘૂંટણમાં ઈજા થતાં વલસાડ સિવિલ હોસ્‍પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા.
પિયાગો રીક્ષા ચાલક નરેશભાઈ બાબુભાઈ કો.પટેલએ સારવારનો ખર્ચ આપી દેવાનું કબૂલ કરતા આજદિન સુધી કોઈ ફરિયાદ કરી ન હતી પરંતુ આજદિન સુધી કોઈ ખર્ચ ન આપતા આજરોજ પિયાગો રીક્ષા ચાલક નરેશભાઈ બાબુભાઈકો.પટેલ વિરૂધ્‍ધ કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

વલસાડ સ્‍ટેશન ગુજરાત કવીન ટ્રેનમાં યુવતિ આપઘાત પ્રકરણમાં સંસ્‍થાના સંચાલકો ઉપર ગુનો નોંધાયો

vartmanpravah

દમણના સોમનાથ વિસ્‍તારમાં 62 વર્ષીય મહિલાની લૂંટ અને હત્‍યાઃ પોલીસે આરોપીની કરી ધરપકડ

vartmanpravah

પરિણામ નહીં મળે તો ચૂંટણી બહિષ્‍કારની ચિમકી સાથે: વલસાડ કાંઠા વિસ્‍તારના 12 ગામના લોકો રેતી ખનન મામલે મેદાને ઉતર્યા : રેલી કાઢી

vartmanpravah

વાપીની મહિલા ઉદ્યોગપતિને આઉટ સ્‍ટેન્‍ડિંગ બિઝનેશ વુમન પુરસ્‍કાર એનાયત

vartmanpravah

ડેપ્‍યુટી કલેક્‍ટર સાથે યોજાયેલ વિવિધ સમાજ અને ધર્મગુરૂઓ સાથેની બેઠકમાં દમણના દરિયા કે નદીમાં પૂજા સામગ્રી કે પ્‍લાસ્‍ટિકનું વિસર્જન નહીં કરવા તાકીદ

vartmanpravah

સ્‍વ.દેવકીબા મોહનસિંહજી ચૌહાણની પુણ્‍યતિથિ નિમિત્તે સેલવાસમાં યોજાયો રક્‍તદાન કેમ્‍પ

vartmanpravah

Leave a Comment