July 22, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ સાયલી પંચાયતની ગ્રામસભા યોજાઈ

સાયલી પંચાયત વિસ્‍તારમાં જાહેરમાં છોડાતા ગંદા પાણીના મુદ્દે ગાજેલો પ્રશ્નઃ પૂર્વ સરપંચ વિષ્‍ણુભાઈ વરઠા અને વોર્ડ સભ્‍ય બચુભાઈ વૈજલ સહિતના અન્‍ય વોર્ડ સભ્‍યોએ ઉમરકુઈ ખાતેના ટ્રીટ રિસોર્ટ દ્વારા જાહેરમાં છોડવામાં આવતા ગંદા પાણીના સ્‍થળની મુલાકાત કરી નોટિસ આપી હાથ ધરેલી વધુ તપાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના દરેક ગામોમાં ‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત વર્ષ 2024-‘25ના ડેવલપમેન્‍ટ પ્‍લાનને મંજૂર કરવા વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે મુજબ આજે દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા સાયલી પંચાયત ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
સાયલી પંચાયત ઘર ખાતે યોજાયેલી ગ્રામસભામાં પંચાયતના વોર્ડ સભ્‍યો દ્વારા ટ્રીટ રિસોર્ટ દ્વારા પંચાયત વિસ્‍તારમાં ખુલ્લેઆમ છોડવામાં આવી રહેલા ગંદકીવાળાપાણીનો મુદ્દો ઉઠાવ્‍યો હતો. આ મુદ્દાને ગંભીરતાથી લઈ સાયલી પંચાયતના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓએ જાહેરમાં ગંદું પાણી છોડતી ઉમરકુઈ ખાતે આવેલી ટ્રીટ રિસોર્ટની સ્‍થળ મુલાકાત કરી હતી.
અત્રે યાદ રહે કે, ઉમરકુઈ ગામ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. પરંતુ અહીં આવેલી ટ્રીટ રિસોર્ટ દ્વારા છેલ્લા ઘણાં સમયથી ગંદુ પાણી જાહેરમાં છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ગામ સહિત આજુબાજુના કેટલાક ગામના વિસ્‍તારોમાં વહેતા ગંદા પાણીથી સૌંદર્યને નુકસાન થઈ રહ્યું હોવાની ફરિયાદ ગ્રામજનોએ કરી હતી. જેને ધ્‍યાનમાં લઈને સાયલી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી વિષ્‍ણુભાઈ વરઠા, વોર્ડ સભ્‍ય શ્રી બચુભાઈ વૈજલ સહિતના ચૂંટાયેલા સભ્‍યોએ જાહેરમાં ગંદું પાણી છોડી રહેલા સ્‍થળની મુલાકાત કરી હતી. દરમિયાન અહીં દુર્ગંધ મારતુ ખરાબ પાણી ટ્રીટ રિસોર્ટ દ્વારા ખુલ્લેઆમ છોડવામાં આવી રહ્યું હોવાનું નજરે પડયું હતું. આથી આ સમસ્‍યાનો તાત્‍કાલિક નિકાલ કરવા માટે ટ્રીટ રિસોર્ટને નોટિસ આપવા સાથે અન્‍ય કાયદેસરના પગલાં ભરવા સાયલી પંચાયતે નિર્ણય લીધો હતો.

Related posts

પૂ.મોરારીબાપુના હસ્તે ધરમપુરના ભગવતાચાર્ય શ્રી શરદભાઇ વ્યાસને “વ્યાસ એવૉર્ડ” અર્પણ

vartmanpravah

દાનહના કેટલાક રસ્‍તાઓના રિપેરીંગ માટે રસ્‍તાઓ બંધ રાખવામાં આવશે

vartmanpravah

તહેવારોમાં વેચાતા દેવી-દેવતાઓના ફોટાવાળા સામાન પર પ્રતિબંધ મૂકવા પારડી વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મામલતદાર અને પારડી નગપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયુ

vartmanpravah

વલસાડમાં જલારામ મનોવિકાસ કેન્દ્ર દ્વારા વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસે રેલી નીકળી

vartmanpravah

વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પારડીમાં વિજયા દશમીનો યોજાયેલો કાર્યક્રમ

vartmanpravah

દેશની બહુમતી વસ્‍તીને લોકકળાના સામર્થ્‍ય સાથે જોડી જાગૃત બનાવી શકાય છે : સલોની રાય-હાયર એજ્‍યુકેશન સચિવ

vartmanpravah

Leave a Comment