June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રામાયણ ઉપર વિદ્યાર્થીઓની પરીક્ષાનો દેશભરમાં પ્રથમ પ્રયાસ વલસાડથી : 8 હજાર બાળકોએ પરીક્ષા આપી

રામચરિત્ર માનસ પરિવારના કેવલ રામદાસ મહારાજ દ્વારા આયોજન : 70 ટકા ઉપરાંત લાવનાર વિદ્યાર્થીઓને ચાર ધામની યાત્રા કરાવાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: અયોધ્‍યામાં પ્રભુ શ્રી રામના મંદિરના યોજાયેલ પ્રાણ પ્રતિષ્‍ઠા બાદ દેશભરમાં પ્રભુ રામ માટે આસ્‍થાની લહેર વ્‍યાપી રહી છે. લાખોની સંખ્‍યામાં શ્રધ્‍ધાળુઓરોજ અયોધ્‍યા રામ લલ્લાના દર્શન માટે ઉમટી રહ્યા છે. હવે દેશના બાળકો, યુવાનોમાં રામ ભગવાન અને રામાયણથી ચિત પરિચિત કરવા માટે નવતર પ્રયાસ હાથ ધરાયો છે તે અનુસાર વલસાડમાં દેશભરમાં પ્રથમવાર રામાયણ બાલકાંડની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 8 હજાર ઉપરાંત વિવિધ સ્‍કૂલના બાળકોએ રામાયણની પરીક્ષા આપી હતી.
રામ ચરિત્ર માનસ પરિવારના કેવલ રામદાસ મહારાજ ઉજ્જેન દ્વારા વલસાડમાં રામાયણ પરીક્ષાનું પ્રશંસનિય આયોજન કર્યું હતું. આ પરીક્ષા જિલ્લાની વિવિધ સ્‍કૂલના 8 હજાર જેટલા બાળકોએ આપી હતી. વિશેષ બાબત એ હતી કે પરીક્ષામાં 70 ટકાથી વધુ માર્કસ લાવનાર બાળકોને ચારધામ યાત્રા કરાવાશે. બાળકોએ પણ હોંસે હોંસે પરીક્ષા આપી હતી. પ્રથમ પ્રયાસમાં બાલકાંડ ઉપર પ્રશ્નો અને પેપર હતું, બીજા પ્રયાસમાં રામાયણ ઉપર પરીક્ષા લેવામાં આવશે. બીજી મહત્ત્વની બાબત એ રહી કે ભારતભરમાં રામાયણ ઉપર પરીક્ષાનો સર્વ પ્રથમ પ્રયાસ વલસાડથી થયો છે તે પણ ગૌરવ સમાન બાબત લેખાવી શકાય.

Related posts

વાપી નાસિક રોડ કાકડકોપર પાસે ઈકો અને એસ.ટી. વચ્‍ચે અકસ્‍માત : ઈકો અને બસના 33 મુસાફરો ઘાયલ

vartmanpravah

દીવ જિલ્લામાં 15 થી 18 વર્ષની વયજૂથના કિશોર-કિશોરીઓનું 100 ટકા થયેલું કોવિડ વેક્‍સિનેશન

vartmanpravah

દિવાળીના તહેવારને ધ્‍યાનમાં રાખી મીઠાઈઓની દુકાનોમાંથી લેવામાં આવેલ સેમ્‍પલોના રિપોર્ટને વહેલી તકે સાર્વજનિક કરવા માટે શિવસેના પ્રમુખ શ્વેતલ ભટ્ટની આરોગ્‍ય સચિવને રજૂઆત

vartmanpravah

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં દાનહ કોંગ્રેસે કરેલો ‘સંકલ્‍પ સત્‍યાગ્રહ’

vartmanpravah

ધરમપુરમાં ક્રાંતિકારી બિરસા મુંડાની જન્‍મજ્‍યંતીની ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહની 108 એમ્‍બ્‍યુલન્‍સ ટીમ દ્વારા આશ્રમના બાળકો સાથે ‘બાળ દિવસ’ની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment