Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી નવસારીના વાંસી- બોરસી ખાતે પીએમ મિત્ર પાર્કનું ખાત મુહૂર્ત કરશે

કુલ રૂા. 41 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.21: જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતેના પી.એમ.મિત્ર ટેક્‍સટાઇલ પાર્ક સાઈટ ખાતે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના વરદ હસ્‍તે તા.22/02/2024 ના રોજ સાંજે 4-00 કલાકે વિકસીત ભારતના સ્‍વપ્‍ન અને અમૃતકાળના સંકલ્‍પને સાર્થ કરતાં કુલ રૂ.41 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, નવસારી સાંસદ શ્રી સી.આર.પાટીલ, કેન્‍દ્રીય રેલ્‍વે મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, કેન્‍દ્રીય ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્‍યમ ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત, રાજયના આદિજાતિ વિકાસ મંત્રી ડો.કુબેરભાઇ ડીંડોર, ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્‍યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, આદિજાતિ વિકાસ રાજયમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ ઉપસ્‍થિત રહેશે.

Related posts

ઉમરગામના મોહનગામમાં આદિવાસી અમૃત કુંભ મહોત્‍સવ રથ યાત્રાનું ધારાસભ્‍ય રમણલાલ પાટકરે ઉમળકાભેર સ્‍વાગત કર્યું

vartmanpravah

વલસાડ જિલ્લા કક્ષાના બે દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની ડીસીઓ સાર્વજનિક હાઈસ્‍કુલ ખાતે શરૂઆત

vartmanpravah

તામિલનાડુ ખાતે ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’ના ઉદ્‌ઘાટન સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ તાજેતરમાં દીવ ખાતે યોજાયેલ મલ્‍ટીસ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સની કરેલી સરાહના

vartmanpravah

અતુલ હાઈવે બ્રીજ નીચે ખાનગી સ્‍કૂલ વાનમાં આગ ભભૂકી ઉઠી : બે બાળકો અને ચાલકનો બચાવ થયો

vartmanpravah

ડુંગરા પોલીસે 1 વર્ષથી પેરોલ પરથી એન.ડી.પી.એસ. ગુનાના ફરાર આરોપીને ઝડપી પાડયો

vartmanpravah

પારડી તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈઃ 2.66 કરોડના વિકાસ કામોને બહાલી અપાઈ

vartmanpravah

Leave a Comment