Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાઘલધરા નેશનલ હાઈવે પર ટેન્‍કરપલ્‍ટી જતા ભીષણ આગ લાગીઃ બે લોકોના મોત

(

 

 

 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)

વાપી, તા.21: વલસાડ નજીક વાઘલધરા નેશનલ હાઈવે ઉપર સાંજના સમયે એક ટેન્‍કર પલ્‍ટી મારી જતા ભીષણ આગ લાગી હતી. આગના વિકરાર સ્‍વરૂપને લઈ પોલીસએ હાઇવેનું આવાગવન અટકાવી દીધું હતું. ઘટના સ્‍થળે ફાયર ફાયર ફાયટરો આગ બુજાવાની જહેમત ઉઠાવી રહ્યા છે.
વલસાડ જિલ્લાના વાઘલધારા પાસે કેમિકલ ભરેલું ટેન્‍કર પલટી ગયા બાદ આગ લાગતા બે લોકોના મોત થયા છે. નેશનલ હાઈવે-48 પર બુધવારે સાંજે સવા છ વાગ્‍યાના અરસામાં કેમિકલ ભરેલું ટેન્‍કર પલટી ગયા બાદ આગ ફાટી નીકળતા અફરતફરી મચી હતી. જ્‍વલનશીલ કેમિકલ હોવાના કારણે આગે ગણતરીની સેકન્‍ડોમાં જ વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ હતી કે પાછળ આવી રહેલી બે કાર પણ આગની ચપેટમાં આવી હતી. ઘટનાના પગલે પોલીસ દ્વારા નેશનલ હાઈવે પરનો બંને તરફનો વાહનવ્‍યવહાર સલામતીના ભાગરૂપે બંધ કરાવી દીધો હતો. ચારથી વધુ ફાયરબ્રિગેડની ટીમોએ બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્‍યો હતો. ઘટનાસ્‍થળ પરથી એક મૃતદેહ ટેન્‍કરમાંથી અને બીજો બહારથી મળી આવ્‍યો છે. બંને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

Related posts

કપરાડા પોલીસ મથકે ફરજ બજાવતા ઈશ્વરભાઈ પટેલને પોલીસ સબ ઈન્‍સ્‍પેક્‍ટર તરીકે બઢતી મળી

vartmanpravah

મધ્‍યપ્રદેશમાં યોજાઈ રહેલ ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’માં દમણના બોક્‍સર સુમિતે મેળવેલો કાંસ્‍ય પદકઃ સંઘપ્રદેશને અપાવેલો પહેલો પદક

vartmanpravah

પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા દાદરા ખાતે ઝોન લેવલ પ્રશ્નમંચ સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

ભારત સરકારના કુદરતી ગેસ મંત્રાલય અને બાલ્‍મેર લોરીના સંયુક્‍ત પ્રયાસથી દાનહના સાયલી અને ખડોલી ગામોની 7પ વંચિત આદિવાસી મહિલાઓના સશક્‍તિકરણ માટે શરૂ થનારો આજીવિકા સંબંધિત પ્રોજેક્‍ટ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પ્રત્‍યે સંઘપ્રદેશના યુવાનોની આશાભરી મીટઃ દાનહ અને દમણ-દીવને બીસીસીઆઈનું એફિલીએશન વહેલી તકે અપાવશે

vartmanpravah

181-કપરાડા વિધાનસભામાં પ્રિસાઈડીંગ અને આસિસ્‍ટન્‍ટ પ્રિસાઈડીંગ ઓફિસરોને તાલીમ અપાઈ

vartmanpravah

Leave a Comment