September 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ વાઘલધરા હાઈવે ઉપર થયેલ ટેન્‍કર અગ્નિકાંડમાં ફરિયાદ નોંધાઈ : ટેન્‍કર માલિકની શોધ શરૂ

ઘટનામાં ડ્રાઈવર ક્‍લિનર ભડથુ થઈ ગયા હતા, બે કારો બળી ખાખ થઈ હતી : કાર માલિકે નોંધાવી ફરિયાદ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડ પાસે વાઘલધરા ગામે બુધવારે સાંજે કેમિકલ ભરેલ ટેન્‍કર ડિવાઈડર કુદી પલટી મારી ગઈ હતી. તેથી ભયંકર આગ લાગી હતી. આગ એટલી ભિષણ હતી કે દુર દુર ધુવાડા ફેલાઈ ગયા હતા. અકસ્‍માતમાં ટેન્‍કર ચાલક-ક્‍લિનર બળીને ભડથું થઈ ગયા હતા. તેમજ અન્‍ય બે કાર આગની લપેટોમાં આવી જતા બળીને ખાખ થઈ ગઈ હતી. હાઈવે ઉપર થયેલ ટેન્‍કર અગ્નિકાંડ ઘટનામાં ચિખલીના કાર માલિકે ડુંગરી પોલીસમાં ગુરૂવારે ફરિયાદ નોંધાવી હતી.
વલસાડ વાઘલધરા હાઈવે ઉપર સુરત તરફ જતી જ્‍વલનશીલ કેમિકલ ભરેલી ટેન્‍કર ડિવાઈડર કુદી મુંબઈ તરફ જતી લાઈનમાં પલટી મારીજતા અતિ વિકરાળ આગ લાગી હતી. ઘટના બાદ હાઈવેનો વાહન વહેવાર અટકાવી દેવાયો હતો. આગની ઘટનામાં ટેન્‍કર પાસે મારૂતિ વાન નં.જીજે 15 ઈબી 1058 અને સામેની ટ્રેક ઉપર પસાર થતી સ્‍વિફટ કાર નં.જીજે 21 સીસી 2128 આગની લપેટોમાં આવી જતા બળીને ખાખ થઈ ગઈ હતી. ટેન્‍કર ચાલક-ક્‍લિનર પણ આગમાં ભડથું થઈ જતા ઓળખ થઈ શકી નહોતી. આગની ઘટના અંગે વાહન ચાલક જીતુભાઈ ઠાકોરભાઈ પટેલ ચીખલી સાદકપોરએ ડુંગરી પોલીસમાં ગુરૂવારે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટેન્‍કર માલિકની શોધખોળ શરૂ કરી દીધી છે.

Related posts

પ્રગટેશ્વર ધામ આછવણીના ધર્માંચાર્ય પરભુદાદાના સાનિધ્‍યમાં નાશિક ગોદાવરી તટે ભવ્‍યાતિભવ્‍ય 1008 કુંડી શ્રીરામ જ્‍યોતિ મહાયજ્ઞ યોજાયો

vartmanpravah

વાપી જીઆઈડીસી સુપ્રિત કેમિકલ કંપનીમાં લાગેલી આગમાં ત્રણ કામદારો ભડથુ થઈ ગયા

vartmanpravah

પારડી કોર્ટમાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં એકી સાથે 399 કેસોનું થયું સમાધાન

vartmanpravah

કેન્‍દ્રિય આવાસ અને શહેરી વિકાસ રાજ્‍યમંત્રી કૌશલ કિશોરે ખાનવેલ ખાતે વિકસિત ભારત સંકલ્‍પ યાત્રામાં આપેલી હાજરી

vartmanpravah

વાપી વીઆઈએમાં વીજ કંપની અધિકારીઓની ઉપસ્‍થિતિમાં ઉર્જા સંરક્ષણ જાગૃતિ સેમિનાર યોજાયો

vartmanpravah

ચીખલીમાં બે આખલા બાખડતા નાસભાગ મચી

vartmanpravah

Leave a Comment