April 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી જીઆઈડીસી સુપ્રિત કેમિકલ કંપનીમાં લાગેલી આગમાં ત્રણ કામદારો ભડથુ થઈ ગયા

કંપની કાટમાળ નીચે તપાસ કરતા ત્રણ કામદારો અર્ધ બળેલા મળી આવેલ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: શુક્રવારે વાપી જીઆઈડીસી સ્‍થિત સુપ્રિત કેમિકલ ઈન્‍ડસ્‍ટ્રીઝમાંલાગેલી આગની ઘટનામાં ત્રણ કામદારો બળીને ભડથુ થઈ ગયા હોવાની શોકજનક ઘટના શનિવારે પ્રકાશમાં આવી હતી.
વાપી જીઆઈડીસી થર્ડ ફેઈઝમાં આવેલ સુપ્રિત કેમિકલ કંપનીના યુનિટ-3માં ભિષણ આગ લાગી હતી. 10-12 કલાક બાદ આગ પર કાબુ મેળવાયો હતો પરંતુ નાઈટશીપમાં ત્રણ કામદારો ઘરે પહોંચ્‍યા નહોતા તેથી પરિવારજનોએ પોલીસને જાણ કરતાં પોલીસે કંપનીમાં તપાસ શરૂ કરી હતી. મોડી રાત સુધી પોલીસે કરેલી શોધખોળમાં ત્રણ કામદારોની અર્ધ બળેલી લાશ મળી હતી. શનિવારે તમામની લાશ પી.એમ. માટે ચલા સી.એચ.સી. ખાતે ખસેડાઈ હતી અને પી.એમ.ની તજવીજ હાથ ધરાઈ હતી. મૃત્‍યુ પામનારાઓમાં મોહંમદ અસલમ મોહંમદ વાહીમ (ઉ.વ.39) રહે.કોચરવા, રાજુ લક્ષ્મણ પ્રજાપતિ (ઉ.વ.26) રહે.કરવડ, અનિલ ફોજદારી પ્રસાદ જયશ્વાલ (ઉ.વ.45) રહે.કોચરવા, કોળીવાડ નામના કામદારોની પોલીસને અર્ધ બળેલી લાશ મળી આવી હતી.

Related posts

કેન્‍દ્ર શાસિત પ્રદેશોના ઈલેક્‍શન કમિશનર તરીકે સુધાંશુ પાંડેની નિયુક્‍તિ

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 75 ખેડૂતોને પ્રાકૃત્તિક ખેતી તરફ વાળવાનો થનારો પ્રાયોગિક પ્રયાસ

vartmanpravah

નગર હવેલી પર ચઢાઈ

vartmanpravah

જામલીયા ગામની શ્રમ આશ્રમ કુમાર છાત્રાલયમાં લંડન પરિવાર દ્વારા પુણ્‍યતિથીએ આનજ વિતરણ

vartmanpravah

દીવ ભાજપ દ્વારા સ્‍વ. હિરાબાને ભાવાંજલિ

vartmanpravah

સોળસુંબા કદાવાડીમાં એક મકાનમાં લાગેલી આગ 

vartmanpravah

Leave a Comment