September 11, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી જીઆઈડીસી સુપ્રિત કેમિકલ કંપનીમાં લાગેલી આગમાં ત્રણ કામદારો ભડથુ થઈ ગયા

કંપની કાટમાળ નીચે તપાસ કરતા ત્રણ કામદારો અર્ધ બળેલા મળી આવેલ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: શુક્રવારે વાપી જીઆઈડીસી સ્‍થિત સુપ્રિત કેમિકલ ઈન્‍ડસ્‍ટ્રીઝમાંલાગેલી આગની ઘટનામાં ત્રણ કામદારો બળીને ભડથુ થઈ ગયા હોવાની શોકજનક ઘટના શનિવારે પ્રકાશમાં આવી હતી.
વાપી જીઆઈડીસી થર્ડ ફેઈઝમાં આવેલ સુપ્રિત કેમિકલ કંપનીના યુનિટ-3માં ભિષણ આગ લાગી હતી. 10-12 કલાક બાદ આગ પર કાબુ મેળવાયો હતો પરંતુ નાઈટશીપમાં ત્રણ કામદારો ઘરે પહોંચ્‍યા નહોતા તેથી પરિવારજનોએ પોલીસને જાણ કરતાં પોલીસે કંપનીમાં તપાસ શરૂ કરી હતી. મોડી રાત સુધી પોલીસે કરેલી શોધખોળમાં ત્રણ કામદારોની અર્ધ બળેલી લાશ મળી હતી. શનિવારે તમામની લાશ પી.એમ. માટે ચલા સી.એચ.સી. ખાતે ખસેડાઈ હતી અને પી.એમ.ની તજવીજ હાથ ધરાઈ હતી. મૃત્‍યુ પામનારાઓમાં મોહંમદ અસલમ મોહંમદ વાહીમ (ઉ.વ.39) રહે.કોચરવા, રાજુ લક્ષ્મણ પ્રજાપતિ (ઉ.વ.26) રહે.કરવડ, અનિલ ફોજદારી પ્રસાદ જયશ્વાલ (ઉ.વ.45) રહે.કોચરવા, કોળીવાડ નામના કામદારોની પોલીસને અર્ધ બળેલી લાશ મળી આવી હતી.

Related posts

દમણવાડા ગ્રા.પં.ની વિશેષ ગ્રામસભામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા મનોમંથન કરાયું

vartmanpravah

સેલવાસ પીપરીયાબ્રિજ નીચે ઈલેક્‍ટ્રીક બસ, ટેન્‍કર અને બાઈક વચ્‍ચે ટ્રિપલ અકસ્‍માતઃ બાઈકચાલકને પહોંચેલી ઈજા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં પીએમ મોદીએ ગતિ શક્‍તિ રાષ્‍ટ્રીય મિશનની કરેલી શરૂઆતના કાર્યક્રમને દમણ ખાતે અધિકારીઓ અને ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓએ જીવંત નિહાળ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લા 25 કેન્‍દ્રો ઉપર ગુજકેટની જાહેર પરીક્ષા પૂર્ણ : 6124 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

vartmanpravah

ભામટી અને દમણવાડા શાળામાં સંયુક્‍ત રીતે ઉજવાયો પ્રવેશોત્‍સવઃ પ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના સંયુક્‍ત સચિવ સુરેશ ચંદ્ર મીણાની રહેલી ઉપસ્‍થિતિ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ અને આંતરરાષ્‍ટ્રીય કોસ્‍ટલ ક્‍લીનઅપ-ડે નિમિત્તે યોજાયેલ સ્‍વચ્‍છતા અભિયાનમાં દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ ટીમ સાથે લીધેલો ભાગ

vartmanpravah

Leave a Comment