એલ.સી.બી. પી.આઈ. તરીકે ઉત્સવ બારોટ, એસ.ઓ.જી.
પી.આઈ. તરીકે એ.યુ. રોઝ ની નિમણૂંક
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.23: વલસાડ જિલ્લા પોલીસ અધ્યક્ષ ડો.કરણરાજ વાઘેલાએ આજે જિલ્લામાં ખાલી પડેલ તથા જિલ્લા બહારથી આવેલ પી.એસ.આઈ., પી.આઈ.ની જે તે વિભાગ અને પોલીસ સ્ટેશનમાં નિમણૂંકનો ઓર્ડર કર્યો હતો.
પોલીસ વિભાગમાં જે તે ફેરફાર થયા છે તે મુજબ એલ.સી.બી. પી.આઈ. વી.બી. બારોટની દાહોડ બદલી તથા એલ.સી.બી. પી.આઈ. તરીકે ઉત્સવ બારોટની નિમણૂંક કરાઈ છે. જ્યારે વલસાડસ્પે.ઓપરેશન ગૃપ એસ.ઓ.જી. પી.આઈ. તરીકે એ.યુ. રોઝની નિમણૂંક કરાઈ છે. વલસાડ શહેર પી.આઈ. તરીકે બી.ડી. જતીયાની રૂરલ પો.સ્ટે.માં બદલી કરીને તેમના સ્થાને બહારથી આવેલ ડી.ડી. પરમારની નિમણૂંક કરાઈ છે. તદ્દઉપરાંત ડુંગરા પો.સ્ટે.ના પી.આઈ. એમ.પી. પટેલની વરણી વાપી ઉદ્યોગનગર પો.સ્ટે., વલસાડ સી.પી.આઈ.ની નિમણૂંક ઉમરગામ પો.સ્ટે., બી.ડી. જતીયાની વલસાડ રૂરલ, એસ.પી. ગોહીલની ડુંગરા પો.સ્ટે.માં એસ.એસ. પવારની એલ.આઈ.બી. વલસાડ, જી.આર. ગઢવી પારડી, કે.જે. રાઠોડ વાપી ટાઉન પો.સ્ટે., એસ.એન. ગડુ, મરીન પો.સ્ટે. નારગોલ, સુશ્રી એન.એસ. વસાવા એલ.યુ.સી.એ.ડબલ્યું વલસાડ તેમજ પી.જી. ચૌધરી સી.પી.આઈ. વલસાડ આ તમામ પી.આઈ.ઓની નિમણૂંક સાથે 17 જેટલા પોલીસ સબ ઈન્સ્પેક્ટરોની વિવિધ પો.સ્ટે. તેમજ બ્રાન્ચમાં નિમણૂંક ઓર્ડર કરાયા છે.