July 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

નહેરુ યુવા કેન્‍દ્ર, સેલવાસ દ્વારા કરાડ પોલિટેકનિકમાં યુવા સંસદ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.28 : ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્‍દ્ર સેલવાસ દ્વારા કરાડ પોલિટેકનિક કોલેજમાં યુવા સંસદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ અવસરે એડવોકેટ શ્રીમતી પારુલ રજપૂતે નારી સશક્‍તિકરણના મહત્‍વપૂર્ણ મુદ્દાઓ અંગે જાણકારી આપી હતી. તેમણે યુવા સંસદને સંબોધતા મહિલાઓને પોતાના અધિકારોનો યોગ્‍ય ઉપયોગ કરવા માટે પ્રેરિત કર્યા હતા અને સમાજમા તેમની ભૂમિકાને મહત્‍વપૂર્ણ બનાવી રાખવાની આવશ્‍યકતા પર ભાર આપ્‍યો હતો. શ્રી એમ.વી.પરમારે યુવાઓને મિલેટ્‍સ (જાડા અનાજ)નું મહત્‍વ તથા યોગદાન અંગે જાગૃત કરવામાં આવ્‍યા હતા. જ્‍યારે શ્રી સુરેશ ભોયાએ ગરીબ કલ્‍યાણ યોજનાઓ અંગે જાણકારી આપી હતી.
કાર્યક્રમના અંતમાં ડેમો પાર્લામેન્‍ટ પણ આયોજીત કરવામાં આવી હતી. જેમાં યુવા સમૂહે શાસક દળ અને વિપક્ષ દળના સાંસદની ભૂમિકા નિભાવી હતી અને ઇડબ્‍લ્‍યુએસ આરક્ષણ વિષય પર ચર્ચા કરવામા આવી હતી. આ પ્રયાસથી યુવાઓને રાષ્ટ્રીય સ્‍તર પર સકારાત્‍મક રૂપે સંબોધિત કરવાના પ્રયાસો કર્યા હતા.
દાનહ નહેરુ યુવા કેન્‍દ્રની જિલ્લા યુવા અધિકારી શ્રીમતી મનસાએ આયોજનના માર્ગદર્શન કરી અને દરેક વક્‍તાઓનું સન્‍માન કર્યું હતું. તેમણે યુવાઓને સકારાત્‍મક દિશામાં આગળ વધવા માટે પ્રેરિત કર્યા અનેદરેક અધિકારીઓને કાર્યક્રમની સફળતામાં યોગદાન માટે આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

ખેરગામની આદિવાસી દિકરીએ ડાંગના વિદ્યાર્થીઓ વિષય ઉપર મહાશોધ નિબંધ રજૂ કર્યો

vartmanpravah

દાનહમાં લેબર કોન્‍ટ્રાક્‍ટરો દ્વારા થતું કામદારોનું શોષણ : પ્રદેશ ભાજપ મહામંત્રી મનિષ દેસાઈએ શ્રમ અધિકારીને પાઠવેલું આવેદન પત્ર

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે પંડીત દીન દયાળ ઉપાધ્‍યાયની 108મી જન્‍મ જયંતિની કરેલી ઉજવણી

vartmanpravah

ધરમપુરના નડગધરી ગામે પ્રા.શાળામાં અંધશ્રધ્‍ધાનું તૂત: 12 મરઘા અને બકરીની બલી ચઢાવાઈ

vartmanpravah

શું જનતાએ ચૂંટેલી સરકારોએ કરોમાં રાહત આપીને પેટ્રોલ-ડીઝલ-એલપીજીની કિંમતો ઘટાડવી નહીં જાેઈએ?

vartmanpravah

દમણના કરાટે માસ્‍ટર ડો શિહાન અગમ ચોનકર, પત્‍ની કલ્‍પના ચોનકર અને દિકરી ઈશ્વરી ચોનકરનું જીનીયસ ઈન્‍ડિયન એચીવર એવોર્ડ-ર0રરથી સન્‍માન કરાયું

vartmanpravah

Leave a Comment