April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

નહેરુ યુવા કેન્‍દ્ર, સેલવાસ દ્વારા કરાડ પોલિટેકનિકમાં યુવા સંસદ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.28 : ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્‍દ્ર સેલવાસ દ્વારા કરાડ પોલિટેકનિક કોલેજમાં યુવા સંસદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ અવસરે એડવોકેટ શ્રીમતી પારુલ રજપૂતે નારી સશક્‍તિકરણના મહત્‍વપૂર્ણ મુદ્દાઓ અંગે જાણકારી આપી હતી. તેમણે યુવા સંસદને સંબોધતા મહિલાઓને પોતાના અધિકારોનો યોગ્‍ય ઉપયોગ કરવા માટે પ્રેરિત કર્યા હતા અને સમાજમા તેમની ભૂમિકાને મહત્‍વપૂર્ણ બનાવી રાખવાની આવશ્‍યકતા પર ભાર આપ્‍યો હતો. શ્રી એમ.વી.પરમારે યુવાઓને મિલેટ્‍સ (જાડા અનાજ)નું મહત્‍વ તથા યોગદાન અંગે જાગૃત કરવામાં આવ્‍યા હતા. જ્‍યારે શ્રી સુરેશ ભોયાએ ગરીબ કલ્‍યાણ યોજનાઓ અંગે જાણકારી આપી હતી.
કાર્યક્રમના અંતમાં ડેમો પાર્લામેન્‍ટ પણ આયોજીત કરવામાં આવી હતી. જેમાં યુવા સમૂહે શાસક દળ અને વિપક્ષ દળના સાંસદની ભૂમિકા નિભાવી હતી અને ઇડબ્‍લ્‍યુએસ આરક્ષણ વિષય પર ચર્ચા કરવામા આવી હતી. આ પ્રયાસથી યુવાઓને રાષ્ટ્રીય સ્‍તર પર સકારાત્‍મક રૂપે સંબોધિત કરવાના પ્રયાસો કર્યા હતા.
દાનહ નહેરુ યુવા કેન્‍દ્રની જિલ્લા યુવા અધિકારી શ્રીમતી મનસાએ આયોજનના માર્ગદર્શન કરી અને દરેક વક્‍તાઓનું સન્‍માન કર્યું હતું. તેમણે યુવાઓને સકારાત્‍મક દિશામાં આગળ વધવા માટે પ્રેરિત કર્યા અનેદરેક અધિકારીઓને કાર્યક્રમની સફળતામાં યોગદાન માટે આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

આજે વિશ્વ આદિવાસી દિવસઃ વલસાડ જિલ્લામાં 6 વર્ષમાં રૂ. 460 કરોડના ખર્ચે આદિવાસી સમાજની કાયાપલટ થઈ

vartmanpravah

સરકારી વિનયન અને વાણિજ્‍ય કોલેજ નેત્રંગ ખાતે આદિવાસી સંસ્‍કૃતિ અને સાહિત્‍યનો અકાદમિક કુંભ યોજાશે

vartmanpravah

મોટાપોંઢાની આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજમાં પર્યાવરણ જાગૃત્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને પરીક્ષા કીટનું કરાયેલું વિતરણઃ વિદ્યાર્થીઓને પાઠવેલી શુભકામના

vartmanpravah

મગરવાડા GROUP ગ્રામ પંચાયત દ્વારા થાણાપારડી, બાવરી ફળીયા ખાતે દિવસ ચૌપાલ યોજાઈ

vartmanpravah

મનપા ઉધનાઝોનમાં ગેરકાયદે બાંધકામની ભલામણ મુદ્દે કોર્પોરેટરો બે જૂથમાં

vartmanpravah

Leave a Comment