April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીનાવાંકલ-મોખાથી લઈને વજીફા ગામ સુધી દીપડાના આંટાફેરા છતાં વન વિભાગ દ્વારા માત્ર ત્રણ જ નાઈટ કેમેરા લગાવાયા

વંકાલ ગામના જ વાસણીયા ફળિયામાં પણ દીપડો નજરે પડતાં આ વિસ્‍તારમાં પણ પાંજરું ગોઠવવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.29: વંકાલ ગામના વજીફા ફળિયા વિસ્‍તારમાં એક સપ્તાહ પહેલા પૂર્વ સરપંચ દીપકભાઈના શેરડીના ખેતરમાં કામ કરી રહેલા શ્રમિકો સામે ધોળા દિવસે દીપડો ધસી આવ્‍યો હતો તેના બે દિવસમાં રાત્રી સમયે અંબા માતાના મંદિર પાસે રમણભાઈના કોઢારામાં વાછરડા પર હુમલો કર્યો હતો. જોકે સારવાર બાદ વાછરડાનું મોત નીપજ્‍યું હતું. ત્‍યારબાદ પણ વજીફા ફળિયામાં ખેતીવાડી વિસ્‍તારમાં દીપડો નજરે પડતાં વન વિભાગ દ્વારા રમણભાઈના ખેતર પાસે પાંજરું ગોઠવ્‍યું હતું. બાદમાં ગુરુવારના રોજ વન વિભાગ દ્વારા વજીફા ફળિયામાં ખેડૂત ભગુભાઈ અને રમણભાઈના ખેતરની હદમાં પાંજરાની આસપાસ ત્રણ જેટલા નાઈટ વિઝન કેમેરા ગોઠવવામાં આવ્‍યા છે દીપડાને પાંજરે પુરવા માટે કેમેરા દ્વારા દીપડાની ચહલ પર નજર રાખવામાં આવશે.
વજીફા ફળિયામાં દીપડાના આટા ફેરા વધી જતા સ્‍થાનિકોમાં ડરનો માહોલ છે તેવામાં કેમેરા ગોઠવવા સહિતની યુક્‍તિ દીપડાને પાંજરે પુરવામાં કેટલી સફળ રહેશે તેજોવું રહ્યું. થોડા મહિના પૂર્વે સાદકપોરમાં દીપડાના યુવતી પર હુમલાની ઘટના બાદ પાંચ પાંચ જેટલા પાંજરા અને કેમેરા ગોઠવાયા હતા. પરંતુ દીપડા કોઈ એક સ્‍થળે સ્‍થિર ન રહેતા હોય તેવામાં એક પણ દીપડો પાંજરે પુરાયો ન હતો.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી શરૂ કરાયેલા સંઘપ્રદેશના એનઆઈએફટી-દમણ કેમ્‍પસમાંથી 10 વિદ્યાર્થીનીઓએ પૂર્ણ કરી આઉટરીચ કોર્સની તાલીમ

vartmanpravah

ભિલાડના ઇન્ડિયાપાડાના ૐ ત્રીનેશ્વર મહાદેવ મંદિરે 51 શક્તિપીઠના નિર્માણ માટે MLA સાહિત 11 દાતાઓનો મળ્યો સહકાર: 11 મંદિરના નિર્માણ માટે દાનની કરી જાહેરાત

vartmanpravah

મોદી સરકારના શાસનમાં રાજભાષા હિંદીને મળી રહેલું સર્વોચ્‍ચ ગૌરવ સંસદીય રાજભાષા સમિતિના સભ્‍યોએ દમણની બે દિવસીય લીધેલી મુલાકાતઃ વિવિધ કાર્યાલયોની કરેલી સમીક્ષા

vartmanpravah

ધરમપુરના બિલપુડી ગામે દુકાનોમાં જનતા રેડઃ અનેક દુકાનોમાં ઍક્સપાઈરી ડેટના ખાદ્ય પદાર્થો મળ્યા

vartmanpravah

આજથી ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી સી.ટી.રવિ બે દિવસીય સંઘપ્રદેશના પ્રવાસે

vartmanpravah

વલસાડના ટંડેલ પરિવાર માટે સરકારની મહત્‍વાકાંક્ષી 3 યોજના વરદાનરૂપ સાબિત થઈ: કોરોનાકાળથીઅત્‍યાર સુધી સરકારી અનાજ જ જીવન જીવવાનો આધાર બન્‍યોઃ લાભાર્થી નરેશભાઈ

vartmanpravah

Leave a Comment