Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ-દીવ બેઠક ઉપરથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી શકે છેઃ કોંગ્રેસનો દાવપેચ કે પછી હવા-હવાઈ

દમણ-દીવ કોંગ્રેસ અધ્‍યક્ષ કેતન પટેલે કરેલો ધડાકોઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્‍ટ્રની બેઠકો ઉપર કોંગ્રેસને લાભ થવાનું માંડવામાં આવેલું રાજકીય ગણિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03: ભાજપે 195 લોકસભા બેઠક માટે ઉમેદવારો જાહેર કરીને કરેલા મોટા ધડાકા વચ્‍ચે હવે કોંગ્રેસના નેતા શ્રીમતી પ્રિયંકા ગાંધી વાઢેરા દમણ-દીવ ઉપરથી ચૂંટણી લડી શકે એ પ્રકારનો ધડાકો દમણ-દીવ કોંગ્રેસ અધ્‍યક્ષ શ્રી કેતન પટેલે કર્યો છે. કોંગ્રેસનો આ દાવપેચ છે કે પછી વાસ્‍તવિકતા તે આવતા દિવસોમાં સ્‍પષ્‍ટ થઈ જશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કોંગ્રેસના રાષ્‍ટ્રીય નેતા શ્રીમતી પ્રિયંકા ગાંધી વાઢેરા દમણ-દીવ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર બની શકે છે તેવો દાવો દમણ-દીવ કોંગ્રેસના અધ્‍યક્ષ શ્રી કેતન પટેલે કર્યો છે.તેમણે દમણ-દીવ બેઠક ઉપરથી શ્રીમતી પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડાવવા માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી હોવાનો મમરો પણ મુક્‍યો છે. દમણ-દીવ બેઠક ઉપરથી શ્રીમતી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડે તો ગુજરાતના સમીકરણોને પણ મોટી અસર થઈ શકે એવું માનવામાં આવે છે. દમણના કારણે દક્ષિણ ગુજરાતની બેઠકો ઉપર કોંગ્રેસને ફાયદો થવાની ગણતરી માંડવામાં આવી રહી છે. જ્‍યારે દીવના કારણે સૌરાષ્‍ટ્રની બેઠકો ઉપર પણ અસર થવાનો તાળો લગાવવામાં આવી રહ્યો છે. એવું પણ કહેવાય છે કે, એક પછી એક આદિવાસી નેતાઓ ભાજપમાં ભળી જતા કોંગ્રેસનો ગઢ ઢીલો થઈ તૂટવાના આરે પહોંચ્‍યો છે. દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસનો પાયો મજબૂત કરવા દમણ-દીવ બેઠક ઉપરથી શ્રીમતી પ્રિયંકા ગાંધીને ચૂંટણી મેદાનમાં ઉતારવાના સપના જોવાઈ રહ્યા છે.

Related posts

મુંબઈમાં યોજાયેલા કાર્યક્રમમાં વાપીના વિનય વાડીવાલાને ‘છત્રપતિ શિવાજી મહારાજ ગૌરવ’ એવોર્ડ એનાયત કરાયો

vartmanpravah

દાનહઃ ખરડપાડામાં મામલતદારની ટીમે ભંડારી પરિવારના ઘરનું કરેલું ડિમોલિશન

vartmanpravah

શું જનતાએ ચૂંટેલી સરકારોએ કરોમાં રાહત આપીને પેટ્રોલ-ડીઝલ-એલપીજીની કિંમતો ઘટાડવી નહીં જાેઈએ?

vartmanpravah

છીરીના રામજશસિંહ ગુમ થયા

vartmanpravah

વાપી ચલા મહાલક્ષ્મીનગર કોમન પ્‍લોટ ઉપર અજાણ્‍યા લોકોની ફેન્‍સિંગ કરી પચાવી પાડવાની કરેલી કોશિષ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કચીગામ ખાતે નિર્માણાધિન સ્‍કૂલનું કરેલું નિરીક્ષણ: દમણની સુંદરતામાં ઔર વધારા સાથે બામણપૂજા ખાતે નિર્માણ પામનારા નવા ગેટની પ્રતિકૃતિનું કરેલું અવલોકન

vartmanpravah

Leave a Comment