April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બ્રહ્માકુમારી દ્વારા 8મી માર્ચથી ત્રી ત્રિદિવસ શિવ શક્‍તિ આધ્‍યાત્‍મિક મેળો યોજાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: કળિયુગના અંતમાં જ્‍યારે દુઃખોની અતિ થઈ જાય છે, ત્‍યારે વિશ્વભરના સર્વ મનુષ્‍ય આત્‍માઓને ગતિ-સદ્‌ગતિ આપવા તથા અધર્મનો નાશ અને પુનઃસત્‌ધર્મની સ્‍થાપના કરવા આપણા સૌના પ્‍યારા નિરાકાર પરમપિતા પરમાત્‍મા શિવ આ ભારત ભૂમિ પર અવતરિત થાય છે.
આપ સર્વેને જણાવવાનું કે, તા.8મી માર્ચ, 2024ને શુક્રવારના શિવજયંતિની સાથે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસનો અનોખો સંગમ થઈ રહ્યો છે. આ શુભ અવસર પર બ્રહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલય વાપી શાખા તરફથી એક અદ્‌ભૂત ત્રિ-દિવસીય આધ્‍યાત્‍મિક મેળાનું આયોજન છરવાડા રોડના કોર્નર (હાઈવે) પર 8, 9 અને 10 માર્ચ સુધી લોકોના લાભાર્થે કરવામાં આવ્‍યું છે. જે વિનામૂલ્‍યે રહેશે.
8 માર્ચે ‘શિવ-શક્‍તિ દર્શન આધ્‍યાત્‍મિક મેળા’નું ઉદ્‌ઘાટન વાપીના શિવેષ મહાનુભાવો તથા શિવની શક્‍તિઓ- મહિલાઓ દ્વારા કરવામાં આવશે. 8 માર્ચે સવારે 7.30 વાગ્‍યે મેળાના ઉદ્‌ઘાટનના શુભ અવસર પર આવનાર દરેક મહિલાનું ભાવભીનું સ્‍વાગત તેમજ સન્‍માન કરવામાં આવશે.
આ અનોખા મેળામાં મહિલા સશક્‍તિકરણ પ્રદર્શન, બાર જ્‍યોતિર્લિંગમ્‌ દર્શન, રોડ સેફટી માર્ગદર્શન, પરમાત્‍મા શિવના સહષા દર્શન, ભારત માતા શક્‍તિ અવતારની ઝાંખી, આધ્‍યાત્‍મિક ચિત્રપ્રદર્શન તેમજ વ્‍યસન મુક્‍તિ માટે જ્ઞાન-યજ્ઞકુંડ રાખામાં આવશે. આ બધું અવલોકન કરવા માટે 9 માર્ચે સવારે 8થી રાત્રે 8 સુધી તથા 9 અને 10 માર્ચે સાંજે 4 થી 8 સુધી મેળો દરેક વર્ગ, ધર્મ અને જાતિના ભાઈ-બહેનો માટે વિનામૂલ્‍યે ખુલ્લો રાખવામાં આવશે.
વાપી તથા આસપાસ વિસ્‍તારના ભાવિક ભક્‍તોને સહ પરિવાર આ મેળામાં પધારવા વાપી બ્રહ્માકુમારી દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે. મેળા પછી 11 થી 17 માર્ચ સુધી બ્રહ્માકુમારી આનંદ નગર, છરાડા રોડ સ્‍થિત સેવા કેન્‍દ્ર પર દિવસમાં 3 બેચ (એક કલાક)માં તણાવ મુક્‍તિ માટે રાજયોગ- મેડિટેશનનો ટ્રેનિંગ કોર્સ વિનામૂલ્‍યે રાખવામાં આવ્‍યો છે જે માટેના ફોર્મ મેળામાં ભરી શકાશે.

Related posts

કેનકેન મેથ્‍સ પઝલઓલમ્‍પિયાડ 2022 માં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવના 49 વિદ્યાર્થી સ્‍ટેટ લેવલની પરીક્ષામાં પાસ : હવે નેશનલ લેવલની પરીક્ષા આપશે

vartmanpravah

વલસાડ જિલ્લા-સંઘપ્રદેશમાં મંગળવારથી બોર્ડની પરીક્ષાનો આરંભ : કુલ 58738 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા

vartmanpravah

દાનહના અથાલમાં નિર્માણાધીન બિલ્‍ડિંગમાં કામ કરતા સમયે ત્રીજા માળેથી પડી જતા યુવાનનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

વાપી જેસીઆઈ 2025 ના પ્રમુખ ચંદ્રેશ પુરોહિત અને ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ટોરેન્‍ટ પાવર દ્વારા વીજદરમાં કરાયેલો તોતિંગ ભાવ વધારો

vartmanpravah

વાપી વિસ્‍તારમાં પડેલા વધુ વરસાદની સાથે જીઆઈડીસીની કેટલીક કંપનીઓએ પ્રદૂષિત પાણી છોડયું

vartmanpravah

Leave a Comment