(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ધરમપુર, તા.31: ધરમપુરના હનુમાન ફળીયા સ્થિત જલારામ મંદિર ખાતે જલારામ બાપાની 223મી જન્મજયંતીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. નીકળેલી શોભાયાત્રામાં જલારામબાપા અને વીરબાઈમાતાના વેશભૂષામાં સજ્જ થયેલા નાના નાના ભૂલકાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
સવારના પહોરમાં જ હનુમાન ફળિયાના જલારામબાપા મંદિરેથી ભજનોની સુરવાલીએ સમગ્ર વાતાવરણને ‘જલામય’ કરી મૂકયું હતું. ઘેરૈયા ગ્રુપે પણ મંદિર ખાતે આવી અનોખી રીતે જલારામબાપાની ભક્તિ કરતા જોવા મળ્યા હતા બાદ અશ્વમેઘ બગીમાં જલારામબાપનો ફોટો શણગારી શોભાયાત્રા ફેરવાતા લોહાણા સમાજના ભક્તજનો બાપાની ધુનો લલકારતા હતા. આ શોભાયાત્રામાં રાજનંદીની કોટક જલારામબાપા અને ધાર્મી કોટક વીરબાઈમાતાના વેશભૂષામાં સજ્જ થઈ બગીમાં ઉભા રખાયા હતા. જે શોભાયાત્રાનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
બાદ બપોરે અને સાંજે મહાપ્રસાદમાં મંદિરે નગરજનો તૃપ્ત થયા હતા. સાંજે સત્યનારાયણની કથા, ગરબા અને જલારામ બાવની દ્વારા જલારામબાપાના જીવનકવન અને એમના પારચાઓ જાણી ભક્તો જલામય બન્યા હતા.
Previous post