April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં 223મી જલારામ જયંતિની રંગેચંગે ઉજવણી : જલામય બન્‍યું ધરમપુર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ધરમપુર, તા.31: ધરમપુરના હનુમાન ફળીયા સ્‍થિત જલારામ મંદિર ખાતે જલારામ બાપાની 223મી જન્‍મજયંતીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. નીકળેલી શોભાયાત્રામાં જલારામબાપા અને વીરબાઈમાતાના વેશભૂષામાં સજ્જ થયેલા નાના નાના ભૂલકાઓ આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા.
સવારના પહોરમાં જ હનુમાન ફળિયાના જલારામબાપા મંદિરેથી ભજનોની સુરવાલીએ સમગ્ર વાતાવરણને ‘જલામય’ કરી મૂકયું હતું. ઘેરૈયા ગ્રુપે પણ મંદિર ખાતે આવી અનોખી રીતે જલારામબાપાની ભક્‍તિ કરતા જોવા મળ્‍યા હતા બાદ અશ્વમેઘ બગીમાં જલારામબાપનો ફોટો શણગારી શોભાયાત્રા ફેરવાતા લોહાણા સમાજના ભક્‍તજનો બાપાની ધુનો લલકારતા હતા. આ શોભાયાત્રામાં રાજનંદીની કોટક જલારામબાપા અને ધાર્મી કોટક વીરબાઈમાતાના વેશભૂષામાં સજ્જ થઈ બગીમાં ઉભા રખાયા હતા. જે શોભાયાત્રાનું આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું હતું.
બાદ બપોરે અને સાંજે મહાપ્રસાદમાં મંદિરે નગરજનો તૃપ્ત થયા હતા. સાંજે સત્‍યનારાયણની કથા, ગરબા અને જલારામ બાવની દ્વારા જલારામબાપાના જીવનકવન અને એમના પારચાઓ જાણી ભક્‍તો જલામય બન્‍યા હતા.

Related posts

દીવ ખાતે કાર્યરત ત્રિપ્‍પલ આઈટીના પ્રથમ બેચની વિદ્યાર્થીની સાક્ષી ડાંગીને ગુગલનું રૂા.50 લાખનું મળેલું વાર્ષિક પેકેજનું પ્‍લેસમેન્‍ટ

vartmanpravah

સરીગામ જીઆઈડીસી ખાતે ૮મી જૂને ઔદ્યોગિક દુર્ઘટનાની મોકડ્રીલ યોજાશે

vartmanpravah

ચંન્‍દ્રપુર પાર નદીમાં પુલ ઉપરથી નદીમાં ઝંપલાવતા યુવાનને બચાવી લેવાયો

vartmanpravah

વાંસદા તાલુકાના વાંગણ ગામે ‘ઉમિયા વાંચન કુટીર’નું લોકાર્પણ કરાયું

vartmanpravah

નાની દમણના દેવકા નમો પથના સમુદ્ર કિનારે અજાણ્‍યા શખ્‍સની મળેલી સંદિગ્‍ધ લાશ

vartmanpravah

યુપી પોલીસ ચીખલીના ખૂંધમાં 20 વર્ષથી છૂપાઈને રહેતા વોન્ટેડ આરોપીને ઉંચકી ગઈ

vartmanpravah

Leave a Comment