September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં 223મી જલારામ જયંતિની રંગેચંગે ઉજવણી : જલામય બન્‍યું ધરમપુર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ધરમપુર, તા.31: ધરમપુરના હનુમાન ફળીયા સ્‍થિત જલારામ મંદિર ખાતે જલારામ બાપાની 223મી જન્‍મજયંતીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. નીકળેલી શોભાયાત્રામાં જલારામબાપા અને વીરબાઈમાતાના વેશભૂષામાં સજ્જ થયેલા નાના નાના ભૂલકાઓ આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા.
સવારના પહોરમાં જ હનુમાન ફળિયાના જલારામબાપા મંદિરેથી ભજનોની સુરવાલીએ સમગ્ર વાતાવરણને ‘જલામય’ કરી મૂકયું હતું. ઘેરૈયા ગ્રુપે પણ મંદિર ખાતે આવી અનોખી રીતે જલારામબાપાની ભક્‍તિ કરતા જોવા મળ્‍યા હતા બાદ અશ્વમેઘ બગીમાં જલારામબાપનો ફોટો શણગારી શોભાયાત્રા ફેરવાતા લોહાણા સમાજના ભક્‍તજનો બાપાની ધુનો લલકારતા હતા. આ શોભાયાત્રામાં રાજનંદીની કોટક જલારામબાપા અને ધાર્મી કોટક વીરબાઈમાતાના વેશભૂષામાં સજ્જ થઈ બગીમાં ઉભા રખાયા હતા. જે શોભાયાત્રાનું આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું હતું.
બાદ બપોરે અને સાંજે મહાપ્રસાદમાં મંદિરે નગરજનો તૃપ્ત થયા હતા. સાંજે સત્‍યનારાયણની કથા, ગરબા અને જલારામ બાવની દ્વારા જલારામબાપાના જીવનકવન અને એમના પારચાઓ જાણી ભક્‍તો જલામય બન્‍યા હતા.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પોતાની તમામ શક્‍તિનો ઉપયોગ કરી દાનહને આકર્ષક અદ્યતન અને શ્રેષ્‍ઠ આદર્શ જિલ્લો બનાવવા પ્રશાસન મક્કમ

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ પોસ્‍ટ ઓફિસમાં ફિનાકલ સોફટવેરમાં ક્ષતિ સર્જાતા લાખો ખાતેદાર મુંજવણમાં મુકાયા

vartmanpravah

સરીગામ-2 બેઠકના તાલુકા પંચાયતના સભ્‍ય સહદેવ વઘાતે સભ્‍યપદ પરથી આપેલુંરાજીનામું

vartmanpravah

રાષ્‍ટ્રીય સેવા યોજના, દીવના સ્‍વયંસેવકો દ્વારા દીવ કોલેજમાં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અને સંવિધાન દિવસ અંતર્ગત રંગોળી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં પાલિકાના પાણી સંપમાં પડી જતા 7 વર્ષિય બાળકનું ડૂબી જતા મોત

vartmanpravah

વાપી બલીઠા ભંગારના કચરામાં ભિષણ આગ લાગતા અફરા તફરી મચી: આગ લાગી કે લગાડાઈ એ એક તપાસનો વિષય છે

vartmanpravah

Leave a Comment