Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સિકલસેલ એનિમિયા અંગે જાગૃતિ ફેલાવવા ધરમપુરના ઉગતા ગામની આશ્રમશાળામાં પપેટ શો યોજાયો

વિસરાતી જતી લોક કલા પપેટ શો ને જીવંત રાખવા માટે આરોગ્‍ય શાખા દ્વારા સરાહનીય પ્રયાસ કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: સિકલસેલ એનિમિયા રોગ વિશે લોકોમાં જનજાગૃત્તિ કેળવાય તેવા શુભ આશય સાથે વલસાડ જિલ્લા આરોગ્‍ય શાખા દ્વારા ધરમપુર તાલુકાના ઉગતા ગામની આશ્રમશાળામાં પપેટ શો યોજાયો હતો. આ કાર્યક્રમ થકી વિસરાતીજતા પપેટ શો ની કલાને જીવંત રાખવાનો પણ સરાહનીય પ્રયાસ કરાયો હતો.
ધરમપુર તાલુકા હેલ્‍થ કચેરી અને ભેંસધરાના આયુષ્‍યમાન મંદિરના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા આરોગ્‍ય શાખાના જિલ્લા માહિતી, શિક્ષણ અને પ્રસારણ અધિકારી પંકજભાઈ પટેલે ઉપસ્‍થિત રહી સિકલસેલ એનિમિયા રોગ અને માહિતી આપી હતી. તેમણે જણાવ્‍યું કે, ભારતીય સંસ્‍કળતિમાં કલાનું ખૂબ જ મહત્‍વ રહ્યું છે. પ્રસાર પ્રસારના પરંપરાગત માધ્‍યમથી ગ્રામજનોને સરળતાપૂર્વક સમજાવી શકાય છે. રમેશભાઈ રાવલ અને અમદાવાદના જિતેન્‍દ્ર ભટ્ટ તરફથી સંગીતમય શૈલીમાં પપેટ શો રજૂ કરવામાં આવ્‍યો હતો. જેને આશ્રમશાળાના બાળકો અને સ્‍ટાફ તેમજ વાલીઓએ માણ્‍યો હતો. આ પ્રસંગે ગામના પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટર અનિલભાઈ ગારીયા ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. વિસરાઈ રહેલા પપેટ શો થી બાળકો અને ગ્રામજનો અભિભૂત થયા હતા. આભારવિધિ ભેંસધરાના આયુષ્‍યમાન આરોગ્‍ય મંદિરના કોમ્‍યુનિટી હેલ્‍થ ઓફિસર ભાવનભાઈએ કરી હતી.

Related posts

દીવ બીજેપી સિનિયર નેતા શાંતિલાલ સોલંકીના ઘરે ગણપતિ બાપ્‍પાના આગમનથી બીજેપી હોદેદારોએ કર્યા દર્શન

vartmanpravah

કોલકત્તાના કૃષ્‍ણપુર જિલ્લાના કેસ્‍તોપુર ગામ ખાતેથી દમણ પોલીસની સાઈબર ટીમે સાઈબર ક્રાઈમના ચાર આરોપીઓની કરેલી ધરપકડ : 14 મોબાઈલ ફોન, એક લેપટોપ અને 36 સક્રિય સિમકાર્ડ બરામદ

vartmanpravah

વલસાડના પૂર અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં પોલીસની દેવદૂતની ભૂમિકાઃ સેંકડો લોકોનું સ્‍થળાંતર કરાવ્‍યું

vartmanpravah

દેશના પ્રથમ આદિવાસી રાષ્‍ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુ ચૂંટાઈ આવતાં સમસ્‍ત સંઘપ્રદેશમાં આનંદ-ઉત્‍સવનો માહોલ

vartmanpravah

નાની દમણના મિટનાવાડ રામ મંદિર ખાતે 8મા પાટોત્‍સવની ધામધૂમ અને ભક્‍તિભાવપૂર્વક કરાયેલી ઉજવણી

vartmanpravah

પારડીમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમમાં રૂ.4.864 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને રૂ. 86.70 લાખના કામોનું લોકાર્પણ કરાયું

vartmanpravah

Leave a Comment